Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.1m)

સત્યને વળગી રહેતા, અને
જૂઠથી અળગા થતા ના આવડે
તો બધું નક્કામું.....
પછી એ જ્ઞાન હોય, બળ હોય,
કે પછી ધન હોય.
- Shailesh Joshi

Read More

જીવનમાં શું જોઈએ છે ?
એ ખબર છે,
પરંતુ કેવી રીતે ?
એ ખબર નથી.
કેમ ?
કેમકે વિચાર્યા વગર
સો પ્રયત્નો કરવાનો સમય છે,
પણ વિચારીને
એક બે પ્રયત્નો કરવાનો
સમય નથી.
- Shailesh Joshi

Read More

રોજેરોજ મોબાઈલમાં અઢળક
નવું નવું જોતા આપણે, કોઈકવાર પોતાના પર થોડી
દયા ખાઈને એ જોવાનું પણ રાખીએ કે,
આપણામાં શું નવું આવ્યું ?

Shailesh Joshi

Read More

પ્રભુ હંમેશા આપણા સૌની પાસેને પાસે, ને સાથેને સાથે જ હોય છે, એતો કોઈ કોઈ વાર, જાણતા અજાણતા આપણા અમુક એવા ખોટા વિચારો, કે પછી એવા કોઈ કર્મો જ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. બસ આપણે જો એનું ધ્યાન રાખીશું,
તો ની:સંકોચ પ્રભુ આપણું પણ પુરતું ધ્યાન રાખશે, રાખશે ને રાખશે જ 🙏
- Shailesh Joshi

Read More

સુખ અને શાંતિ ના હકદાર તો
એ લોકો જ બનશે, જે નાના મોટા પ્રશ્નોનું
નિરાકરણ શોધવાનો પ્રયાસ કરતા હશે,
બાકી કંઈ નહીં કરવાવાળા લોકોની આસપાસ તો
માત્ર પ્રશ્નોનું આવરણ જ ઊભું થશે.
- Shailesh Joshi

Read More

કોઈપણ નાના મોટા દુ:ખનું
ખાલી રટણ કરવાથી,
વાગોળવાથી, કે પછી
નાસીપાસ થવાથી
જે કોઈ વ્યક્તિ પોતાને બચાવી શકે,
તો કોઈનું પણ નસીબ એટલું ખરાબ નથી હોતું,
જેટલું આપણને જોવા સાંભળવા મળે છે.
- Shailesh Joshi

Read More

પહેલાંના સમયમાં નાના મોટા હજારો કામ કરતા,
અને બે ચાર જરૂરી જાણકારી મેળવતાં, અને અત્યારે.....પરાણે બે ચાર કામ પણ નથી કરતા, અને એ પણ વેઠ ઉતારતા હોઈએ, નેહાકા નાખતા હોઈએ, કે પછી ચાલે એમ નથી એટલે કરીએ છીએ, ને સામે જાણકારીઓ, અધધધ, વાત જ ન પૂછો પછી એ જાણકારી ભલે આપણા કામની હોય, કે ન હોય, પણ દાડો તો એમાં જ પૂરો કરવાનો, અને કદાચ...જીંદગી પણ🙏
Shailesh Joshi

Read More

પ્રેમપ્રશ્ન - પ્રેમનું મુખ્ય કામ કયું ?
પ્રેમથી ઉત્તર - એજ કે
એકબીજાની ખામીઓ ઢાંકવી, સુધારવી કે પછી
એકપણ ફરિયાદ વગર
ચલાવી લેવી.
- Shailesh Joshi

Read More

વ્યવસાયે, આવડતે અને અનુભવે
ભલે "એકબીજાથી" આગળ, હોઈએ કે પાછળ
પરંતુ વાણી વર્તન અને વિચારોથી રહીએ "એકબીજા"ની
સમાંતર
- Shailesh Joshi

Read More

આપણા જીવનમાં જ્યાં સુધી નાના મોટા દુઃખ,
આવ-જા કરતા રહે તો સમજવું કે, એ આપણી મહેનત, સ્વભાવ કે પછી આપણા વ્યવહારને આભારી છે, પરંતુ, પરંતુ, પરંતુ જ્યારે આપણા જીવનમાં સતત
એક પછી એક દુઃખોની હારમાળા સર્જાવા લાગે,
ત્યારે ની-સંકોચ સમજી લેવું કે, પ્રભુએ આપણને આ સમય, માત્રને માત્ર, પ્રાયશ્ચિત કરવા માટે જ આપ્યો છે, અને હવે પછી આપણે કોઈપણ કાળે એકપણ ભૂલ કરવાની નથી, કેમકે આ આપણને આપણા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એના માટેનો પ્રભુએ આપેલ છેલ્લો ઈશારો કે પછી મોકો છે.
- Shailesh Joshi

Read More