Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(2.7m)

મારે મારા જીવનમાં
શું શું જોઈએ છે ?
ક્યારે ક્યારે જોઈએ છે ? અને
કેટકેટલું જોઈએ છે ?
આ ત્રણ સવાલોમાં, આપણા સમગ્ર જીવનના, સુખ અને દુઃખનો સંપૂર્ણ આધાર છુપાયો છે.
જેમકે,
જો આપણો સ્વભાવ માટેને માત્ર, માંગણીઓની માળા જપવાવાળો હશે,
તો આપણા જીવનમાં એક પછી એક અલગ અલગ દુઃખને પ્રવેશતા...
કોઈ રોકી નહીં શકે, ને જો આપણો સ્વભાવ મારે જે જોઈએ છે,
એ મેળવવા માટે, હું સંપૂર્ણ ધીરજ સાથે,
શું શું કરી શકું છું ?
એના પર વિચાર કરી, અને એને અમલમાં મૂકવાવાળો હશે,
તો પછી આપણા સુખને આપણા સુધી પહોંચતા.....
કોઈ રોકી નહીં શકે.

Read More

જે થાકતો નહીં, એ ક્યારેય હારતો નથી,
અને જેને પહેલા જ પ્રયત્ને
થોડી ઘણી જીત મળે, અને જો એ,
એની જીતને પોતે કરેલો ચમત્કાર સમજીલે,
પોતાને જે તે વિષયમાં નિપુણ, કે પારંગત છે, એવું માનવા લાગે,
ત્યારે તો એની ઉપર એવું વિતે છે,
કે પછી એતો એની પૂરી જીંદગીમાં,
ન સંપૂર્ણ હારે છે, કે ન સંપૂર્ણ જીતે છે.
- Shailesh Joshi -

Read More

શાંતિ હોય, મજા હોય, આરામ હોય,
હૂંફ હોય કે પછી હોય ખુશી..........
જો એ ઘરમાં નથી.....તો બીજે ક્યાંય નથી,
અને જો ઘરમાં છે, તો બહાર હોય કે ન હોય,
કોઈ ફેર નથી પડતો,
માટે પહેલું કામ કયું કરવું ? એ
પૂરા પરિવારે સમજવું અને માનવું રહ્યું.
- Shailesh Joshi

Read More

હું જે કરી રહ્યો છું, કે કરી રહી છું ?
શું એ યોગ્ય છે ? અને બે, કે એ
ક્યાં સુધી ચાલશે ?
હમણાં પોતાને પૂછેલા આ બેજ પ્રશ્નો,
આપણા જીવનમાં ઉભા થવાવાળા
ઘણા પ્રશ્નો દૂર કરી શકે છે.
- Shailesh Joshi

Read More

હારે છે એ લોકો,
"જે હિંમત હારે છે"
એ લોકો નહીં જેમની
"હારે (સાથે) હિંમત છે"
- Shailesh Joshi

બાંધકામનું જોખમ એને,
જેણે રાખ્યા હોય કાચા પાયા
એમ જીવનનું જોખમ એને,
જેને પ્રભુ સમજમાં ન આયા.
- Shailesh Joshi

બાળક નાનું હોય તો એ અલગ વાત છે, પરંતુ.....
જ્યારે એ સમજણું થઈ જાય પછી પણ
એને કોઈ વાતની કમી ન રહે, એ જે માંગે એ એને મળી રહે,
એ પ્રમાણે એનો ઉછેર કરવો, એ વિચાર ખૂબજ સારો, અને હિંમતથી ભરેલો છે, પરંતુ....
આ વિચાર અધૂરો, અને ખામીયુક્ત છે, કારણ કે,
આ પ્રકારની કેળવણી આગળ જતાં આપણને, અને સંતાનને બંનેને ખૂબ તકલીફ આપી શકે છે, માટે
જ્યાં સુધી એ સંતાન પોતે મા-બાપની ઉંમરે પહોંચે, ત્યારે
ભલે એ એના સંતાનને એના માતા-પિતાએ જે આપ્યું, જેટલું આપ્યું,
એટલું ન આપી શકે, કેમકે
એતો સમય સમયની વાત છે, પરંતુ
એના વિચારો, અને વર્તન તો પોતાના મા-બાપે એના માટે જેટલું કર્યું,
એટલું એ પણ પોતાના સંતાનો માટે કરશે,
એ પ્રકારના હોવા જોઈએ.
- Shailesh Joshi

Read More

તૈયાર મળેલું જેટલો સંતોષ આપે છે,
એનાથી વધારે સંતોષ
જાતે મેળવેલું આપે છે, જ્યારે
થાકી થાકીને પણ
પ્રયત્નો ચાલુ રાખીને મેળવેલું...
એતો બમણો સંતોષ આપે છે.
- Shailesh Joshi

Read More

જે વ્યક્તિના અમુક સ્વભાવથી
જો આપણે અંદરથી સતત વ્યથિત
રહેતા હોઈએ, કે પછી વારંવાર ગુસ્સે થઈ જતાં હોઈએ, તો એકવાર થોડો વ્યવસ્થિત સમય કાઢીને, બિલકુલ શાંતિપૂર્વક એ વ્યક્તિ સાથે, એના આવા વર્તન કરવાનું કારણ શું છે ? એ વિસ્તાર પૂર્વક એના શબ્દોમાં સાંભળી લેવું, આમ કરવાથી ઘણા બધા સંબંધો ખાલી બચતા નથી, પરંતુ એ સંબંધોમાં
અગાઉ કરતાં વધારે લાગણીનો
ઉમેરો થઈ, મજબૂતી આવશે.
- Shailesh Joshi

Read More

સુખી થવાની સંભાવનાઓ
ભલે ઓછી દેખાતી હોય,
પરંતુ જીવનમાં જો
વધારે દુઃખી ન થવું હોય તો સહનશક્તિ વધાર્યા સિવાયનો,
અને સંપૂર્ણપણે પોતાના
ધ્યેયમાં ડૂબ્યા સિવાયનો
બીજો એકપણ રસ્તો નથી.
- Shailesh Joshi -

Read More