The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વિશ્વાસઘાત કરેલ, અને સહેલ, બંને વ્યક્તિની ફરિયાદ, બંનેના અંતરઆત્મા દ્વારા, સીધેસીધી, અને આપોઆપ ઉપરવાળાની કોર્ટમાં નોંધાઈ જતી હોય છે, અને આપણે સૌ એતો જાણીએ જ છીએ કે, ઉપરવાળાને ત્યાં... દેર છે અંધેર નહીં. - Shailesh Joshi
વાણી વર્તન અને વ્યવહાર આ ત્રણે સારા હોય એવા વ્યક્તિ ક્યારેય કોઈનું ખોટું કરશે પણ નહીં, ને ખોટું ચલાવશે પણ નહીં, અને જેનાં ખરાબ હશે, એની પાસે તો બે ઘડી કોઈ ઊભું પણ નહીં રહે, જ્યારે કોઈ વ્યક્તિમાં આ ત્રણેય એકબીજાથી બિલકુલ વિપરીત હશે, તો ભવિષ્યમાં એ વ્યક્તિના પોતાના માટેજ, એનો આ સ્વભાવ, સૌથી મોટો ચિંતાનો વિષય બની જતો હોય છે. - Shailesh Joshi -
વાણી વર્તન અને વ્યવહારનો ઉપયોગ ફક્ત પોતાના હિત માટે કરવો, એ ખૂબજ સારી આદત છે, પરંતુ પોતાના ભલા માટે એનો દુરુપયોગ કરવાથી તો ન માત્ર પોતાનું ભવિષ્ય, પરંતુ એમાં ધીરે ધીરે સમાજનું વાતાવરણ પણ ડહોળાવાની પૂરી શક્યતાઓ અને સંભાવનાઓ રહેતી હોય છે. - Shailesh Joshi
આપણે જેવી જિંદગી ઈચ્છીએ છીએ, એવી જિંદગી તો, આપણી અંદરના ફેરફાર થકી જ મેળવી શકાય છે, બાકી બધા રસ્તાઓ તો... વહેલા કે મોડા, આપણને રસ્તા પર લાવી શકે છે. - Shailesh Joshi
વાતચીતથી લઈને સગપણ સુધી, ને સગપણથી લઈને લગ્ન સુધી, એ બે પાત્રોની વચ્ચે, અને સાથે-સાથે બંને પરિવાર વચ્ચે, જે વાતચીત થઈ રહી હોય, એ સંપૂર્ણપણે સત્ય હોય, તો મોટેભાગે એવા સંબંધોમાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી, અને કદાચ કોઈ સમસ્યા આવે, તો પછી, એનું યોગ્ય સમાધાન આવતા વાર નથી લાગતી. - Shailesh Joshi
નોકરી વ્યવસાયમાં પ્રમાણિકતા અને સમજદારી પૂર્વક ખર્ચ, આ બંને જીવનમાં, કાયમી શાંતિ સ્થાપવા માટેનો ઉત્તમ માર્ગ છે. - Shailesh Joshi
પ્રત્યેક અલગ અલગ વ્યક્તિની જીવનકથા પ્રભુએ લખેલી હોય છે, જે ભજવ્યા સિવાય કોઈનો છૂટકો નથી, માટે જીવનમાં કોઈ વિપરીત પરિસ્થિતિ વખતે એમાં ફાયદો ભલે ના દેખાતો હોય, પરંતુ ખરેખર થતાં નુકસાન કરતા વધારે નુકસાનથી બચવું હોય તો, અમુક વિકટ સંજોગોનો સામનો, કે સહન કરી લેવા બાકી અન્ય કોઈપણ પ્રકારના રસ્તાઓ કે તોડ ના શોધવો, કારણ કે, એમાંજ સાચી સમજદારી છે. - Shailesh Joshi
દુઃખોની ગણતરીઓ, અને સુખોના સરવાળા કરવામાં જીવનમાંથી શાંતિની બાદબાકી જ થતી હોય છે, બાકી હયાત સ્થિતિ પ્રમાણે જીવવામાં જ... જીવનની ખરી મજા મળતી હોય છે, અથવા તો ધીરે ધીરે આવતી હોય છે. - Shailesh Joshi
જો આપણે ઘણા લાંબા સમયથી કોઈ કામમાં અતિ વ્યસ્ત રહેવા છતાં, અથાગ પરિશ્રમ કરવા છતાં, જો આપણને આજે પણ એમ લાગતું હોય કે, આપણે જે ઈચ્છીએ છીએ, એમાં હજી કંઈક ખૂટે છે, તો..... તો એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે, આપણી શક્તી, આપણો સમય અને આપણી આવડત, અવળી દિશામાં ખર્ચાઈ રહ્યો છે, અને આમ થવા પાછળનું કારણ એજ કે, આપણામાં ધીરજનો અભાવ, પોતાની આવડત ઉપર વિશ્વાસની કમી, અને લોકો આગળ નીકળી જશે, અને હું પાછળ રહી જઈશ, મતલબ કે, નિષ્ફળ જવાનો ડર.....ઘર કરી ગયો છે. એના માટે શ્રધ્ધા અને સબૂરી સાથે મહેનત ચાલું રાખવી, અને પ્રયત્ન.... એ તો ક્યારે કરવા ? કેટલા કરવા ? અને કેવા કરવા ? એ પહેલાં શીખી લેવું. ભલે મોડું, પરંતુ ધાર્યું પરિણામ તો આટલું કર્યા પછી જ પ્રાપ્ત થશે.
🙏સળગતો પ્રશ્ન🙏 સંતાનને એની પસંદગી પ્રમાણે જીવનસાથી પસંદ કરવાની છૂટ આપવી એમાં કંઈજ ખોટું નથી, પરંતુ એ જે પાત્ર પસંદ કરે છે, એની પાછળનું મૅજિક, લૉજિક, કે પછી સાદી ભાષામાં કહીએ તો, એનું ગણિત શું છે ? એ જાણવું પ્રત્યેક માતા-પિતા માટે ખૂબજ જરૂરી છે, કેમકે મુખ્યત્વે એની ઉપર જ, જે તે સંતાનનું ભવિષ્ય નિર્ભર કરે છે, સાથે-સાથે મા-બાપની ચિંતામાં, અને ઘર પરિવારની આબરુમાં વધારો, કે ઘટાડો કરતું પરિબળ પણ એમાં જ છુપાયું હોય છે, ને વિશેષમાં આપણા સમાજનું સામાજિક માળખું, સભ્યતા, અને સંસ્કૃતિને પણ હાનિ પહોંચી શકે છે. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser