Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.9m)

जीवन के नियम भी गणित जैसे होते है, जैसे गणित में, सिर्फ सही उत्तर कुछ मायने नहीं रखता, वैसे ही, जीवन की समस्याओं के हल तक पहुंचने के भी अपने नियम होते हैं, यदि हमें सही तरीके से हमारी समस्याओंको हमेशा के लिए दूर करना हो, तो हमें "वह सभी नियमों का पालन
करना होगा" जो नियम
"समय, और इंसानियत के अनुरूप हो"
- Shailesh Joshi

Read More

क्या चाहिए ?
क्यों चाहिए ?
और कैसे ?
यहीं तीन सवालों के जवाबों के साथ,
हर किसीका भविष्य जुड़ा है,
फिर भी कोई सही, और
कोई गलत रास्ते पर मुड़ा है.

Read More

जब सपने अधूरे हो, और इसे
पूरा करने की तमन्ना पूरी हो,
तब जीने का जो मजा आता है,
ऐसा मजा.....और कहां ?
- Shailesh Joshi

પ્રશ્ન નંબર 1 - કે
સુખી કોને નથી થવું ?
અને પ્રશ્ન નંબર 2 - કે
દુઃખી થવા કોણ માંગે છે ?
પહેલા પ્રશ્ન નો જવાબ છે,
કે સૌ કોઈ સુખી થવા માંગે છે.
અને બીજા પ્રશ્ન નો જવાબ છે,
કે એવું કોઈ નથી જે દુઃખી થવા માંગે છે.
પરંતુ એક એવો પણ રસ્તો છે,
કે આપણે આ બંનેમાંથી કોઈપણ જગ્યાએ પહોંચીએ,
સુખ, સુધી કે દુઃખ સુધી, પરંતુ આપણને એ બંને જગ્યાએ સંતોષનો અનુભવ તો ચોક્કસ થશે,
કેમકે એ રસ્તે ભલે આપણને સુખ મળે, કે દુઃખ મળે, છતાંય
સંતોષ તો થશે થશે ને થશે જ,
કારણ કે, એના જેવું સારું સુખ,
કે એના જેવું દુઃખ બીજું એકે નથી.
એના માટે આપણે કરવાનું માત્ર એટલું જ કે,
સુખ સુધી પહોંચવા માટે આપણે જે પણ કંઈ પ્રયત્નો, અને મહેનત કરીએ, એ પ્રયત્નો અને મહેનત,
કોઈપણ ક્ષેત્રની આપણી વિશેષ આવડત પર હોવા જોઈએ, અને એમાં પણ જો આપણે આપણા મગજનો વિશેષ ઉપયોગ કરીએ તો એ પણ, આપણા જ્ઞાનને, આપણી આવડતને આપણે વધારે સારી, અને અસરકારક કેવી રીતે બનાવી શકીએ ?
એના માટે કરવો, નહીં કે ખોટી રીતે,
કે પછી,
ટૂંકો રસ્તો શોધવા આપણે આપણા મગજનો ઉપયોગ ગેર-વ્યાજબી રીતે કરીને.
પછી તમે જોજો કે એમાં આપણને આપણી સફળતાનું પરિણામ,
પૂરું મળે, કે ઓછું, બાકી અંતરનો આનંદ તો અનેરો જ હશે,
કેમકે આપણે જે કંઈ મેળવ્યું છે,
એ પૂરેપૂરું સાચા રસ્તે, કોઈનું અહિત કર્યા વગર, અને આપણા પોતાના દમ પર પ્રાપ્ત કર્યું હોય છે.
સાથે-સાથે જો આપણામાં ધીરજનો ગુણ હશે, તો તો આમાં સંપૂર્ણ અસફળ રહેવાના ચાન્સ બિલકુલ નહિવત્ રહેલા છે. છતાં પણ
જો આપણે નિષ્ફળ રહીએ, તો એનું દુઃખ ઓછું, અને સાચા પ્રયત્નો અને મહેનત કર્યાનો સંતોષ વધારે હશે.
બાકી આપણી કોઈ વિશેષ આવડત દ્વારા સુખી થવાના રસ્તા સિવાય,
સુખી થવા માટેનો બીજો એક પણ રસ્તો અપનાવ્યો, તો એમાં છેલ્લે દુઃખ સિવાય બીજું કશું આપણા ભાગ્યમાં નહીં બચે, એ નક્કી છે, અને
એ દુઃખ પણ એવું હશે, જે આપણાથી દૂર નહીં થાય, એને તો ભોગવે જ છૂટકો, માટે જીવનમાં હંમેશા, એક સારા કામની આવડત, અને એ આવડત પરથી સુખી થવાનું ધ્યેય ચોક્કસપણે રાખવું રાખવું ને રાખવું જ.
🙏સમજાય એને વંદન અને
ના સમજાય એને વિનંતી🙏

Read More

કોઈપણ પરિસ્થિતિ આપણને એટલું નુકસાન નથી પહોંચાડી શકતી,
જેટલું નુકસાન આપણે એને
વધારે પડતું વિચારતા રહીએ,
એનાથી થતું હોય છે.
- Shailesh Joshi

Read More

वो मुजे क्या, क्या दे सकता है ? या दे सकती है ?
ये तो कतई मत देखो, किन्तु.....वो मेरे लिए क्या, क्या छोड़ सकता है ? या छोड़ सकती है ? प्यार में तो बस इतना देखो, क्योंकि ये प्यार हैं, और प्यार में एकदूसरे को कुछ लेने देने से ज्यादा, एकदूसरे की खुशी के लिए, जब कोई ऐसी नोबत आए, तो कुछ छोड़ने की तैयारी होना, इसे ही प्यार कहते है, क्योंकि जीवन में एकदूसरे को हम क्या, क्या दे पाएंगे...? ये तो समय के हाथ में होता है, लेकिन एकदूसरे के लिए हम क्या, क्या छोड़ सकेंगे, ये तो निःसंकोच...
हमारे बस की ही बात है.
- Shailesh Joshi

Read More

"સરળ" વ્યક્તિને ઓળખવા જેટલું "અઘરું",
બીજું એકે કામ નથી.
- Shailesh Joshi

બાળપણથીજ સંતાનોને ખાલી એટલુંજ શીખવાડવું
કે એ ક્યાં, અને કોની સાથે ફરે છે ? અને ત્યાં એ
"શું કરે છે" ? એટલું રોજેરોજ "ઘરે કે"
આટલું કરવાથી આગળ જતાં, જે તે બાળકને, અને એના માતા-પિતાને ચમત્કારિક ફળ મળે છે.
- Shailesh Joshi

Read More

પ્રેમ ( 💯 ) સો ટકા સાચો છે, એની સાચી ખબર ક્યારે, અને કેવી રીતે પડે ? તો એનો સાચો જવાબ જાણવા માટે આપણે
એ પ્રેમને 20 × 5 માં વિભાજીત કરી લેવા, અને પછી.....
લગ્નગ્રંથિથી જોડાયા બાદ, સાચા પ્રેમના 100 ટકા પૂરા ન થાય ત્યાં સુધી, દર દસ વર્ષે વીસ વીસ ટકા ઉમેરતા રહેવું.
આનાથી આપણા પ્રેમમાં કેટલા ટકા સચ્ચાઈ છે ? એકબીજા પ્રત્યે કેટલા ટકા સાચો પ્રેમ, અને સાચી લાગણી છે ? તેમજ બંનેમાં, સહનશીલતા, અને સમર્પણની ભાવના કેટલી છે ? એની પૂર્ણ ટકાવારી મળી જશે, અને એના માટે બંને તરફથી જરૂરી છે, ધીરજ, શાંતિ અને વિશ્વાસની, અને એ પણ પ્રેમ સાથે.
હવે દર દસ વર્ષે 20 ટકા ઉમેરાય છે, એનાથી ઓછા ઉમેરાય છે, કે પછી એનાથી વધારે ?
એનો આધાર તો લગ્નગ્રંથિથી જોડાયેલા જે તે બે વ્યક્તિઓ પર, અને એ પણ...પૂર્ણપણે આધારિત છે.

Read More

કોઈ આપણા માટે
કેટકેટલું, અને શું શું કરી શકે છે ?
એનો સાચો જવાબ,
ખાલી શબ્દો ક્યારેય ન હોઈ શકે,
એનો સાચો જવાબ તો હકીકત જ આપી શકે,
અને સાચી હકીકત જાણવા માટે
કોઈપણ વ્યક્તિ પાસે,
સમયથી મોટો બીજો કોઈ વિકલ્પ નથી હોતો,
અને સમય આપણી પાસે
"ધીરજ" સિવાય બીજું કશું નથી માંગતો.
- Shailesh Joshi

Read More