Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(3m)

પ્રેમી પંખીડા ઉડે, એમાં ભલે નવાઈ ન હોય.
પરંતુ જ્યારે એ પ્રથમ એકબીજાને જુએ,
પછી મળે, ને ઓળખે, પછી પ્રેમમાં પડે,
પરંતુ એકબીજાને જોવાની એ નજરને,
એ મુલાકાતો દરમિયાન થતી વાતોને
બરાબર સાંભળી, સમજીને,
એકબીજાના મનની વાતને,
પારેખવી અને સારી રીતે સમજવી, એતો
એનાથી પણ જરૂરી બની જતી હોય છે,
કારણ કે એના દ્વારા જ બંનેને
સાચો ખ્યાલ આવી શકે કે,
એ તમને કયા આકાશમાં લઈ જશે ?
- Shailesh Joshi -

Read More

સત્ય હોય, કે જૂઠ
આપણા જીવનમાં આવતી
મોટાભાગની વિપરીત પરિસ્થિતિઓ
એને છુપાવવાથી જ ઊભી થતી હોય છે.

જો હું મારા વચનથી બંધાયેલ નહીં રહું,
તો કુદરતનો નિયમ તો જે છે
એજ રહેવાનો છે, કેમકે
એતો ફક્ત કર્મ જુએ છે,
પછી એ સારું હોય, કે ખરાબ
ફળ તો એ કર્મો પ્રમાણે જ આપે છે.
- Shailesh Joshi

Read More

ભ્રમાંડનું એવું છે કે,
આપણા મનમાં જે ચાલી રહ્યું હોય,
એને અનેક ઘણું કરીને આપણને પાછું આપવું,
નક્કી આપણે કરવાનું છે કે, હું દુઃખી છું,
હું સુખી છું, હું ખુશ છું વિગેરે વિગેરેમાંથી,
આપણે આપણા મનમાં શું વિચારવું છે ?

- Shailesh Joshi

Read More

જ્યારે જીવનસાથીને એની ભૂલો, સ્વભાવ, કે વ્યવહારને લઈને,
કંઈ કહેવા કરતા,
જ્યારે એની સાથે
રહેવું વધારે જરૂરી લાગે
તો સમજવું કે, ખરેખર
આપણને પ્રેમ થયો છે.
- Shailesh Joshi -

Read More

જીવનમાં કંઈ કરવા માટે,
જુસ્સો જિજ્ઞાસા ઝનૂન
અને ધૂન હોવી જોઈએ,
અને આ બધું આપણામાં
ધીરજ મહેનત
આત્મવિશ્વાસ અને
પ્રામાણિકતા હોય, તોજ આવે,
બાકી તો રોજ નવી સવાર,
આપણા માટે,
અસંતોષ લઈને જ આવે.

Read More

આવતીકાલે આપણે
જે પણ કંઈ છોડવાનું,
કે કંઈ નવું શરૂ કરવાનું
વિચારી રહ્યા છીએ,
એ "કાલ" નું સાચું નામ,
"આજ" છે.
- Shailesh Joshi

Read More

હકીકતથી મોઢું ફેરવી
કલ્પનાઓ પૂરી નહીં થાય, ને કલ્પનાઓમાંથી બહાર આવ્યા સિવાય
હકીકત સુધી નહીં પહોંચાય.
- Shailesh Joshi

Read More

સુખ અને શાંતિ
કોઈને પણ,
સળંગ નથી મળતી,
કેમકે,
ત્યાં સુધી પહોંચવાનો માર્ગ
"વાયા"
દુઃખ, અને અશાંતિ થઈને જ જતો હોય છે,
માટે
જેને પોતાના જીવનમાં
જેટલું વધારે સુખ જોઈતું હોય,
એણે એટલા દુ:ખો, અને
જેને જેટલી વધારે શાંતિ જોઈતી હોય, એણે એટલી અશાંતિઓનો,
સામનો તો કરવો જ પડશે.

Read More

કોઈપણ વ્યક્તિના જીવનમાં,
સુખ અને શાંતિ
બે પ્રકારથી આવે છે.
એક - પરસેવો પાડીને
અને
બે - પર સેવા કરીને
અહીં સેવાનો અર્થ માત્ર સેવા નહીં,
પરંતુ એની સાથે-સાથે,
જે આપણા છે,
જે આપણા માટે કામ કરે છે,
જે આપણા વતી કામ કરે છે,
અથવા તો આપણે જેનાં માટે કામ કરીએ છીએ,
એનું દિલ જીતીને.
હા અહીંયા સેવાનો થોડો અર્થ બદલાઈ જાય છે,
જેને આપણે
આપણી ફરજ કે
આપણી જવાબદારી એવું નામ આપી શકીએ.
બાકી જેને નથી મહેનત કરવી,
કે પછી
જેને નથી પુરી ઈમાનદારીથી
પોતાની ફરજ કે જવાબદારીઓ નિભાવવી,
આ પ્રકારના લોકો જ,
ભલે જાણી જોઈને, કે પછી
અજાણતા, પરંતુ તેઓ
પોતાના સુખ અને શાંતિથી
આજીવન,
વંચિત જ રહેતા હોય છે.

Read More