The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
जब अपने दुखों से ज्यादा अपनों के दुःख सताने लगे तब समज लेना कि हमनें जीवन का सही अर्थ समझ लिया है. - Shailesh Joshi
काफी सारे लोग "तक ढूंढते है" इनमे से कुछ लोग "तक पाते है" या "खड़ी करते हैं" और बहुत ही कम लोग होते है जो, खुद को "तक बनाते हैं" फिर ऐसे लोगों को "लोग ढूंढते है" इन्हें "पाना चाहते है" इनके साथ "खड़े होना" या इनके साथ "काम करना चाहते हैं" - Shailesh Joshi
આપણો સારો સમય, જીવન જીવવાની મજા, સમજદારી, અને દુનિયાદારી, જીવનમાં આ બધુંજ આવશે, શર્ત માત્ર એટલી જ કે, આપણે જે પણ કોઈ નોકરી, કે ધંધો કરતા હોઈએ, ત્યારે આપણા કામકાજના સમય દરમિયાન, આપણને બીજી કોઈ જરૂરી, કે બિન જરૂરી પ્રવૃતિ માટે સમય ન મળતો હોય, કે પછી મહાપરાણે મળતો હોય, એના સિવાય આપણે ચાલાકીથી, કે અન્ય કોઈ રીતે એવો સમય બિલકુલ ન કાઢતા હોઈએ. અને વાત નંબર બે કે, જો હજુ આપણે નોકરી ધંધો કરીએ, એ ઉંમર ન પહોંચ્યા હોઈએ, તો ત્યાં સુધી..... આપણે આપણા જીવનના પ્રત્યેક દિવસને એ પ્રમાણે જ જીવવો જોઈએ કે, સાંજ પડે આપણને જો કોઈ એમ પૂછે કે, આજે શું કર્યું ? તો આપણે એનો, "સાચો જવાબ આપી શકીએ"
પુસ્તક, અને મગજ "પાસે હોવાથી" જીવનમાં કોઈ ફરક નથી પડતો, પરંતુ જે તે પુસ્તકને ખોલી, ધ્યાનથી વાંચન કરવાથી, અને મગજને ખુલ્લું રાથી, ધ્યાનપૂર્વક, અને યોગ્ય રીતે એનો "ઉપયોગ કરવાથી પડે છે" - Shailesh Joshi
ઘર પરિવારની શાંતિ, અને પ્રગતિ માટે, સૌથી પહેલો, અને સહેલો અસરકારક ઉપાય એ છે કે, ઘરના સભ્યોની સંખ્યા બે હોય, ત્રણ હોય, ચાર હોય કે પછી એનાથી વધારે હોય. દરેક સભ્ય એક વાતનું સંપૂર્ણ ધ્યાન રાખે કે, એમણે એવી કોઈ જ ઈચ્છા ન રાખવી, એવું કોઈ જ સપનું ન જોવું, કે પછી એવું કોઈ કામ ન કરવું, જે ઘરના બાકીના સભ્યો માટે ચિંતાનો વિષય બની જાય, કે પછી ઘરનું વાતાવરણ તંગ બની જાય, અને જતા દિવસે આપણા ઘરની સામે કોઈ આંગળી ઉઠાવે, કે પછી આડીઅવળી વાતો કરે. કારણ કે, મારા, તમારા કે પછી કોઈપણ વ્યક્તિના ઘરની શાંતિ, ત્યાં સુધી જ જળવાઈ રહે છે, કે જ્યાં સુધી, ઘરના તમામ સભ્યો, એકબીજાના માટે ચિંતા કરતા હોય, નહીં કે ઘરના કોઈ સભ્યને લીધે બાકીના સભ્યો ચિંતામાં રહે, કે રહેતા હોય.
આપણી નાની મોટી તમામ વિકટ પરિસ્થિતિઓનો, જો સહજતા, અને સ્વસ્થતા પૂર્વક, એને સ્વીકારમાં, એનો સામનો કરવામાં, કે પછી એનું સમાધાન શોધવામાં આવે, તો..... તો તો આપણા જીવનમાં સુખ, અને શાંતિ પ્રાપ્ત કરવા માટે, આપણે હમણાં જે જે, અને જેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ, એ પ્રયત્નો, આપોઆપ અડધા થઈ જાય. પરંતુ હા... આ કહેવું જેટલું સહેલું છે, એને અમલમાં મૂકવું એટલું જ અઘરું છે, પરંતુ જરૂરી તો છેજ. કારણ કે, સુખનું સ્થાન હંમેશા દુઃખની પાછળ જ હોય છે, માટે જો આપણે દરેક દુઃખથી, દરવખતે, છેટા ને છેટા ભાગતા ફરીશું, કે પછી દુઃખને આપણાથી છેટું કરવા માટે, એને ધક્કો મારતા રહીશું, તો એની સાથે આપણું સુખ પણ આપણાથી કાયમ માટે, છેટુંને છેટુંજ રહેશે, અને જો આપણે આપણા દુઃખને સ્વીકારી ગળે લગાડતાં થઈશું, તો એની પાછળ જ, આપણને આપણા સુખનું ચિત્ર ભલે ધીરે-ધીરે, પરંતુ એ ચિત્ર સ્પષ્ટ દેખાવા માંડશે, અને પાછું આના માટે આપણે વધારે કંઈ જ કરવાની આવશ્યતા નથી, કરવાની છે માત્ર પોતે અંદરથી મજબૂત બનવાની શરૂઆત.
જીવનમાં કેટકેટલી બધી વાર પડ્યો, આખડ્યો, તરછોડાયો છતાંય આજ સુધી ન કંઈ ખબર પડી, કે ન કંઈ જાણવાની તસ્દી લીધી, પરંતુ જ્યારે બધા દરવાજા બંધ થયા, બિલકુલ એકલો પડ્યો, પછી એહસાસ થયો કે, આજ સુધી હું ભલે ગમે તેટલા સાથે હતો, પણ.....હું મારી સાથે તો જરાય ન હતો, અને સાચું કહું...હવે હું મારી સાથે એવો જોડાયો છું કે, જીવન એટલે શું ? અને જીવવાની સાચી મજા ક્યાંથી આવે છે ? એ બધું મને સમજાવા લાગ્યું છે, અને હવે તો મને મારી જાત સામે એક પ્રશ્ન પણ થાય છે કે, મેં મને શોધવામાં, ઓળખવામાં, અને સાથ આપવામાં આટલી બધી વાર કેમ લગાડી ? - Shailesh Joshi
આપણી ઈચ્છાઓ, આપણાઓની લાગણીઓનો સરવાળો થાય, એવી હોવી જોઈએ, નહીં કે એમની લાગણીની બાદબાકી કરે એવી. - Shailesh Joshi
જીવનમાં સુખ, શાંતિ અને સલામતી મેળવવા જે વ્યક્તિ, "પ્રયત્નો કરવામાં થાક્યો નથી" એ વ્યક્તિ, એના જીવનને પણ કહી દે છે કે, આજે નહીં તો કાલે સારા દિવસો તો આવશે જ, તું થોડી ધીરજ ધર, "હજી એનો સમય પાકયો નથી" આમ તો એવા વ્યક્તિની વાત પણ સાચી છે, કારણ કે..... ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા માટે, શું એટલું પૂરતું નથી કે, મરેલો માણસ કંઈ કરી શકતો નથી. શ્રધ્ધા, વિશ્વાસ અને પ્રયત્નો ક્યારેય એળે નથી જતા, હા એમાં મોડું વહેલું થઈ શકે છે. પેલી હિંદીમાં કહેવત છે ને કે, "इश्वर के घर देर है, अंधेर नहीं"
આપણી પાછળ કોઈ એક રૂપિયો પણ ખર્ચે છે, એની પાછળ સારા અને નરસા ઘણા કારણો હોય છે, એને સમજવા એ આપણા ઉજ્જ્વળ ભવિષ્ય માટે અતિ થી પણ અતિ, જરૂરી, અને મહત્વના હોય છે, જો આપણે એને નહીં સમજીએ, કે પછી નહીં સમજી શકીએ, તો કાંતો આપણે કોઈ સારા વ્યક્તિને ગુમાવવાનો વારો આવશે, કાંતો, આપણા સારા ભવિષ્યને ગુમાવવાનો વારો આવશે.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser