મન ને સમજવું મુશ્કેલ થઇ પડે,
ત્યારે કોઈક ના સાથ ની જરૂર પડે.
દિલ ના દર્દ ને દિલ માં રાખવું અસહ્ય થઇ પડે,
ત્યારે એક જીવન સાથી ની જરૂર પડે.
વૃક્ષો ના જીવન માં પાનખર આવે તો,
ફરીથી ખીલી ઉઠવા વસંત ની જરૂર પડે.
ના રેહશો ભ્રમ માં કે જીવન એકલું જીવી લેવાશે,
જીવતા તો જીવી જશો પણ આખરે, અર્થી ને ટેકો આપવા પણ ચાર માણસ ની જરૂર પડે.
?Jay swaminarayan ?