The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ઘણીવાર મોટી મોટી આફતોને આપણાં સુધી પહોંચવા માટેનો માર્ગ બનાવવાનું કામ, મોટે ભાગે, એવી ઝીણી ઝીણી બાબતો કરતી હોય છે, કે જેને આપણે નજર અંદાજ કરીએ છીએ. - Shailesh Joshi
ખાલી માતૃભાષામા વાર્તાલાપ કરવાથી આપણી ભાષાનું એટલું માન નથી જળવાઈ જતું, કે જ્યાં સુધી આપણે એ વાતનું પૂરતું ધ્યાન ના રાખીએ કે, હું જે બોલી રહ્યો છું, એ શબ્દોનો ઉપયોગ, હું કોઈને નીચા દેખાડવામાં, કોઈને છેતરવામાં, કે પછી કોઈને કોઈથી દૂર કરવામાં તો નથી કરી રહ્યો ને ? આપણા મોઢેથી બોલાયેલ શબ્દો, અને આપણી ભાષા બંનેનું ગૌરવ જળવાઈ રહે એ આપણું પહેલું કર્તવ્ય હોવું અનિવાર્ય છે. - Shailesh Joshi
પ્રેમ પરિપક્વ થઈ રહ્યો છે, એની જાણ ક્યારે થાય ? જ્યારે "એકબીજાને મળવાની ઈચ્છા કરતાં" "એકબીજા માટે કંઈ કરવાની ઈચ્છા વધતી જાય" ત્યારે - Shailesh Joshi
दुःख दूर करने की गारंटी के जरिए, एक ज्ञानी पुरुष ने लोगों की परीक्षा लेनी चाही, वह जहां रहते थे वहां बाहर की ओर उन्होंने एक बोर्ड लगाया, और उस बोर्ड में अपना दुःख लेकर आने वालों के लिए दो नियम बनाए थे, वह लिख दिए, इस बोर्ड में इन्होंने पहला नियम लिखा कि, बेईमान लोगों के दुःख दूर करने का, किसी के भी पास कोई रास्ता नहीं होता, और दूसरा नियम ये लिक्खा की, जो ईमानदार है, इन्हें यहां आने की कोई ज़रूरत नहीं, क्योंकि इश्वर के घर देर है, अंधेर नहीं, और अभी आपको जो दुःख लग रहा है, या तो आपके कर्मों का फल है, या फिर एसा भी हो सकता है कि, इश्वर आपकी परीक्षा ले रहे हों, इसलिए पूर्ण रूप से परम कृपालु परमात्मा पर अपना भरोसा बनाए रक्खे. सही में अपना दुःख लेकर आजतक इनके पास कोई नहीं आया. - Shailesh Joshi - Shailesh Joshi
આ સંસાર એક સાગર છે, અને એમાં જો આપણે આપણા જીવનની પ્રત્યેક ક્ષણે આપણી દિશા ધ્યાનમાં રાખીને પ્રમાણિકતા સાથે આગળ વધશું, તો આપણાં સંકટ સમયે પ્રભુ આપણા માટે કોઈને કોઈ રૂપે લાઈફ જેકેટ આપણા સુધી પહોંચાડશે, ને જે દિવસે આપણે આપણી પ્રામાણિકતા છોડી, એ દિવસે સૌથી પહેલાં તો આપણને સાચી દિશા તરફ લઈ જતું હોકાયંત્ર કામ કરતું બંધ થઈ જશે, ને ત્યારે આપણી ગતિ તો આપણને યથાવત્ જ લાગશે, પરંતુ સમય જતાં, એ ગતિ આપણા માટે દિશા વિહીન સાબિત થશે. - Shailesh Joshi
વ્યવસાય સંબંધિત કોઈપણ પ્રકારનાં કામમાં નિષ્ફળતા મળવી "સંભવિત" છે, અને નિષ્ફળતાના ડરે કામ શરૂ જ નહીં કરવામાં તો, નિષ્ફળતા "નિશ્ચિત" જ હોય છે. - Shailesh Joshi
એજ સંબંધોમાં ઠોકર મળે કે જ્યાં, એકને માટે બીજો જરૂરી હોય, ને બીજા માટે જરૂરીયાત - Shailesh Joshi
જ્યાં વારે વારે નાની મોટી અને થોડી ઘણી કડવી માથાકૂટો થતી રહેતી હોવાં છતાં, એની આડઅસર પોતપોતાના કામ પર ન આવવા દે, અને એ બંને પૂરી જવાબદારી સાથે પોતાના ઘર અને પરિવાર પ્રત્યેની પોતપોતાની તમામ ફરજ નિભાવતા હોય, અને કાલે થયેલ ઝગડાની અસર બીજા દિવસે એમના વ્યવહારમાં ન આવવા દેતા હોય, એવા દંપતી સમાજ માટે આદર્શરૂપ છે, માટે ઘર પરિવારમાં, અડોસ પડોસમાં, કે પછી મિત્ર વર્તુળમાં જ્યાં પણ આવું કોઈ દંપતી હોય, તો સુખી દાંપત્ય જીવન જીવવા માટે દરેક નવ દંપતીએ એમનું અનુકરણ કરવું જોઈએ. - Shailesh Joshi
ચિંતાઓ ને વાયદા કરવાથી વધારે ફાયદામા રહેવાય છે. - Shailesh Joshi
विंडों सीट मिली या साइडवाली आराम से खड़े रह सके, या फिर ज्यादा भीड़ में, ये सब मायने नहीं रखता, हमारे लिए अच्छी बात यह होनी चाहिए कि... हमें हमारी मंजिल तक पहुंचने के लिए बस मिली "जीवन में भी कुछ ऐसा है" - Shailesh Joshi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser