The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
દરેક મા-બાપ પોતાના સંતાનો માટે ખુબજ ચિંતાઓ કરતા હોય છે, અને કરવી પણ જોઈએ, પરંતુ સામે સંતાનોને પણ... એક ચિંતા તો રાખવી જ જોઈએ કે, ભલે અમારા મા-બાપ આખી જિંદગી "અમારા માટે" ચિંતાઓ કરે, પરંતુ અમારા મા-બાપની એકપણ ચિંતા, "અમારા લીધે" ન હોવી જોઈએ. - Shailesh Joshi
આપણા જીવનમાં અવારનવાર આવતી જતી રહેતી મોટાભાગની મુસીબતોનું મુખ્ય "કારણ" આપણું મગજ જ હોય છે, અને મોટાભાગની મુસીબતોનું મારણ પણ આપણું મગજ જ છે, માટે જો આપણે મુસીબતોથી બચવું હોય તો એનો "યોગ્ય" ઉપયોગ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. હા આમાં આપણામાંથી જ અમુક કે પછી ઘણાબધા લોકો, એમના ભાગમાં આવતી, કે પછી એમણે જાતે જ ઊભી કરેલી મુસીબતોથી દૂર ભાગવાનો, કે પછી એ મુસીબતોને દૂર ઠેલવાનો, અથવા તો જે તે મુસીબતોથી બચવાનો, કે પછી અમુક લોકો તો એમના જીવનમાં મુસીબતો આવે જ નહીં એવો ટૂંકા ગાળાનો રસ્તો પણ શોધી લે છે, અને એ પણ એમનું મગજ દોડાવીને, પરંતુ એક વાત તો જગજાહેર છે કે, સ્વાર્થથી ભરેલા ટૂંકા ગાળાના ફાયદા માટે અયોગ્ય રીતે ખોટી દિશામાં દોડાવેલ મગજ, આપણને જે ફાયદો કરાવે છે, એ ફાયદો હંમેશા ટૂંકા ગાળા માટે જ હોય છે, ને પછી આપણને આપણો સમય એવા સમયમાં લાવીને ઊભા કરી દે છે કે, આપણું મગજ ચાલવાનું તો દૂર, બિલકુલ કામ કરવાનું જ છોડી દે છે, ને આપણે અતિશય લાચાર ભરી પરિસ્થિતિમાં આવી જઈએ છીએ, એક એવી સ્થિતિ કે જેમાં આપણે સિવાય અફસોસ બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી રહેતા. માટે કોઈપણ સારી નરસી પરિસ્થિતિ વખતે, ધીરજ રાખી, શાંત ચિત્તે, સમય અને સંજોગોને સારામાં સારી રીતે જોઈ સમજી લીધા પછી, જે તે બાબતે ખૂબજ ઊંડાણ પૂર્વક વિચારી જીવનમાં આગળ વધવું, એજ સાચી સમજદારી પણ છે, અને એ આપણા સુખરૂપ ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખૂબ અને ખૂબજ જરૂરી પણ છે.
જીવનનું તો એવું છે કે, જે દિવસથી જીવનમાં ફરિયાદો ઓછી થવા લાગે છે, એ દિવસથી જ જીવવાની મજા આવવા લાગે છે, પરંતુ એની જાણ તો આપણને ત્યારે જ થાય છે, કે જ્યારે ધીરજ સાથે એની શરૂઆત થાય છે. - Shailesh Joshi
હમણાં આપણને જ્યાં સુખ દેખાઈ રહ્યું છે, ત્યાં ખરેખર એ સુખ હોય પણ ખરું, છતાંય હમણાં આપણા માટે ખાલી એ સુખ એટલું મહત્વનું ન હોવું જોઈએ, પરંતુ આપણા માટે એ સમયે અતિ મહત્વનું એ જાણી લેવું હોવું જોઈએ કે, હમણા આપણને દેખાતા, કે મળતા એ સુખની "આવરદા" કેટલી છે ? - Shailesh Joshi
बर्फ जैसी सर्दि हो, आग जैसी गर्मी हो, या फिर हो जड़ से उखाड़ दे ऐसी हवाओं के साथ गिरती बारिश, ये सब कई सालों तक सहेने के बाद फिर कहीं जाकर, पेड़ पर फल फूल लगते हैं, क्योंकि...अच्छी फसल ऐसे ही नहीं खिलती, ठीक उसी तरह हर बुरे दिन, बुरे वक़्त से लड़ने के लिए खुद को तैयार रखना पड़ता है, पसंदीदा जिंदगी ऐसे ही नहीं मिलती. डटे रहेंना पड़ता है. - Shailesh Joshi
"પ્રેમ નથી, તો નથી" એતો આસાનીથી "પરખાઈ જાય છે" ખરી તકલીફ તો "પ્રેમ છે, એ સમજવા/સમજાવવામાં" "જીવન વપરાઈ જાય છે" - Shailesh Joshi
કોઈપણ ચિંતા એટલી મોટી નથી હોતી, જેટલી વિચારોમાં વર્તાય છે, છતાંય... એનો સાચો ખ્યાલ તો ત્યારેજ અનુભવાય છે, કે જ્યારે કાંતો એ ચિંતાનો સામનો કરાય છે, કે થાય છે, અને કાંતો કંઈપણ કર્યા વગર માત્ર એ ચિંતામાંને ચિંતામાં લાંબો સમય વહી જાય છે. - Shailesh Joshi
આપણા જીવનની બધીજ પરીક્ષાઓ ઈશ્વરના હાથમાં હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે, ઈશ્વરે લીધેલી પરીક્ષામાં પાસ થવા માટે, સમયની અને એમાં સફળ થવા માટે કરવા પડતાં પ્રયત્નોની કોઈ મર્યાદા નથી હોતી, ઈશ્વરે આપણને સૌને ભરપૂર સમય આપ્યો જ છે, છતાંય આપણે ખોટી ઉતાવળ કરી, ખોટી રીતે, કે ખોટા રસ્તે કેમ વળી જઈએ છીએ ? તમે જ વિચારો કે, આમાં નુકશાન કોને ? માટે જીવનમાં સુખનો સમય ચાલતો હોય, કે દુ:ખનો શાંતિ અને ધીરજ રાખ્યા વિના સારા સમયની પ્રાપ્તિ કે, જીવનમાં કાયમી આનંદની અનુભૂતિ આપણે ક્યારે, કેટલી અને કેવી રીતે કરી શકીશું ?
તારીખ, વાર, ગામ, નામ અને સરનામા બદલાય છે, ઘટનાઓ ને વારદાતો તો બધી એક જેવી જ થાય છે, પાછું જાણે છે તો સૌ કે, ખોટા કર્મોની સજા અતિ આકરી હોય છે, તોયે નીત નવા નવા દુ:ખદ કિસ્સાઓ સતત ઉમેરાતાં જાય છે, ઉપર ઈશ્વર પણ આજકાલ અવઢવમાં હશે, કે મારા બનાવેલા, મને માનતા, અને પૂજતા મારા જ લોકો, આ કઈ દિશામાં જાય છે ❓️ - Shailesh Joshi
જીવનમાં સુખ અને દુઃખ આવવાના, કે જવાના મુખ્ય આધાર બેજ છે, એક આપણા વિચારો, અને બે, એના પર આપણે કરેલ અમલ. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser