Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.4m)

જો તમારે તમારો સમય, મગજ અને
તમારી મહેનત વધારે ન બગાડવી હોય તો
શક્ય હોય ત્યાં સુધી બસ આટલું જ કરજો,
કે કર્મથી લઈને પરિણામ સુધી
તમે એકલા જાતે જ જજો,
સલાહ સૂચન લેજો પરંતુ મદદ...
એતો ક્યારેય ન લેતા.
- Shailesh Joshi

Read More

👉બે લાઈન "જેન ઝી" માટે👈
એક - નોકરી ધંધા, અને લગ્નની ઉંમરે પહોંચતા, કલ્પનાઓની દુનિયામાંથી બહાર આવી જવું.
અને બે - દર વખતે પ્રયત્નો કરવાથી ધાર્યું પરિણામ
નથી મળતું, પરંતુ કોઈકવાર પ્રયત્નો કરીને પૂરેપૂરી રીતે થાકી હારી જઈએ, છતાં પણ જો આપણે આપણા
પ્રયત્નો ચાલુ રાખીએ તો ભલે ધાર્યું નહીં,
પરંતુ સારું પરિણામ તો ચોક્કસથી
મળે મળે અને મળે જ છે.
- Shailesh Joshi

Read More

આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી,
સારો માણસ સતત
લોકો શું કહેશે ? ની ચિંતામાં રહેશે,
ને ખોટા ને એવી કંઈ પડી નથી,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી
પૈસાવાળા લોકો કરકસર, ને અમુક તો એમાં ચિંગુસાઈ પણ કરે છે
ને જેની પાસે લગભગ કંઈ નથી તોયે એ હોય એટલો દેખાડો કરે છે,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી
થોડા ઘણા પૈસા પણ
જો ક્યાંક અવળા વપરાઈ જાય,
તો પૈસાવાળાને રાત્રે ઊંઘ પણ નથી આવતી,
અને જેની પાસે કંઈ નથી, એની પાસે જો થોડો ઘણો પણ વધારે પૈસો આવી જાય, તો એ હવામાં ઊડે છે,
આ સંસાર ક્યાં જઈને ઊભો રહેશે ?
ખબર નથી

Read More

બાળપણથી લઈને કિશોરાવસ્થા અને
કિશોરાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધી
જો આપણને જે જોઈએ, કે માંગીએ
એ મળી જતું હોય, તો કમસેકમ
આપણે એટલું તો સમજવું જોઈએ કે,
એ ચીજવસ્તુ બજારમાંથી આપણા સુધી
કેવી રીતે આવે છે, કે પહોંચે છે ?
- Shailesh Joshi

Read More

જ્યાં સુધી વિદ્યાર્થી જીવનથી લઈને ( પૃખ્તવયના )
વ્યવસાયિક જીવનની શરૂઆત ન કરીએ
ત્યાં સુધી આ એક વાત યાદ રાખવી કે, હમણાં
જો આપણને ઈચ્છા થાય એ પ્રમાણે જીવવાની
આદત પડી જશે, તો બાકી જીવનમાં આપણે
આપણી ઈચ્છા પ્રમાણેનું જીવન
બિલકુલ નહીં જીવી શકીએ.
- Shailesh J

Read More

આપણી પાસે
ક્યારે શું કરાવવું ?
એ ખાલી ઈશ્વરને ખબર છે, છતાંય
આમ કરું ને તેમ કરું માં, માણસ બે-ખબર છે ?
- Shailesh Joshi

Read More

જ્યાં ભગવાન પર પૂર્ણ ભરોસો હોય,
ત્યાં ડર, ચિંતા, ઈર્ષ્યા, ઉતાવળ કે પછી ફરિયાદો..જરાય ન હોય.
- Shailesh Joshi

જ્યાં ભગવાન પર પૂર્ણ ભરોસો હોય,
ત્યાં ડર, ચિંતા, ઈર્ષ્યા, ઉતાવળ કે પછી ફરિયાદો..જરાય ન હોય.
- Shailesh Joshi

આપણે ક્યાં પહોંચીશું ?
એ આપણે કયા રસ્તે ચાલી રહ્યા છીએ ?
એના પર નિર્ભર કરે છે, પરંતુ અહીંયા
યાદ રાખવા જેવી વાત એ છે કે,
આજ સુધી સાચા રસ્તે ખોટી જગ્યાએ, અને ખોટા રસ્તે સાચી જગ્યાએ,
કોઈ પહોંચ્યું પણ નથી, અને
કોઈ પહોંચશે પણ નહીં,
એ માનવું રહ્યું.
- Shailesh Joshi

Read More

કોઈપણ કામ એટલું અઘરું નથી હોતું,
જેટલું આપણને શરૂ કરવું અઘરું લાગે છે,
અને આજ કારણે
આપણે કામની શરૂઆતથી દૂર, અને
આપણી સફળતા આપણાથી દૂર ભાગે છે.
ખરેખર તો જે ભલે ધીરે ધીરે
શરૂઆત કરવા લાગે છે, એનું નસીબ
બીજા કરતાં થોડું વહેલું જાગે છે.
- Shailesh Joshi

Read More