Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.3m)

પ્રભુએ સૌને આ બે શક્તિ આપી છે,
એક - "ચિંતાઓને મુક્ત કરવાની"
અને બે જેટલા રહેવું હોય એટલા
"ચિંતા ગ્રસ્ત રહેવાની" હવે આમાંથી
આપણે કઈ શક્તિ વાપરવી ?
એ આપણે નક્કી કરવાનું છે.
- Shailesh Joshi

Read More

ફરિયાદો કરવા,
કે સાંભળવા માટે
નથી હોતી, એતો
ગળવા માટે હોય છે.
- Shailesh Joshi

આપણે ઘણું બધું જોવા ન જોવા જેવું જોઈએ છીએ, પછી એને ઘણી બધી રીતે વિચારીએ છીએ, અને અંતે કરવા ન કરવા જેવું પણ કરીએ છીએ, પરંતુ આ બધું
અન્ય કોઈ જુએ કે ન જુએ,
જાણે કે ન જાણે, પરંતુ
ઈશ્વરની ધ્યાન અને જાણ બહાર કંઈ જ નથી હોતું, બસ કાયમ માટે જો આપણે આટલું ધ્યાનમાં રાખીશું તો આપણે ભલે સુખી થઈએ કે ના થઈએ,
બાકી દુ:ખી તો ક્યારેય નહીં થઈએ.
- Shailesh Joshi

Read More

જે માણસની
રોટલાની અને ઓટલાની જરૂરિયાત પૂરી ન થાય,
ત્યાં સુધી એ માણસ પાસે
બીજી કોઈ બે મતલબની વાત નથી હોતી,
અને જેવી એની આ બે જરૂરિયાત
"સંતોષાઈ જાય છે"
એવો જ માણસ,
કેમ બે મતલબની વાતોમાં
"સપડાઈ જાય છે"
- Shailesh Joshi

Read More

જીવનમાં ફક્ત ને ફક્ત
ધાર્યું કરવાનો સ્વભાવ,
આપણા જીવનમાં
ઘણું બધું અજુગતું,
અને અણધાર્યું કરાવે છે.
- Shailesh Joshi

Read More

સારા ભવિષ્યની આશા કોને ફળે ? આપણા માટે શું સારું, ને શું ખરાબ ?
એ આપણો સમય અને આપણા સંજોગો, આપણા કરતા વધારે સારી રીતે જાણે છે.
માટે આપણે સારું ખોટું નક્કી કરવાની મથામણમા પડ્યા સિવાય,
એ જે કરે એના પર વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધવું,
કેમકે એમાં જ આપણું ભલું છે.
જુઓ આ યુ-ટ્યૂબ શોર્ટ
https://youtube.com/shorts/Gxa4KjQ_fIg?si=Ej-vszsNBWjFQvjQ

Read More

સફળતાની સીડી
સારો વિચાર, એના પર અડગ વિશ્વાસ,
ને એનો દિલથી અમલ, સાથે-સાથે
યોગ્ય સમયે યોગ્ય મહેનત, અને
અપાર ધીરજ... બસ આટલું
જે પણ કોઈ એક વ્યક્તિમાં હોય,
એવો વ્યક્તિ એના જીવનમાં
સફળ થયા વગર નથી રહેતો.
- Shailesh Joshi

Read More

❤️દિલને❤️
સૌથી વધારે નુકશાન પહોંચાડી શકે
એવું બીજું કશું હોય તો એ છે...
👉દિમાગ👈
પછી એ આપણું હોય,
કે પછી અન્ય કોઈનું✍️
માટે એનો ઉપયોગ
ખૂબજ સમજદારી પૂર્વક કરીએ🤔 Shailesh Joshi

Read More

જીવનમાં કરવા જેવા જે જે કામ છે,
એ બધા કામ કોઈપણ કારણસર
જો હમણાં આપણે નથી કરી રહ્યાં
તો જ્યારે એ કામ કરવાનો વખત આવશે,
ત્યારે આપણે આ એક વાત યાદ રાખીએ કે,
એ સમયે 100 એ 100 % ખૂબ મોડું થઈ ગયું હશે,
અને આ વાત હળવાશમાં લેવા જેવી તો બિલકુલ નથી, કારણ કે વહેલો કે મોડો,
આપણા સૌના જીવનમાં એવો વખત,
100 નહીં, પરંતુ 200 %
આવે આવે ને આવે જ છે.
- Shailesh Joshi

Read More

જે સમયથી ફરીયાદો
નામશેષ થવા લાગે
એજ દિવસથી જીવનમાં
શાંતિનો પ્રવેશ થવા લાગે
- Shailesh Joshi