** મનોમંથન **
વિચારો મનમાં પવન ની જેમ સળસળાટ ચાલી રહ્યા હતાં..
ત્યાંજ વિચારો અને કલમ વચ્ચે એક વાર્તાલાપ થયો..!
વિચારોએ કહ્યું કે જો હું વિચારું જ નહીં તો એ કલમ તું શું લખશે..?
કલમે પ્રત્યુત્તર આપતા કહ્યું
એ વિચાર જો હું લખીશ જ નહીં તો તને કોણ જાણશે..?
વિચાર ફરી બોલ્યો અને કહ્યું વાત તો સાચી છે એ કલમ..!
જો બંન્ને માંથી એક અટકી જાય તો શું કામનું..?
સાચું જ કહ્યું હતું કોઈ વ્યક્તિ એ
કે દુનિયાની કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી..!
કોઈ નો સાથ અને સહકાર જ એને પરિપૂર્ણ બનાવે છે. ?
અજ્ઞાત