Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.8m)

1M સુધી પહોંચાડવા બદલ...
આભાર સહ
Matrubharti ની પૂરી ટીમ, અને
સૌ વાચક મિત્રોને મારા પ્રેમ અને લાગણીભર્યા, દિલથી નમસ્કાર🙏

Read More

લગ્ન કરવા માટે ખાલી યોગ્ય ઉંમર હોવી એ પૂરતુ નથી, પરંતુ લગ્ન પછીના જીવનની તમામ પ્રકારની સારી નરસી બાબતોના પૂરતા જ્ઞાનની સાથે-સાથે, ભવિષ્યમાં આવવાવાળી દરેક પરિસ્થિતિ સામે, સાથે મળીને લડવાની ક્ષમતા, અને છતાંય જો ન પહોંડી વળાય, તો એવી પરિસ્થિતિઓને ખમી લેવાની તૈયારી હોવી, અતિ થી પણ અતિ આવશ્યક હોય છે, નહીં તો નહીં કે લગ્નગ્રંથિથી જોડાયેલ બે વ્યક્તિ, પરંતુ એની સાથે-સાથે એ બંનેના પરિવારને પણ દુ:ખી થવાનો વારો આવતો હોય છે.
- Shailesh Joshi

Read More

વિશ્વાસ કેળવવામાં વર્ષો, ને તૂટવામાં ક્ષણ લાગે છે,
ને પાછો એકવાર તૂટયા પછી એને ફરી જોડવામાં તો,
વર્ષોના વર્ષો લાગે છે, માટે એક વાત સ્પષ્ટ પણે સમજી લેવી કે, સંબંધોમાં પરસ્પર વિશ્વાસ જાળવી રાખવા માટે, સૌથી વધારે જરૂરી જે પરિબળ છે એ છે, પરસ્પરનો પ્રેમ અને લાગણી, અને એને તોડવામાં જે સૌથી મોટું પરિબળ કામ કરે છે, એ છે, કોઈપણ પ્રકારની માંગણી, કેમકે લાગણીઓ તૂટવામાં માંગણીઓ બહુ મોટો ભાગ ભજવતી હોય છે.
- Shailesh Joshi

Read More

દરેક મા-બાપ પોતાના સંતાનો માટે ખુબજ ચિંતાઓ કરતા હોય છે, અને કરવી પણ જોઈએ, પરંતુ
સામે સંતાનોને પણ...
એક ચિંતા તો રાખવી જ જોઈએ કે,
ભલે અમારા મા-બાપ આખી જિંદગી "અમારા માટે" ચિંતાઓ કરે, પરંતુ
અમારા મા-બાપની એકપણ ચિંતા,
"અમારા લીધે" ન હોવી જોઈએ.
- Shailesh Joshi

Read More

આપણા જીવનમાં અવારનવાર આવતી જતી રહેતી મોટાભાગની મુસીબતોનું મુખ્ય "કારણ" આપણું મગજ જ હોય છે, અને મોટાભાગની મુસીબતોનું મારણ પણ આપણું મગજ જ છે, માટે જો આપણે મુસીબતોથી બચવું હોય તો એનો "યોગ્ય" ઉપયોગ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
હા આમાં આપણામાંથી જ અમુક કે પછી ઘણાબધા લોકો, એમના ભાગમાં આવતી, કે પછી એમણે જાતે જ ઊભી કરેલી મુસીબતોથી દૂર ભાગવાનો, કે પછી એ મુસીબતોને દૂર ઠેલવાનો, અથવા તો જે તે મુસીબતોથી બચવાનો, કે પછી અમુક લોકો તો એમના જીવનમાં મુસીબતો આવે જ નહીં એવો ટૂંકા ગાળાનો રસ્તો પણ શોધી લે છે, અને એ પણ એમનું મગજ દોડાવીને, પરંતુ એક વાત તો જગજાહેર છે કે, સ્વાર્થથી ભરેલા ટૂંકા ગાળાના ફાયદા માટે અયોગ્ય રીતે ખોટી દિશામાં દોડાવેલ મગજ, આપણને જે ફાયદો કરાવે છે, એ ફાયદો હંમેશા ટૂંકા ગાળા માટે જ હોય છે, ને પછી આપણને આપણો સમય એવા સમયમાં લાવીને ઊભા કરી દે છે કે, આપણું મગજ ચાલવાનું તો દૂર, બિલકુલ કામ કરવાનું જ છોડી દે છે, ને આપણે અતિશય લાચાર ભરી પરિસ્થિતિમાં આવી જઈએ છીએ, એક એવી સ્થિતિ કે જેમાં આપણે સિવાય અફસોસ બીજું કશું કરી શકવાની સ્થિતિમાં નથી રહેતા.
માટે કોઈપણ સારી નરસી પરિસ્થિતિ વખતે, ધીરજ રાખી, શાંત ચિત્તે, સમય અને સંજોગોને સારામાં સારી રીતે જોઈ સમજી લીધા પછી, જે તે બાબતે ખૂબજ ઊંડાણ પૂર્વક વિચારી જીવનમાં આગળ વધવું, એજ સાચી સમજદારી પણ છે, અને એ આપણા સુખરૂપ ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ ખૂબ અને ખૂબજ જરૂરી પણ છે.

Read More

જીવનનું તો એવું છે કે,
જે દિવસથી જીવનમાં
ફરિયાદો ઓછી થવા લાગે છે,
એ દિવસથી જ જીવવાની
મજા આવવા લાગે છે,
પરંતુ એની જાણ તો
આપણને ત્યારે જ થાય છે,
કે જ્યારે ધીરજ સાથે
એની શરૂઆત થાય છે.
- Shailesh Joshi

Read More

હમણાં આપણને જ્યાં સુખ દેખાઈ રહ્યું છે,
ત્યાં ખરેખર એ સુખ હોય પણ ખરું, છતાંય હમણાં
આપણા માટે ખાલી એ સુખ એટલું મહત્વનું ન હોવું જોઈએ, પરંતુ આપણા માટે એ સમયે અતિ મહત્વનું એ જાણી લેવું હોવું જોઈએ કે,
હમણા આપણને દેખાતા, કે મળતા એ સુખની "આવરદા" કેટલી છે ?
- Shailesh Joshi

Read More

बर्फ जैसी सर्दि हो, आग जैसी गर्मी हो, या फिर हो
जड़ से उखाड़ दे ऐसी हवाओं के साथ गिरती बारिश, ये सब कई सालों तक सहेने के बाद फिर कहीं जाकर, पेड़ पर फल फूल लगते हैं,
क्योंकि...अच्छी फसल ऐसे ही नहीं खिलती,
ठीक उसी तरह
हर बुरे दिन, बुरे वक़्त से लड़ने के लिए
खुद को तैयार रखना पड़ता है,
पसंदीदा जिंदगी ऐसे ही नहीं मिलती. डटे रहेंना पड़ता है.
- Shailesh Joshi

Read More

"પ્રેમ નથી, તો નથી"
એતો આસાનીથી "પરખાઈ જાય છે"
ખરી તકલીફ તો
"પ્રેમ છે, એ સમજવા/સમજાવવામાં"
"જીવન વપરાઈ જાય છે"
- Shailesh Joshi

Read More

કોઈપણ ચિંતા એટલી મોટી નથી હોતી,
જેટલી વિચારોમાં વર્તાય છે, છતાંય...
એનો સાચો ખ્યાલ તો
ત્યારેજ અનુભવાય છે, કે જ્યારે
કાંતો એ ચિંતાનો સામનો કરાય છે,
કે થાય છે, અને કાંતો કંઈપણ કર્યા વગર
માત્ર એ ચિંતામાંને ચિંતામાં
લાંબો સમય વહી જાય છે.
- Shailesh Joshi

Read More