The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આપણે જે પણ વ્યવસાયિક કામ કરતા હોઈએ, એ કામમાં જો આપણો ઉદ્દેશ માત્ર ને માત્ર "દામ" મેળવવાનો હશે, તો પછી એ કામ ધીરે ધીરે આપણને એકલતા, અને આંતરિક અસંતોષ ભણી લઈ જશે. માટે આ વાત જેટલી વહેલી સમજાઈ જાય, એજ આપણા હિતમાં રહેશે. - Shailesh Joshi
જે વિચારને પૂરો વિચાર્યા વિના અમલમાં મૂક્યો હોય, એ વિચાર કાંતો અધૂરો રહી જાય છે, ને ઘણીવાર, અવળો પણ પડતો હોય છે. - Shailesh Joshi
હમણાં હું શું કરી શકું એમ છું ? અને હમણાં મારે શું નથી કરવા જેવું ? રોજ સવારે આ બે વાક્યો પર વિચાર કરી જો દિવસની શરૂઆત કરવામાં આવે, તો એ દિવસમાં, ભૂલો ઓછી, અને આપણા ભવિષ્યને લઈને આપણામાં જે ડર છે, એ પણ ધીરે ધીરે ઓછો થવા લાગશે.
શ્રધ્ધા એક એવો વિષય છે, કે જેના થકી, આપણી તકલીફોનો ભાર, "અડધો થઈ જાય છે" અને તકલીફો સામે લડવાની આપણી શક્તી "ડબલ થઈ જતી હોય છે" - Shailesh Joshi
રોજ સવારે આપણે જે પ્રાર્થના કરીએ છીએ, એમાં આપણે કેટલો સમય આપીએ છીએ ? એનાથી મહત્વની વાત એ છે કે, આપણે કેટલી શ્રદ્ધા સાથે પ્રાર્થના કરીએ છીએ ? અને એ શ્રધ્ધાની અસર આપણી અંદર ક્યાં સુધી રહે છે ? - Shailesh Joshi
દરેક વ્યક્તિ જીવનમાં આગળ વધવા માગે છે, પરંતુ બધા આગળ નથી વધી શકતા, કેમકે એના છે મુખ્ય ચાર કારણ.....? ધીરજ, વિશ્વાસ, મહેનત અને પ્રામાણિકતાનો અભાવ, અને આ ચાર જેની પર નિર્ભર કરે છે, એ છે, જે તે વ્યક્તિનો સ્વભાવ. - Shailesh Joshi
ઘરનું વ્યક્તિ હોય, કે પછી બહારનું વ્યક્તિ કોઈપણ હોય, પરંતુ એમની સાથે આપણે આપણા વાણી વર્તન અને વ્યવહારમાં ભલે ગમે તેટલું કૂણું વલણ અપનાવીએ, અને અપનાવવું પણ જોઈએ, પરંતુ, એ કુણા વલણની "માત્રા અને યાત્રા" ત્યાં સુધી જ આગળ વધારવી, કે જ્યાં સુધી એ સામેનું પાત્ર, એનો દુરુપયોગ ન કરે, કે પછી ના એવું કરવાનું વિચારે, પછી ભલે સામેનું એ વ્યક્તિ, ઘરનું હોય કે બહારનું, બાકી તો આપણું એજ કૂણું વલણ, આપણને જ, સોયની જેમ ખૂંચશે.
"હું સાચો છું" આ નાનું વાક્ય, સામેની વ્યક્તિને આપણી સાચી અને આખી ઓળખ બતાવી દે છે, બસ આપણે પોતે સાચા છીએ, એનો સંતોષ માની શકીએ છીએ, કે પછી આપણે સાચા છીએ એ સાબિત કરવા માટે, આપણે નાની કે મોટી, કામની, કે વગર કામની દરેક વાતો, કે બાબતોમાં, દરેક વખતે એક હદથી વધારે જોર લગાવતા રહીએ છીએ. - Shailesh Joshi
હું કંઈક છું, કે પછી હું ખાસ કે વિશેષ છું, એ.. જો મારે બતાવવું પડે, કે બતાવતા જ રહેવું પડે, તો હું કંઈજ નથી. એટલે મારે બતાવવાનું બંધ કરી, કંઈક એવું કરતા રહેવું જોઈએ, કે જેના થકી, લોકોને લાગે, કે હું કંઈક છું. - Shailesh Joshi
દવા અને શબ્દો, બંને ગુણકારી હોય છે, માટે ભલે થોડો સમય, પરંતુ આ બંનેનું સેવન, કે ગ્રહણ કર્યા વગર એનો અનાદર કરવો, કે પછી એને કોષવું, એનો સીધો અર્થ એજ માનવો કે, આપણે આપણી પીડામાં વધારો કરી રહ્યા છીએ, બીજું કંઈ નહીં. - Shailesh Joshi
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved | Powered by Custom Web Development Company India.
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser