Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(2.2m)

જીવનમાં આર્થિક સંકટ હોય એટલે નાની નાની તકલીફો તો આવતી જ રહે, પરંતુ
જ્યારે આર્થિક સ્થિતિ સારી, કે
મજબૂત બને, પછી તો મોટી, કે પછી મોટી મોટી
સમસ્યાઓ આવવાના ચાન્સ વધી જતાં હોય છે,
અને એનાથી બચવા માટે "સાવધાન" રહેવું એજ
એક વિકલ્પ હોય છે,
એ માનવું રહ્યું
- Shailesh Joshi

Read More

મહેનત અને પ્રામાણિકતાથી કમાયેલ પૈસો
ક્યાં વાપરવો ? એ ની:સંકોચ
આપણા હાથની વાત છે, બાકી
અન્ય કોઈ ખોટી રીતે ભેગો કરેલ રૂપિયો
ક્યાં જશે ?
એતો સમયજ નક્કી કરતો હોય છે.
- Shailesh Joshi

Read More

કોણ, ક્યારે, કેટલીવાર અને કેવી રીતે યાદ કરે છે ? ની સાથે-સાથે, પ્રભુ ખાસ ધ્યાન
એ વાત પર પણ રાખે છે કે,
શા માટે યાદ કરે છે ?
- Shailesh Joshi

Read More

1 - શું આપણે આપણા ઘરના સભ્યો સાથે, હળવી વાતો, કે પછી વ્યવહારિક કે આર્થિક સંવાદ કરીએ છીએ ?
2 - શું આપણે આપણા ઘરમાં પૂજાપાઠની સાથે-સાથે, રોજ, આંતરે દિવસે, કે પછી અઠવાડિયામાં એકાદ વાર મંદિર જઈએ છીએ કે નહીં ?
3 - શું આપણે આપણા આડોશ-પાડોશમાં, અને સગા-વ્હાલાના સંબંધો જાળવી રાખવામાં સમય કાઢીએ છીએ કે નહીં ?
4 - શું આપણી કોઈ માંગણી, ઈચ્છા કે સપનું, આપણા ઘરની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જોઈએ, કે રજૂ કરીએ છીએ, કે નહીં ?
👉આટલા પ્રશ્નો પોતાને પુછતા પુછતા, સામે એ પણ વિચારતા રહેવું કે, રોજેરોજ મારો સમય, અને પૈસો,
ક્યાં-ક્યાં, અને કેટલો વપરાય છે ?
આના ઉપરથી આપણને સાચો ખ્યાલ આવી જશે કે,
આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ ? અને આગળ જતાં
આપણે ક્યાં પહોંચીશું ?

Read More

આપણે સૌ રાત્રે ઊંઘમાં સપનાઓ જોઈએ છીએ, અને
સવારે આપણને ઈશ્વર જગાડે છે,
આ બિલકુલ સામાન્ય વાત છે, પરંતુ આપણે જ્યારે જાગતા હોઈએ, અને ત્યારે આપણે જે સપનાઓ જોઈએ છીએ,
એમાં આપણે જાતે જાગવાનું હોય છે.
સમજાય એને વંદન, અને ના સમજાય એને વિનંતી મારા ભાઈ.

Read More

इश्क में
बिछड़ने वाली नौबत,
असल में, अपने प्यार को
और मजबूत बनाने का
मौका होती है.
- Shailesh Joshi

જેના જીવનમાં
પરિચિતોની સંખ્યા વધારે હોય,
પરંતુ એમનાથી આશાઓ ઓછી હોય છે,
એના જીવનમાં
સુખ ભલે ઓછું, પરંતુ
શાંતિ વધારે હોય છે.
Shailesh Joshi

Read More

મનમાં જે હોય એ બધુંજ.....
શક્ય હોય એટલી વહેલી તકે....
સંબંધિત વ્યક્તિને જણાવી દેવું.....
કેમકે આમ કરવાથી....
જે તે સંબંધ બંધાયેલો તૂટતાં, અને
બંધાઈ રહેલો સંબંધ, કાંતો મજબૂતાઈથી બંધાઈ શકશે, કાંતો બંનેમાંથી કોઈનો વધારે સમય, કે સંબંધ બગાડયા વિના એના પર પૂર્ણવિરામ આવી જશે.
અને વિશેષમાં કે,
આ રીતે ચોખવટ પૂર્વક બંધાયેલ સંબંધોમાં આગળનાં જતા ફાયદો એ મળશે કે,
જે તે બંને વ્યક્તિઓની, કોઈપણ વાત, વિચાર, વસ્તુ કે પછી કોઈ જરૂરી જરૂરિયાત.....
મનની મનમાં નહીં રહે.
બાકી આમાં ચૂક્યા તો,
બંનેની, કે પછી કોઈ એકની ઘણી બધી વાતો, વિચારો કે પછી સપનાઓ,
મનમાં રહી જવાની સાથે-સાથે,
એ વાત પણ શક્ય છે કે....
કોઈ એકને, કે પછી એ બંનેને,
એમના ભવિષ્યમાં,
કેમ છો ? એટલું કહેવાવાળું પણ કોઈ ન રહે.

Read More

ઈચ્છાઓ બે પ્રકારની હોય છે,
એક જે અંદરથી ઉદભવે છે,
જ્યારે બીજી, એતો સતત બહારના
પરિબળોથી આકરસાઈને, એક પછી એક,
ઉદભવતી જ રહે છે,
આમાં પહેલી ઈચ્છા છે,
એ લગભગ આપણે પોતે
પુરી કરી શકીએ છીએ,
જ્યારે બીજી ઈચ્છાઓ,
"લગભગ આપણને પૂરા કરી દેતી હોય છે.
- Shailesh Joshi -

Read More

આપણા સૌની જીંદગીમાં, આપણી સફળતામાં સહયોગ આપે એવા લોકો હોય છે જ, પરંતુ એવા લોકોની સંખ્યા, પરાણે આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોય છે, અને એમને શોધવા માટેની પણ, શર્ત તો માત્ર એટલી જ કે, જે લોકો સફળતા મેળવવા માંગતા હોય, એવા લોકોએ, બિલકુલ થાક્યા હાર્યા સિવાય, અઢળક લોકો સાથે, પરિચય પણ કેળવવો પડશે, એમને ઓળખવા ને સમજવા પણ પડશે, ને જરૂર પડે, અજમાવવા પણ પડશે, કેમકે...
"જીવનમાં ડાયરેકટ કશું નથી થતું"
- Shailesh Joshi

Read More