The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમપ્રશ્ન - પ્રેમનું મુખ્ય કામ કયું ? પ્રેમથી ઉત્તર - એજ કે એકબીજાની ખામીઓ ઢાંકવી, સુધારવી કે પછી એકપણ ફરિયાદ વગર ચલાવી લેવી. - Shailesh Joshi
વ્યવસાયે, આવડતે અને અનુભવે ભલે "એકબીજાથી" આગળ, હોઈએ કે પાછળ પરંતુ વાણી વર્તન અને વિચારોથી રહીએ "એકબીજા"ની સમાંતર - Shailesh Joshi
આપણા જીવનમાં જ્યાં સુધી નાના મોટા દુઃખ, આવ-જા કરતા રહે તો સમજવું કે, એ આપણી મહેનત, સ્વભાવ કે પછી આપણા વ્યવહારને આભારી છે, પરંતુ, પરંતુ, પરંતુ જ્યારે આપણા જીવનમાં સતત એક પછી એક દુઃખોની હારમાળા સર્જાવા લાગે, ત્યારે ની-સંકોચ સમજી લેવું કે, પ્રભુએ આપણને આ સમય, માત્રને માત્ર, પ્રાયશ્ચિત કરવા માટે જ આપ્યો છે, અને હવે પછી આપણે કોઈપણ કાળે એકપણ ભૂલ કરવાની નથી, કેમકે આ આપણને આપણા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એના માટેનો પ્રભુએ આપેલ છેલ્લો ઈશારો કે પછી મોકો છે. - Shailesh Joshi
જોયેલું નહીં, પરંતુ જે જોડે હશે, એજ કામ લાગશે, કારણ કે દેખાદેખી એ એક એવી જાળ છે, જે આપણા બચ્યા-કુચ્યા નસીબનો કાળ છે, જેમકે જે દીવામાં જેટલું તેલ હશે, એ દીવો એટલું જ તેલ બાળશે. - Shailesh Joshi
કર્મ કરવાથી ફાયદો જ થશે, એની કોઈ ગેરન્ટી નથી હોતી, બાકી માત્રને માત્ર ફાયદો જોઈને જ કર્મ કરવાથી તો નિશ્ચિત રૂપે નુકસાન થશે થશે અને થશે જ... એની ફૂલ ગેરન્ટી હોય છે. - Shailesh Joshi
સારું વાંચન, અને લેખન સારા વિચારોને જન્મ આપે છે, ને પછી એ સારા વિચારોની પહેલી અસર આપણી વાણી, આપણા વર્તન, અને આપણા વ્યવહારમાં વર્તાય છે, જો ન વર્તાય તો આપણે એ જ્ઞાનનું અપમાન કર્યા બરોબર છે, કે પછી એ આપણા જ્ઞાનના અભિમાનનું પ્રતિક છે. - Shailesh Joshi
આજે આપણે ક્યાં છીએ, અને શું કરી રહ્યાં છીએ ? એની ઉપરથી નક્કી થાય છે કે, કાલે આપણે ક્યાં હોઈશું, અને શું કરી રહ્યા હોઈશું ? આપણે આપણને મળતા સમયનો ઉપયોગ નહીં કરી શકીએ તો પણ આપણને એટલો વાંધો નહીં આવે, પરંતુ જો આપણે આપણને મળતા સમયનો દુરુપયોગ કરતા રહીશું, તો ચોક્કસપણે આપણા જીવનમાં વાંધાઓની હારમાળા સર્જાઈ જશે. - Shailesh Joshi
જીવનમાં જ્યારે સારા બનવાની સજા મળે, ત્યારે જરાય પાછા ન પડવું, કેમકે પ્રભુની કૃપા મેળવવાનો, અને અજ્ઞાત શક્તિ પ્રાપ્ત કરવાનો આનાથી સરળ રસ્તો બીજો એકપણ નથી. - Shailesh Joshi
જો હું મારા જીવનમાં મને જે ગમે એ કરું, અને પછી જો એ મારા જીવનમાં તકલીફો ઉભી કરે, કે પછી મારા જીવનને ખુશીઓથી ભરી દે, એ બંને તબક્કામાં "નસીબદાર" કહો કે "કસૂરવાર" જે કહો તે, "હું જ છું" અન્ય કોઈ નહીં. - Shailesh Joshi
કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે ગમે, અથવા તો ફાવે, એ બહુ સારી વાત છે, પરંતુ એ બંનેનો સંબંધ, લાંબો સમય સુધી, અને એ પણ, મજબૂતાઈ સાથે ત્યારે જ જડવાઈ રહે, કે જ્યારે "એ બંને" એકબીજાનું એકબીજાને ગમાડવાનું, કે પછી એકબીજા સાથે ફાવવાનું જે કારણ જાણતા હોય, એ કારણ...સાચું હોય. - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser