Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.2m)

જીવન એક એવી પરીક્ષા છે, જે અંત સુધી ચાલતી રહે છે, અને એમાં સારા કે ખરાબ, નાના કે મોટા, અંગત કે અજાણ, ક્ષણ ભર કે જીવનભર, જેટલા વ્યક્તિઓ આપણી સાથે જોડાય છે, એ તમામ લોકોને જો ઓળખતા, સમજતા, સાંભળતા, અને પછી એમાંથી, જે છોડવા જેવા લાગે એને છોડતા, અને જે સાચવવા જેવા લાગે, એને સાચવતા જો આપણને આવડે, તો એ તમામ સારા કે ખરાબ લોકો આપણું પરિણામ સુધારવામાં મદદરૂપ થઈ શકતા હોય છે.
- Shailesh Joshi

Read More

અચૂક ઝડપવા જેવી તક
જુઓ આ યુટ્યુબ શોર્ટસ

https://youtube.com/shorts/fGxKs2T4AhE?si=HnsEOgWnnn7wbEqG

ઈચ્છાઓ અધૂરી રહેવાનું મુખ્ય કારણ
જુઓ આ યુટ્યૂબ ગુજરાતી સુવીચાર
https://youtube.com/shorts/wBIy6I2krgE?si=w4ufzmZlcO-Dw3Jc

કોઈપણ સંજોગોમાં દર મહિને કમાણીનાં
15 થી 20 % બચત ના કરી શકતા હોય,
એવા લોકો એમના જીવનમાં ગમે તેવા, ને
ગમે તેટલાં સંકલ્પ લે, કે પછી એમને ગમે તેવા,
ગમે તેટલાં સપનાઓ જુએ ને એના માટે
ગમે તેટલી મહેનત કરે, તો પણ
એમનાં ધાર્યા સમયે, અને
એમણે ધાર્યું હોય એટલું ફળ
પ્રાપ્ત કરી શકતા નથી.
- Shailesh Joshi

Read More

સત્યને વળગી રહેતા, અને
જૂઠથી અળગા થતા ના આવડે
તો બધું નક્કામું.....
પછી એ જ્ઞાન હોય, બળ હોય,
કે પછી ધન હોય.
- Shailesh Joshi

Read More

જીવનમાં શું જોઈએ છે ?
એ ખબર છે,
પરંતુ કેવી રીતે ?
એ ખબર નથી.
કેમ ?
કેમકે વિચાર્યા વગર
સો પ્રયત્નો કરવાનો સમય છે,
પણ વિચારીને
એક બે પ્રયત્નો કરવાનો
સમય નથી.
- Shailesh Joshi

Read More

રોજેરોજ મોબાઈલમાં અઢળક
નવું નવું જોતા આપણે, કોઈકવાર પોતાના પર થોડી
દયા ખાઈને એ જોવાનું પણ રાખીએ કે,
આપણામાં શું નવું આવ્યું ?

Shailesh Joshi

Read More

પ્રભુ હંમેશા આપણા સૌની પાસેને પાસે, ને સાથેને સાથે જ હોય છે, એતો કોઈ કોઈ વાર, જાણતા અજાણતા આપણા અમુક એવા ખોટા વિચારો, કે પછી એવા કોઈ કર્મો જ આપણને પ્રભુથી દૂર લઈ જાય છે. બસ આપણે જો એનું ધ્યાન રાખીશું,
તો ની:સંકોચ પ્રભુ આપણું પણ પુરતું ધ્યાન રાખશે, રાખશે ને રાખશે જ 🙏
- Shailesh Joshi

Read More

સુખ અને શાંતિ ના હકદાર તો
એ લોકો જ બનશે, જે નાના મોટા પ્રશ્નોનું
નિરાકરણ શોધવાનો પ્રયાસ કરતા હશે,
બાકી કંઈ નહીં કરવાવાળા લોકોની આસપાસ તો
માત્ર પ્રશ્નોનું આવરણ જ ઊભું થશે.
- Shailesh Joshi

Read More

કોઈપણ નાના મોટા દુ:ખનું
ખાલી રટણ કરવાથી,
વાગોળવાથી, કે પછી
નાસીપાસ થવાથી
જે કોઈ વ્યક્તિ પોતાને બચાવી શકે,
તો કોઈનું પણ નસીબ એટલું ખરાબ નથી હોતું,
જેટલું આપણને જોવા સાંભળવા મળે છે.
- Shailesh Joshi

Read More