Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.6m)

સોનું "તોલવામાં"
જેટલી ચોકસાઈ રાખવામાં આવે છે,
એટલી જ ચોકસાઈ,
શબ્દો "બોલવામાં" રાખવામાં આવે
તો બોલાયેલ શબ્દોની કિંમત
સોના કરતા પણ વધી જાય.

Read More

સંબંધો એ ગણિત છે, માટે જો આપણે
એમાં ખરા ઉતરવું હોય તો એની પધ્ધતિ જાણવી અત્યંત જરૂરી છે, અને એની પધ્ધતિનો મહત્વનો અને પહેલો નિયમ એ છે કે,
આપણે જેનાં વગર
રહી શકતા નથી,
એને એક લિમિટથી વધારે
કંઈ કહી શકતા નથી.

Read More

જાણો કોઈપણ વ્યક્તિની
30 વર્ષ પછીની બાકીની જીંદગી કેવી હશે ? કે પછી કેવી જશે ? નો અંદાજ લગાવવાની સરળ રીત.
આનો જવાબ જાણવાનો
મોટામાંમોટો, અતિ મહત્વનો,
અને મુખ્ય આધાર એ જ કે,
કોઈપણ વ્યક્તિની ઉંમર
30 વર્ષની થાય,
ત્યાં સુધીની જીંદગી,
એ કેવી રીતે જીવ્યા છે ?
એની ઉપર હોય છે.
પછી એ વ્યક્તિ સ્ત્રી હોય, કે પુરુષ, એનાથી ઝાઝો ફરક નથી પડતો.

Read More

આપણે માત્ર એક જીવ છીએ, ને સર્વે જીવોનો રખેવાળ શિવ છે.
અને આપણને સૌને પ્રભુનું કહેવું માત્ર એટલું જ છે કે,
જ્યારે તું તારી ચિંતા કરતો હોઈશ,
ત્યારે હું અન્યોની ચિંતા હણતો હોઈશ,
ને જેવી તું અન્યોની ચિંતા કરવાનું શરૂ કરીશ,
એજ ક્ષણથી
હું તારી ચિંતાઓને હણવાનું શરૂ કરીશ.
- Shailesh Joshi

Read More

સાચો પ્રેમ
સાચી લાગણી
અને સાચી વઢ
જે લોકોને એકવાર
આ ત્રણને સમજતા આવડી જાય,
તો એવા લોકોને એમના જીવનમાં ક્યારેય અફસોસ કરવા જેવું કંઈ ન થાય.

Read More

"સાંખી લેવું"
એ સારા સમય સુધી
ઝડપથી પહોંચવા માટેનો
"ટૂંકો રસ્તો છે"
જ્યારે સામો જવાબ આપવો,
કે ખોટું લગાડી બેસી જવું,
એ મુખ્ય માર્ગ છોડી, "વારંવાર"
"અવડો રસ્તો પકડવા જેવું છે"
- Shailesh Joshi

Read More

દોડીને આવવાવાળા,
જ્યારે છોડીને જાય છે
ત્યારે બહુ દુઃખ થાય છે,
ભલે નજીક એટલું ન ફાવે,
પરંતુ દૂર રહેવામાં તો બંને બાજુ
કાયમી પીડા જ રહી જાય છે.
કાયમી સાથે તો ત્યારે જ રહેવાય છે,
જ્યારે એકબીજાને
બંને બાજુથી સમજાય છે.
- Shailesh Joshi

Read More

આવા લોકો એમના જીવનમાં પામે ઓછું, ને ગુમાવે વધારે,
જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે મુખ્ય આ બે બાબતો કામ કરતી હોય છે, પહેલું કર્મ, કે જે આપણે કરવાનું હોય છે, ને બીજું પરિણામ જે સમયના હાથમાં હોય છે, એટલે કે આપણે આપણું પૂરું ફોકસ આપણા કામમાં પરોવવું જોઈએ, અને જે તે પરિણામની જવાબદારી સમય પર છોડી દેવી જોઈએ, તો ચોક્કસપણે આપણને એનું પરિણામ ભલે ધાર્યું ન મળે, પરંતુ જે પરિણામ મળશે, એ આપણા માટે સારું તો ચોક્કસ હશે. અને આ વાતતો ભગવદ્ ગીતામાં પણ કહી છે.
જુઓ સમય પરનો મારો આ Motivation Youtubeshorts
👇
https://youtube.com/shorts/kli34VX5P_M?si=4FZSD-dIYrlxUoYd

Read More

किसी भी मौसम में कैसे भी हालात में
अपनी जड़ों से जुड़े रहते हैं, चलो हम तो वृक्ष है,
हमारे पैर नहीं होते, मगर आप तो इन्सान है,
और तुम्हारे पास तो सिर्फ पैर नहीं, पैरों के साथ-साथ दिमाग भी है, और शायद तुम्हें सम्भालने वाले लोग भी है, इसलिए अपनी पहचान मत खोईए, क्योंकि हमें तो मौसम के हिसाब से ही जीना पड़ेगा, मगर आप तो कैसे भी करके अपने हालात संवार सकते हैं.
- Shailesh Joshi

Read More

સમગ્ર સૃષ્ટિમાં કશું જ "સ્થાઈ" નથી,
તો આપણે તો માણસ છીએ યાર,
માટે આપણા જીવનમાં પણ
આપણને ગમતું કે અણગમતું
બનતું જ રહેવાનું,
એમાં કંઈ "નવાઈ" નથી.
🙏Shailesh Joshi🙏

Read More