The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજકાલ રોજેરોજ નવી નવી ટેકનોલોજી આપણા સુધી પહોંચી રહી છે, તો શું આપણે એ ટેકનોલોજીનો સદુપયોગ કરી આપણા નોકરી, ધંધા કે અભ્યાસમાં ફાયદો ઉઠાવી શકીએ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ? કે પછી એનો માત્ર ટાઈમ પાસ તરીકે દુરુપયોગ કરી, આપણે હમણાં જ્યાં છીએ, ત્યાંના ત્યાં રહીને, આપણા જીવનના બહુ મૂલ્ય સમયને, અને આપણી ક્ષમતાને ક્ષતિ પહોંચાડી રહ્યા છીએ ? - Shailesh Joshi
કોઈ વિશેષ કામમાં મુશ્કેલી પડે, કે થોડો ઘણો રસ્તો જડે, કે પછી જે તે કામમાંની શરૂઆત જ ન થઈ રહી હોય, આ બધામાં એક વાત તો કોમન અને સ્પષ્ટ છે કે.....
Social Media पर Active रहने वाले ज्यादातर Creater के लिए तो सबसे ज्यादा देखने वाला एक ही Breaking "News" कि कितने आये "Views" 😀Shailesh Joshi😀
બદલાઈ જવું ઘણું મુશ્કેલ હોય છે, જો સાચા હોઈએ તો બદલાતી વખતે, ને જો ખોટા હોઈએ તો બદલાયા બાદ - Shailesh Joshi
દિલનો સદુપયોગ ક્યારેય આપણને કોઈ મોટા નુકસાનમાં નહીં પડવા દે, પરંતુ જો આપણે એનો દુરુપયોગ કર્યો, અને ત્યારબાદ આપણને જે નુકશાન થશે, એમાંથી પૂર્ણપણે તો, ના આપણે જાતે બહાર આવી શકીશું, કે પછી ના કોઈ અન્ય આપણને બહાર કાઢી શકશે, પછી એ દિલ આપણું હોય, કે અન્ય કોઈ વ્યક્તિનું, કારણ કે, પ્રત્યેક દિલમાં પ્રભુનો વાસ હોય છે. 💞Shailesh Joshi💞
જેટલા વાગે, જ્યાં, જેટલા હોવા જોઈએ, એટલા વાગે ત્યાં, એટલા નથી હોતા, ને એટલે જ...... આપણે ઘણી બધી જગ્યાએ પડીએ છીએ ખોટા. - Shailesh Joshi
પ્રેમની સાચી પરખ બે ચાર દિવસે બે ચાર વાર અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે પોતપોતાના ઘરે રહીને ગમે તેટલા વર્ષો સુધી મળતા રહેવાથી નહીં, પરંતુ એની સાચી પરખ, પરીક્ષા કે પછી સાચું પરિણામ, તો જ્યારે લગ્નબંધનમાં બંધાઈ, એકજ છત નીચે, 24 × 7 અને 365 દિવસ ઘર સંસારમાં રહીને, જ્યારે જીવવાનું ચાલુ થાય, ત્યારે ખબર પડે કે બંને વચ્ચે એકબીજા માટે કેટલો પ્રેમ છે, એકબીજા પ્રત્યે કેટલી લાગણી છે, અને એકબીજાના પ્રેમને જરા સરખી આંચ ન આવે એના માટે કરવા પડતા ત્યાગની એ બંને પાત્રોમાં કેટલી માત્રા, કે ભાવના છે. બાકી આદર્શ પતિ, અને આદર્શ પત્ની બનવું કંઈ આપણે માનીએ સમજીએ છીએ, એટલું સહેલું નથી. પરંતુ હા જીવવાની સાચી મજા તો એકબીજાની સાથે જ આવતી હોય છે, ત્યાં સુધી પહોંચવા ફક્ત એકબીજા માટે મન મોટું રાખવાની, અને એકબીજાનો બની શકે એટલો વધારે ખ્યાલ રાખવાથી, કોઈપણ સંજોગોમાં એકબીજાની ઈજ્જત, દરકાર અને હ્રદય પૂર્વક ચિંતા વ્યક્ત કરતા રહેવાથી, પ્રેમ અને સંબંધ બંને, મજબૂત અને પરિપક્વ થઈ જતાં હોય છે.
જી..વ..ન..ને, વ..ન કે, ઉ..પ..વ..ન બનાવતા 3 પરિબળ, "તન મન અને ધન" - Shailesh Joshi
વારંવાર યાદ કરવાનું, અને ફરી ફરી મળવાનું મન થાય, એવી વ્યક્તિઓ પણ છે, આપણી જ આસપાસ, જો તું થાક્યા, કે હાર્યા વગર, "એકધારું શોધવાનું ચાલું" અને ના ગમે એવા લોકોને, ભૂલવાનું, કે પછી "વગોવવાનું બંધ કરી શકે તો" - Shailesh Joshi
જો મહેનત પછી થાક અને કંટાળાની સાથેનો પરસેવો પણ વળે, ને પાછું આપણા ધાર્યા કરતાં ઓછું મળે, તેમ છતાંય જો આપણે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ, તો સમજી લેવું કે આપણે જીવનમાં સાચા માર્ગે આગળ વધી રહ્યા છીએ, અને જો કદાચ આપણા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત હોય, અને આ બધું કરવાની આપણને બિલકુલ જરૂર જ ન હોય, તો પણ આપણને મહેનત, થાક, પરસેવો, કંટાળો, અને જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું જીવનમાં શું મૂલ્ય હોય છે, એનું સાચું, અને પૂરું જ્ઞાન તો...હોવું જ જોઈએ. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser