Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi Matrubharti Verified

@shaileshjoshi0106gma
(1.8k)

હોય,
એટલો ખર્ચ કરીએ,
હોય એટલો નહીં

-Shailesh Joshi

👉कीमती जेवर👈
ज्ञान से बड़ा कोई ज़ेवर (ઘરેણાં)नहीं
विद्या से बड़ी कोई अंगूठी (विंटी) नहीं
पुस्तक से बड़ी कोई पायल नहीं
और डिग्री से बड़ा कोई ज़ेवर (દાગીના)नहीं
"જેમ મણકો શોભે માળાએ
એમ દિકરી શોભે શાળાએ"


-Shailesh Joshi

Read More

બહારની આગ બહારથી બાળે, ને
અંદરની આગ અંદરથી,
બહારની આગ માત્ર જેતે વ્યકિતને નુકશાન પહોંચાડે, જ્યારે અંદરની આગ, ને એ પણ જો એ આગ ઈર્ષ્યા, લોભ, કે અહમ્ ની હોય તો.....
તો એ પુરા પરિવારને.

-Shailesh Joshi

Read More

જાણીતા હોય, કે અજાણ્યા, એક વ્યકિતને બીજા વ્યકિતથી દૂર કરતી જો કોઈ બાબત હોય, તો એ બાબત એ છે કે,
અન્ય વ્યક્તિઓ જે ના કરી શકતાં હોય, એ કરીને બતાવવું કે પછી, સાફ શબ્દોમાં કહેવું હોય તો એમ પણ કહી શકાય કે, ખોટો દેખાડો કરવો ને એ પણ વારંવાર.
આ બાબત સામેવાળા માટે તો પીડા દાયક છે જ...
પરંતુ આપણાં માટે પણ બહું સારી વાત નથી હોતી.
હળી મળીને રહેવામાં જે મજા છે, એવી મજા તો એકલાં એકલાં ને રોજે રોજ સોનાનો કોળિયો આરોગવામાં પણ નથી મળતી.

-Shailesh Joshi

Read More

જ્યાં સુધી સવાલ
જીવન અને મૃત્યું સુધી ના પહોંચે,
ત્યાં સુધી મોહ છૂટતો નથી,
ને એનું કારણ પણ એક જ છે કે,
આપણી આ નજર જ,
જેવા ને તેવા ભ્રમિત, અને
માયાવી માહોલમાં ફરે છે,
ને એટલે જ.... આપણો આ,
"મોહરૂપી સ્ટોક ખૂટતો નથી"

-Shailesh Joshi

Read More

સામેની વ્યક્તિનો આપણાં પ્રત્યેનાં વ્યવહારનો
મુખ્ય આધાર, આપણી પર નિર્ભર હોય છે.
શર્ત માત્ર એટલી જ કે,
સહુથી પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે, એની પાછળ આપણે આપણો કેટલો સમય આપવો, કે પછી કેટલાં નમવું, કે ઘસાવું ? બાકી તો અંતે આપણે જ દુઃખી થઈશું.
Shailesh Joshi

Read More

આજ સુધી આપણે જે નથી કરી શક્યા? અથવા આગળ કરવા માંગીએ છીએ એની શરુઆત, જો આપણે આજથી જ નહીં કરીએ, તો આપણે એજ નહીં કરી શકેલાં, અને આગળ કરવા માંગતા કામોનાં વિચારોના વમળમાં અટવાઈ જઈશું, ને સમય..... એતો નિરંતર વહેતો જ રહેશે, ને આપણી અને આપણી સફળતા વચ્ચેનું અંતર વધારતો રહેશે.

-Shailesh Joshi

Read More

કહેવાય છે કે ઈશ્વરે પ્રત્યેક જીવમાં,
કોઈને કોઈ એક ખાસ ખૂબી,
ખાસિયત કે પછી કોઈ સ્પેશિયાલીટી
જન્મથી જ અપલોડ કરી છે. પરંતુ એની સાથે-સાથે,
સોશિયલ મીડિયાની જેમ આપણાં જીવનમાં પણ,
સતત અને નિરંતર અલગ-અલગ વિચારોનો
એવો તો અઢળક પ્રવાહ વહ્યા કરે છે,
ને આપણે પણ એ વિચારોનાં વમળમાં,
એવાં તો અટવાઈ જઈએ છીએ કે,
ખરેખર આપણે કયા વિચાર પર ચાલવા માટે પૃથ્વી પર આવ્યા છીએ ?
એ જાણવાનું જ ભૂલી ગયા છીએ, કે પછી ભૂલી રહ્યા છીએ.
-Shailesh Joshi

Read More

પગ ઉપાડતા પહેલાં,
ફરજિયાત વિચારવાની
મુખ્ય વાત તો એ છે કે.....
જેનું નામ જ
"શોર્ટકટ" હોય,
પછી એ આપણને
વધારેમાં વધારે,
"કેટલાં દૂર લઈ જશે ?"

-Shailesh Joshi

Read More

-સીધી વાત-
બે માણસ લડે, ઝઘડે કે પછી રડે,
ત્યારે એ લડાઈ, ઝઘડો કે પછી એ આંસુનું કારણ,
જો એકબીજાની વધારે નજીક આવવા માટેનું હોય.....
તો સમજી લેવું કે, એ વ્યકિતને, એ બંનેનાં મા-બાપની, અને પોતાનાં જીવનસાથીની ચિંતા છે, ને જો એ લડાઈ ઝગડો કે આંસુ પાછળ, જો કોઈ એક વ્યકિત, પોતાનું જ હિત જોતું હોય,
તો માની લેવું કે, એ વ્યકિતને એનાં મા-બાપની જ નહીં, પરંતુ એ વ્યકિતને તો, પોતાનાં ભવિષ્યની પણ ચિંતા નથી.
-Shailesh Joshi

Read More