The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ દરેક વ્યક્તિનાં જીવનની જરૂરિયાતો, ઈચ્છાઓ, કે સપનાઓ લગભગ એકસરખા જ હોય છે, જેમકે, સુખ, શાંતિ, અને સુવિધા, અને આ ત્રણ મેળવવા માટે, દરેક વ્યક્તિ પોતાનું અડધું, કે પોણું જીવન ખર્ચી નાંખે છે, અને છતાંય એમાંથી ઘણા બધા લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી, કે પછી જો ત્યાં સુધી તેઓ પહોંચે છે તો પણ એમને પોતાને જે મળ્યું છે એનો પૂર્ણ સંતોષ થાય, એવું પરિણામ તો પ્રાપ્ત નથી જ થઈ શકતું, અને એમાં... અમુક લોકો તો સુખ સુવિધા અને શાંતિ માટે એટલા બધા પ્રયત્નો કરે, છતાં...છેલ્લે થાય છે શું ? થાય છે એવું કે, એમનું જીવન પૂરું થઈ જાય છે, અને સામે એમની ઈચ્છાઓ અને સપનાઓ તો અધૂરા જ રહી જાય છે. પરંતુ આનો એક બિલકુલ આસાન રસ્તો પણ છે, જે રસ્તા પર ચાલવાથી સુખ સુવિધા અને શાંતિ આપોઆપ સામેથી મળે છે, આમ તો એ કામ સાવ સહેલું છે, બસ ખાલી એને શરૂ કરવું, અને પકડી રાખવું થોડું અઘરું છે. એ કામ એટલે, પોતાની ચિંતાઓ ઓછી કરવી, અને પોતાનાઓની ફિકર વધારે.
જીવનમાં જે કરવું છે, કરવા જેવું છે, એના વિશે ઘણા લોકો, હદ બહારનું વિચારે છે, અને જે નથી કરવા જેવું, એ કરતી વખતે તો એ, જરા સરખું પણ ક્યાં વિચારે છે ? ને પછી એમાંને એમાં, જે તે વ્યક્તિ પાસે સમય તો ખૂબ બચે છે, પરંતુ એ બચેલો સમય, વિચારવામાં ઓછો, અને અફસોસ કરવામાં વધારે વપરાય છે. - Shailesh Joshi
એકવાર જો વિકટ પરિસ્થિતિઓને મૌન રહીને જોતા અને સમજતા આવડી જાય, તો બાકીનું બધુંજ શીખવાડવાની જવાબદારી સમય ઉપાડી લેતો હોય છે. - Shailesh Joshi
સુખ અને દુઃખ વિશે બહુ ઊંડું ન વિચારવું, કારણ કે, આ બંનેમાં સુખ જે છે એ આપણી પાસે આવવા માટે અતિશય માન માંગશે, જે આપણે આપી નહીં શકીએ, અને દુઃખ જે છે, એતો ખુબજ હઠીલું છે, એટલે એતો આપણને છોડીને જવાનું નામ જ નહીં લે.
અમુક કામો થશે, કે નહીં થાય ? એ વિચારવામાં આપણો જેટલો સમય જાય છે, એના કરતાં અજમાવી લેવામાં, આપણા ઘણા બધા કામો થઈ જાય છે, અને બાકી વધેલા કામો, કેટલા, અને કેમ રહી જાય છે ? એની પણ આપણને ખબર પડી જાય છે, બાકી તો, જે વિચારવામાં જ રહી જાય છે, એ રહી જ જાય છે.
ઉચ્ચ વિચારો, ઊંચું ધ્યેય, કંઈક વિશેષ કરવાની લગન, સતત કાર્યશીલતા, પ્રામાણિકતાની સાથે-સાથે પરોપકારની ભાવના, આ બધાજ..... આપણી જીંદગીની છબીને એડિટ કરી ચમકાવવા માટેના ટુલ્સ છે.
એક વારમાં આપણું ધાર્યું ન થાય, એ સ્વાભાવિક છે બે વારમાં પણ જો આપણું કામ ન થાય, કોઈ વાર એવું પણ બની શકે, ને જો એજ કામમાં, આપણને ત્રણ કે ચાર પ્રયત્ને સફળતા મળે, તો એ આપણું નસીબ. પણ જ્યારે કોઈ કામની સફળતા માટે આપણા અસંખ્ય પ્રયત્નો નિષ્ફળ જવા લાગે..... તો આપણે સમજી લેવું જોઈએ કે, કાંતો આપણે ખોટા રસ્તે પ્રયત્ન કરી રહ્યા છીએ, કાંતો આપણી માંગણી ખોટી છે.
❤️પ્રેમ સમજવાની બાબત છે💞સમજાવવાની નહીં❤️ પહેલાંના સમયમાં પ્રેમની શરૂઆત એટલી ધીમી થતી, કે સામેના પાત્રને એની જાણ કરવા માટે મહિનાઓ, કે વર્ષો પણ લાગી જતા. એ સમયે કોઈ મધ્યસ્થી, કે પછી ચિઠ્ઠીના સહારાની અચૂક જરૂર પડતી. જો કોઈ મધ્યસ્થી દ્વારા જાણ કરવાનો મનમાં વિચાર આવે તો..... મધ્યસ્થીને શું કહું ? કેવી રીતે કહું ? ફલાણા વ્યક્તિ દ્વારા કહું, કે ઢીંકણા વ્યક્તિને વચ્ચે રાખું ? કે પછી ડાયરેક્ટ ચિઠ્ઠી લખી નાખું ? ચિઠ્ઠી લખું તો એમાં શું લખું ? કેટલું અને કેવું લખું ? અને આમ આટલું વિચારવામાં, ને વિચારવામાં લગભગ મહિનાઓ, અને અમુક કિસ્સાઓમાં તો વર્ષો પણ નીકળી જતાં, અને અમુક પ્રેમ તો એવા થતાં, કે જાણ કરવામાં મહિનાઓ કે વર્ષો નહીં, પરંતુ સામેનું પાત્ર જ જીવનમાંથી ( અહીં હાથમાંથી ન લખાય ) નીકળી જતું, મતલબ કે, કોઈ એક પાત્ર અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી પોતાના અલગ સંસારના શ્રી ગણેશ કરી લેતું. કહેવાનું તાત્પર્ય એટલું જ કે, એ સમયે સૌથી વધારે વિચાર સામેના પાત્રનો કરવામાં આવતો, જેમકે... એને ખોટું તો નહીં લાગે ને ? હું આમ કહું, કે આમ લખું તો એને નહીં ગમે. આવું આવું વિચારીને આઠ દસ ચિઠ્ઠી તો ફાડી નાખી હોય, અને અગિયારમી ચિઠ્ઠી લખવાની તૈયારી કરતી વખતે પણ પહેલો વિચાર તો સામેની વ્યક્તિની પસંદ ના પસંદનો કરવામાં આવતો, કેમકે "હું એને પ્રેમ કરું છું, એની સાથે જીંદગી જીવવા માંગુ છું" અને અત્યારે ભલે જમાનો મોડર્ન, ઝડપી, અને ટેકનોલોજીનો છે, કપડાં, રહેણી કરણી, બધું બદલીએ, પરંતુ પ્રેમ તો પ્રેમ છે યાર, એને કેવી રીતે બદલાય ? અને જો બદલાય તો પછી એને પ્રેમ કેવી રીતે કહેવાય ? કારણ કે પ્રેમ એ પ્રેમ છે, અને એ બંને બાજુથી, કાયમ માટે, બંને વચ્ચે જ રહેવાનો, અને રોજબરોજ, દિન-પ્રતિદિન વધતો ને વધતો જ રહેવાનો, કેમકે એતો પ્રેમનો મૂળ સ્વભાવ છે. ટૂંકમાં એટલું માનવાનું કે, જ્યાં સુધી અમે બંને પુરી જિંદગી એકબીજા સાથે રહી શકીશું, એટલો વિશ્વાસ બંનેને એકબીજા પર નહીં, પોતપોતાના પર ન આવે, ત્યાં સુધી જે તે બે વ્યક્તિ વચ્ચેના સંબંધને પ્રેમનું નામ ન આપવું જોઈએ. અને આ ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને વ્યક્તિ એકબીજાને સારામાં સારી રીતે સમજે, ઓળખે, અને સાંભળે, તેમજ, સમજ્યા, ઓળખ્યા અને સાંભળ્યાં પછી પણ જો કોઈ કોઈવાર મતભેદ જેવું લાગે, ત્યારે એકબીજાને જવાબ આપતા પહેલા, સામેનો વ્યક્તિ મે પોતે પસંદ કરેલ મારો પ્રેમ છે, મારી જિંદગી છે, બસ આટલું વિચારી, થોડો સમય લઈને નિર્ણય લેવો, તો જીવનમાં ગમે તેવા, ને ગમે તેટલા મતભેદો ઉભા થાય, પરંતુ એ બે પ્રેમીઓ વચ્ચે પોતાની જગ્યા ક્યારેય નહીં બનાવી શકે, એ હકીકત છે. એના માટે બંને લોકોએ ભેગા થતાં સમયે, પ્રેમમાં બંધાતા સમયે પોતપોતાને, અને એકબીજાને પણ, એક વચનમાં બાંધી લેવા કે, અમારા જીવનમાં નાની મોટી ભલે હજ્જારો, લાખ્ખો મુસીબતો, અડચણો, તકલીફો કે ગમે તેવા, અને ગમે તેટલા કપરા, વિકટ કે અતિ વિકટ સંજોગો આવે, અમે બંને એની સામે અડીખમ રહી એનો સામનો કરીશું, કે પછી સહન કરી લઈશું, પરંતુ એમાંથી એકે ને, અમારા બંનેની વચ્ચે નહીં આવવા દઈએ. પ્રેમ ભલે આપણે કરીએ, પરંતુ આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, આપણા પ્રેમમાં ઈશ્વરના આશીર્વાદ ભળેલા હોય છે, માટે એનું જતન, અને આદર કરવો, કેમકે એ પણ પૂજાથી ઓછું નથી.
"જીવનનું જાણવા જેવું" જ્યાં સુધી આપણને કષ્ટ નહીં પડે, ત્યાં સુધી આપણા જીવનમાંથી કષ્ટ દૂર નહીં થાય, મતલબ કે, આપણે જ્યાં સુધી સહન કરતા, જતું કરતા, કે પછી ચલાવી લેતા નહીં શીખીએ, ત્યાં સુધી, આપણા જીવનમાં સહન કરવાનું, ના છુટકે જતું કરવાનું, અને અને ના-મનનું ચલાવી લેવાનું ચાલું જ રહેશે. માટે જો આ વાત આપણે જેટલા વહેલા સમજી લઈશું, એટલું આપણા ફાયદામાં રહેશે.
કોઈપણ વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન બાબત કોઈપણ હોય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એને સહકાર આપવાની ના પાડે, ત્યારે મોટેભાગે, એ "ના" ની અંદર લાંબે ગાળે તે વ્યક્તિનો "ફાયદો" છુપાયો હોય છે, અને એનાથી વિપરીત કે, આપણે આપણા જીવન દરમિયાન, જ્યારે જ્યારે કોઈપણ વ્યક્તિને કોઈપણ બાબતે ના પાડતા હોઈએ, તો મોટેભાગે આપણી એ "ના" આપણાં માટે જ, નુકશાન કારક જ સાબિત થતી હોય છે. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser