મૌનનો મહિમા અપરંપાર.
બચાવે એ સંબંધોનાં
તૂટતાં જતાં તાર!
ક્યારેક બનતું મૌન,
ગૂંગળામણનું કારણ પણ.
હોય કહેવું ઘણું કોઈને,
ને નીકળે નહીં શબ્દો!
થાય અકળામણ હૈયાને,
ને ભારે થઈ જાય મનડું.
કાશ! સમજાતું હોત મૌન,
જે રીતે સમજાય ભાષા,
પ્રેમની આંખો થકી!
હલ થઈ જાય કેટલાંય,
પ્રશ્નો મૌન થકી!
- Tr. Mrs. Snehal Jani

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111948573
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now