The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમની સાચી પરખ બે ચાર દિવસે બે ચાર વાર અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે પોતપોતાના ઘરે રહીને ગમે તેટલા વર્ષો સુધી મળતા રહેવાથી નહીં, પરંતુ એની સાચી પરખ, પરીક્ષા કે પછી સાચું પરિણામ, તો જ્યારે લગ્નબંધનમાં બંધાઈ, એકજ છત નીચે, 24 × 7 અને 365 દિવસ ઘર સંસારમાં રહીને, જ્યારે જીવવાનું ચાલુ થાય, ત્યારે ખબર પડે કે બંને વચ્ચે એકબીજા માટે કેટલો પ્રેમ છે, એકબીજા પ્રત્યે કેટલી લાગણી છે, અને એકબીજાના પ્રેમને જરા સરખી આંચ ન આવે એના માટે કરવા પડતા ત્યાગની એ બંને પાત્રોમાં કેટલી માત્રા, કે ભાવના છે. બાકી આદર્શ પતિ, અને આદર્શ પત્ની બનવું કંઈ આપણે માનીએ સમજીએ છીએ, એટલું સહેલું નથી. પરંતુ હા જીવવાની સાચી મજા તો એકબીજાની સાથે જ આવતી હોય છે, ત્યાં સુધી પહોંચવા ફક્ત એકબીજા માટે મન મોટું રાખવાની, અને એકબીજાનો બની શકે એટલો વધારે ખ્યાલ રાખવાથી, કોઈપણ સંજોગોમાં એકબીજાની ઈજ્જત, દરકાર અને હ્રદય પૂર્વક ચિંતા વ્યક્ત કરતા રહેવાથી, પ્રેમ અને સંબંધ બંને, મજબૂત અને પરિપક્વ થઈ જતાં હોય છે.
જી..વ..ન..ને, વ..ન કે, ઉ..પ..વ..ન બનાવતા 3 પરિબળ, "તન મન અને ધન" - Shailesh Joshi
વારંવાર યાદ કરવાનું, અને ફરી ફરી મળવાનું મન થાય, એવી વ્યક્તિઓ પણ છે, આપણી જ આસપાસ, જો તું થાક્યા, કે હાર્યા વગર, "એકધારું શોધવાનું ચાલું" અને ના ગમે એવા લોકોને, ભૂલવાનું, કે પછી "વગોવવાનું બંધ કરી શકે તો" - Shailesh Joshi
જો મહેનત પછી થાક અને કંટાળાની સાથેનો પરસેવો પણ વળે, ને પાછું આપણા ધાર્યા કરતાં ઓછું મળે, તેમ છતાંય જો આપણે પ્રયત્નો ચાલુ રાખીએ છીએ, તો સમજી લેવું કે આપણે જીવનમાં સાચા માર્ગે આગળ વધી રહ્યા છીએ, અને જો કદાચ આપણા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત હોય, અને આ બધું કરવાની આપણને બિલકુલ જરૂર જ ન હોય, તો પણ આપણને મહેનત, થાક, પરસેવો, કંટાળો, અને જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓનું જીવનમાં શું મૂલ્ય હોય છે, એનું સાચું, અને પૂરું જ્ઞાન તો...હોવું જ જોઈએ. - Shailesh Joshi
એક વિચાર, જે જીવનના ખૂબ લાંબા સમય ગાળામાં, અથવા તો આખી જિંદગીમાં, અશાંતિ, અસંતોષ, કે અકળામણ ભરી દે છે, એ વિચાર એટલે વગર કંઈ કરે, ચાલાકીથી કે પછી ખોટી રીતે, જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનો વિચાર. - Shailesh Joshi
टेक्नोलॉजी बनाने वाले और इसका इस्तमाल करने वाले सभी इन्सान का अस्तित्व, ईश्वर की टेक्नॉलॉजी, यानी कृपा और आशीर्वाद से है, बस इतना याद रक्खे, साथ ही, अपना और टेक्नोलॉजी का, सही इस्तमाल करे,क्योंकि इसमें ही सबकी भलाई है. - Shailesh Joshi
પોતાની પાસે પૈસો, કે સમય હોય કે ન હોય તો પણ, ને પોતાના સંતાનો પર ગમે તેટલો વિશ્વાસ હોય તો પણ, આજકાલ સંતાન ક્યાં ક્યાં ફરે છે ? અને એ ત્યાં, શું શું કરે છે ? એના ગ્રુપમાં કેટલા લોકો છે ? એના કરતાં એ લોકો કોણ કોણ છે ? અને કેવા છે ? એનું પૂરતું ધ્યાન રાખવું એ આપણી પહેલી જવાબદારી છે. કેમકે આપણાં જેટલી સમજદારી, આપણા જેટલી દુનિયાદારી, અને સાચા ખોટા માણસની પરખ કરવાની શક્તિ આપણામાં જેટલી છે, એટલી આપણા સંતાનમાં હજી ન આવી હોય. સૌથી પહેલાં તો આપણે એ સમજવું પડશે. કારણ કે, નથી ને આપણું સંતાન કોઈ અવળી સંગતે, કે ખોટા રસ્તે ચડી જશે, તો એની પાસે પાછા વળવાનો, કે આપણી પાસે એને પાછા વાળવાનો કોઈ રસ્તો નહી બચે, ને કદાચ...કદાચ...કદાચ આપણે સંતાનને કોઈ મુશ્કેલીમાંથી ઉગારી પણ લઈશું, તો પણ એના, કે આપણા બાકીના જીવનમાં, પહેલા જેવી મજા નહીં રહે. માટે સાચી સંપત્તિ સંતાન જ છે, એનું પૂરું જ્ઞાન, અને ભાન આપણી સાથે-સાથે આપણા સંતાનમાં પણ હોય, એ આપણી ખૂબ જ મોટી, અને મહત્વની જવાબદારી છે. એના માટે હાલના સમય, અને સંજોગો પ્રમાણે એટલું જોવું અતિ અનિવાર્ય છે કે, આપણે આપણા સંતાનને એના હાથમાં એની જરૂરીયાત પ્રમાણે, જરૂરિયાત જેટલા, કે વધારે પૈસા આપી, આપણી જવાબદારી નિભાવી રહ્યા છીએ, કે પછી ખાલી પૈસા આપી આપણે આપણી જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છીએ ? આટલું જોવું અતિ મહત્વનું એટલા માટે છે કે, આજકાલ બહારના માહોલથી આપણામાંથી કોઈ વ્યક્તિ અજાણ નથી, રોજબરોજ બનતી ઘટનાઓ એ, આપણને સૌને સજાગ રહેવા માટેનો ઈશારો છે, આપણા માટે પણ, ને સંતાનો માટે પણ. માટે ભલે એક બે વસ્તુ વગર ચલાવવું પડે, એનાથી પણ વધારે કે, ભલે એક ટાઈમ જમીને સૂઈ જવું પડે, પરંતુ, ઘર-પરિવારની આબરૂ જાય એવું કામ તો ક્યારેય નહીં, કોઈપણ ભોગે નહીં, બસ આપણે સૌ એટલું યાદ રાખીએ, કેમકે, ખોટો રસ્તો એક દિવસ એવો દિવસ દેખાડે છે કે, ઘરમાં બાર મહિનાનું અનાજ ભર્યું હોય, રસોઇ બનાવવા માટે માણસ આવતા હોય, તેમ છતાં.....અમુકવાર એવી અણધારી વિકટ, અને અસહ્ય સમસ્યાઓ ઊભી થઈ જાય છે કે, એક કોળિયો પણ ગળે ઉતારવો, મુશ્કેલ બની જતો હોય છે. ખાસ :- પૈસો ભલે શરીરને આરામ આપતો હોય, પરંતુ મનની શાંતિ એતો પોતાના પરિવારના તમામ સભ્યો વચ્ચેના, પ્રેમ, લાગણી અને વિશ્વાસ થકી જ મળતી હોય છે.
કોઈપણ વ્યક્તિ પાસે જ્યારે કોઈ કામ ન હોય, ત્યારે કરવા જેવું કોઈ કામ હોવું જોઈએ, કારણ કે, આપણને મળેલ સમય, અને શક્તિ નાહકમાં કેમ ખોઈએ ? - Shailesh Joshi
જો શરીર સારું રાખવું હોય તો ચાલવું તો પડશે ને ? જો આપણે રેગ્યુલર ચાલતા રહીશું તો શરીર તો સારું રહેવાનું જ છે ને ? બસ લગભગ બાબતોમાં આ વાત લાગુ પડે છે કે, જો આપણે ખાલી વિચાર બદલીશું, તો વાણી વર્તન અને વ્યવહાર, અને સાથે-સાથે નસીબ પણ આપોઆપ બદલાઈ શકે છે. - Shailesh Joshi
हमें अंदर से मजबूत, और अच्छा बनना है, बाहर से दिखना नहीं है, क्योंकि... इसीसे ही हमें महसूस होने लगेगा कि, हमारी किस्मत खोई, या फुटी नहीं थी, वह अभी भी, यहीं कहीं हमारे आस-पास ही है. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser