રુઢિઓ, પરંપરાઓ, માન્યતાઓ…. આ બધું જો એક જ લઢણમાં ગતિ કરતું હોય શ્રદ્ધાના નામે, તો એ ક્યારે અંધશ્રદ્ધા બની જાય તે આપણને ખબર જ નથી રહેતી. નહિ? અને પછી આપણે તેને (તે વ્હેમ) ને બીજા પર થોપવાની, અને સમજ-અણસમજના ચક્રમાં ગોથા ખાતાં-ખાતાં.. આપણી જડસુ વિચારસરણીને વળગી રહીને સમજદાર બનવાની તજવીજ કરીએ છીએ, કે વ્યવહારુ બનવાની કોશિશ કરીએ છીએ.. નહિ…?
પણ આપણે માણસ બનવાની કોશિશ કેમ નથી કરતાં…?
આ આપણી શિથિલ વ્યવહારુ બુદ્ધિની પેદાશ છે… કે આપણે આપણી કહેવાતી સમજદારીને જ વળગી રહેવા માંગીએ છીએ…!!!
©નમ્રતા કંસારા