એણે કહ્યું...
"મંદિરે મારા વતી દર્શન કરજો..."
તરત મેં હા કહી દીધી...
હવે...એને હું કેમ કરી સમજાઉ...
...કેમ કરી વિશ્વાસ અપાઉં...
કે...
પ્રભુની મુરતમાં હું ખુદ એના દર્શન કરું છું...
મારા હૃદયમાં પ્રભુના સ્થાને એની જ મુરત તો સ્થાપિત છે...
અને...
પ્રથમ એનું સ્મરણ કર્યા વિના આજ દિન સુધી મેં કોઈ કામ પણ ક્યાં કર્યું છે...!!!
@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'