The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રભુએ સૌને આ બે શક્તિ આપી છે, એક - "ચિંતાઓને મુક્ત કરવાની" અને બે જેટલા રહેવું હોય એટલા "ચિંતા ગ્રસ્ત રહેવાની" હવે આમાંથી આપણે કઈ શક્તિ વાપરવી ? એ આપણે નક્કી કરવાનું છે. - Shailesh Joshi
ફરિયાદો કરવા, કે સાંભળવા માટે નથી હોતી, એતો ગળવા માટે હોય છે. - Shailesh Joshi
આપણે ઘણું બધું જોવા ન જોવા જેવું જોઈએ છીએ, પછી એને ઘણી બધી રીતે વિચારીએ છીએ, અને અંતે કરવા ન કરવા જેવું પણ કરીએ છીએ, પરંતુ આ બધું અન્ય કોઈ જુએ કે ન જુએ, જાણે કે ન જાણે, પરંતુ ઈશ્વરની ધ્યાન અને જાણ બહાર કંઈ જ નથી હોતું, બસ કાયમ માટે જો આપણે આટલું ધ્યાનમાં રાખીશું તો આપણે ભલે સુખી થઈએ કે ના થઈએ, બાકી દુ:ખી તો ક્યારેય નહીં થઈએ. - Shailesh Joshi
જે માણસની રોટલાની અને ઓટલાની જરૂરિયાત પૂરી ન થાય, ત્યાં સુધી એ માણસ પાસે બીજી કોઈ બે મતલબની વાત નથી હોતી, અને જેવી એની આ બે જરૂરિયાત "સંતોષાઈ જાય છે" એવો જ માણસ, કેમ બે મતલબની વાતોમાં "સપડાઈ જાય છે" - Shailesh Joshi
જીવનમાં ફક્ત ને ફક્ત ધાર્યું કરવાનો સ્વભાવ, આપણા જીવનમાં ઘણું બધું અજુગતું, અને અણધાર્યું કરાવે છે. - Shailesh Joshi
સારા ભવિષ્યની આશા કોને ફળે ? આપણા માટે શું સારું, ને શું ખરાબ ? એ આપણો સમય અને આપણા સંજોગો, આપણા કરતા વધારે સારી રીતે જાણે છે. માટે આપણે સારું ખોટું નક્કી કરવાની મથામણમા પડ્યા સિવાય, એ જે કરે એના પર વિશ્વાસ રાખી જીવનમાં આગળ વધવું, કેમકે એમાં જ આપણું ભલું છે. જુઓ આ યુ-ટ્યૂબ શોર્ટ https://youtube.com/shorts/Gxa4KjQ_fIg?si=Ej-vszsNBWjFQvjQ
સફળતાની સીડી સારો વિચાર, એના પર અડગ વિશ્વાસ, ને એનો દિલથી અમલ, સાથે-સાથે યોગ્ય સમયે યોગ્ય મહેનત, અને અપાર ધીરજ... બસ આટલું જે પણ કોઈ એક વ્યક્તિમાં હોય, એવો વ્યક્તિ એના જીવનમાં સફળ થયા વગર નથી રહેતો. - Shailesh Joshi
❤️દિલને❤️ સૌથી વધારે નુકશાન પહોંચાડી શકે એવું બીજું કશું હોય તો એ છે... 👉દિમાગ👈 પછી એ આપણું હોય, કે પછી અન્ય કોઈનું✍️ માટે એનો ઉપયોગ ખૂબજ સમજદારી પૂર્વક કરીએ🤔 Shailesh Joshi
જીવનમાં કરવા જેવા જે જે કામ છે, એ બધા કામ કોઈપણ કારણસર જો હમણાં આપણે નથી કરી રહ્યાં તો જ્યારે એ કામ કરવાનો વખત આવશે, ત્યારે આપણે આ એક વાત યાદ રાખીએ કે, એ સમયે 100 એ 100 % ખૂબ મોડું થઈ ગયું હશે, અને આ વાત હળવાશમાં લેવા જેવી તો બિલકુલ નથી, કારણ કે વહેલો કે મોડો, આપણા સૌના જીવનમાં એવો વખત, 100 નહીં, પરંતુ 200 % આવે આવે ને આવે જ છે. - Shailesh Joshi
જે સમયથી ફરીયાદો નામશેષ થવા લાગે એજ દિવસથી જીવનમાં શાંતિનો પ્રવેશ થવા લાગે - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser