Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.8m)

જો આપણે
ઈશ્વરની પરમ કૃપાની
અનુભૂતિ ઈચ્છતા હોઈએ,
તો ભલાઈ કરતા રહેવું,
ને જો એમ કરતાં ક્યારેક
કદાચ અપયશ પણ મળે,
તેમ છતાં,
કોઈને કંઈ પણ ન કહેવું,
બસ ભલાઈનું કામ
ચૂપચાપ કરતા રહેવું.
- Shailesh Joshi

Read More

મારો તમારો કે પછી કોઈનો પણ, જીવનમાં
સમજદારી કેળવ્યા વિના ઉધ્ધાર નથી,
અને આ વાત જેટલી વહેલી સમજાય,
એના જેવી સમજદારી તો બીજી એકે નથી.
- Shailesh Joshi

Read More

રોજગાર માટે શહેરમાં આવ્યા પછી નોકરી કે
ધંધાની શરૂઆત કરીએ, એ દિવસથી જ
એક વાત યાદ રાખવી કે,
જેમ જેમ નોકરીમાં વેતન, કે ધંધામાં વળતર વધે,
તેમ તેમ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, નહીં તો આપણી આર્થિક સ્થિતિ આપણા નિયંત્રણ બહાર જવાની સંભાવના વધી જતી હોય છે, માટે વેતન અને વળતરનું જતન કરવું, નહીં તો
વતનમાં પાછા જવાનો વારો પણ આવી શકે છે. 😁
- Shailesh Joshi

Read More

ગમતું વ્યક્તિ શોધવાની અને એની સાથે સંબંધો મજબૂત બનાવવા માટેની સરળ રીત
જુઓ આ ફેસબૂક motivation રીલ
https://www.facebook.com/share/r/183wgLJQGF/

Read More

આપણા સૌના જીવનનો
મોટાભાગનો સમય
બે જગ્યાએ વપરાઈ જાય છે, એક તો
"અન્યો"થી આશાઓ રાખવામાં,
અને પછી
જ્યારે એ આશાઓ પૂરી ન થાય,
ત્યારે આપણે કરેલો અફસોસ
બાકીનો ઘણો સમય ખાઈ જાય છે.
- Shailesh Josh

Read More

પુસ્તક વાંચવામાં જેટલો સમય લાગે છે, એનાથી વધારે સમય એને લખવામાં લાગે છે, અને પુસ્તકમાં જે લખાણ હોય એ જીવવામાં તો વર્ષોના વર્ષો, કે પછી પૂરું જીવન લાગતું હોય છે, આપણું મન પણ એક વણ લખાયેલ પુસ્તક જેવું હોય છે, માટે જો આપણે આપણા સમયની રાહ જોતા હોઈએ કે, આપણો સમય ક્યારે આવે, તો એના માટે એક કામ તો આપણે કરવું જ રહ્યું, કે આપણો સમય ન આવે ત્યાં સુધી આપણે ધીરજ અને શાંતિ સાથે આપણને સાચવવા પડશે.
- Shailesh Joshi

Read More

રસ્તાઓ બદલવાથી નહીં, પરંતુ
કઠિન રસ્તાઓ પાર કરવાથી જ
જીવન સાર્થક થાય છે, માટે જો
ખરેખર સારા ભવિષ્યની
સાચી ચિંતા હોય તો
એટલું યાદ રાખવું કે, ગમે તેવા
વિપરીત, કે પ્રતિકૂળ સંજોગો વખતે,
નિરર્થક ખોટા, કે અવળા રસ્તાઓ શોધવા
એ આપણા સમય, શક્તિ
અને ભવિષ્ય ત્રણે માટે
નુકશાનકારક છે.
- Shailesh Joshi

Read More

1M સુધી પહોંચાડવા બદલ...
આભાર સહ
Matrubharti ની પૂરી ટીમ, અને
સૌ વાચક મિત્રોને મારા પ્રેમ અને લાગણીભર્યા, દિલથી નમસ્કાર🙏

Read More

લગ્ન કરવા માટે ખાલી યોગ્ય ઉંમર હોવી એ પૂરતુ નથી, પરંતુ લગ્ન પછીના જીવનની તમામ પ્રકારની સારી નરસી બાબતોના પૂરતા જ્ઞાનની સાથે-સાથે, ભવિષ્યમાં આવવાવાળી દરેક પરિસ્થિતિ સામે, સાથે મળીને લડવાની ક્ષમતા, અને છતાંય જો ન પહોંડી વળાય, તો એવી પરિસ્થિતિઓને ખમી લેવાની તૈયારી હોવી, અતિ થી પણ અતિ આવશ્યક હોય છે, નહીં તો નહીં કે લગ્નગ્રંથિથી જોડાયેલ બે વ્યક્તિ, પરંતુ એની સાથે-સાથે એ બંનેના પરિવારને પણ દુ:ખી થવાનો વારો આવતો હોય છે.
- Shailesh Joshi

Read More

વિશ્વાસ કેળવવામાં વર્ષો, ને તૂટવામાં ક્ષણ લાગે છે,
ને પાછો એકવાર તૂટયા પછી એને ફરી જોડવામાં તો,
વર્ષોના વર્ષો લાગે છે, માટે એક વાત સ્પષ્ટ પણે સમજી લેવી કે, સંબંધોમાં પરસ્પર વિશ્વાસ જાળવી રાખવા માટે, સૌથી વધારે જરૂરી જે પરિબળ છે એ છે, પરસ્પરનો પ્રેમ અને લાગણી, અને એને તોડવામાં જે સૌથી મોટું પરિબળ કામ કરે છે, એ છે, કોઈપણ પ્રકારની માંગણી, કેમકે લાગણીઓ તૂટવામાં માંગણીઓ બહુ મોટો ભાગ ભજવતી હોય છે.
- Shailesh Joshi

Read More