સંગ ની અસર 
सन्तप्तायसि संस्थितस्य पयसौ नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रे  स्थितं राजते | 
स्वात्यां सागरशूक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोक्तम गुण: संसर्गतो जायते ||
તપી રહેલ લોઢા ઉપર જળ બિંદુ ટકતું  નથી, જ્યારે કમળ પત્ર ઉપર મોતીનો આકાર ધારણ કરી લે છે.  તથા સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રના છીપલામાં પડેલ એ  ટીપું મોતી બની જાય છે. નીચ, મધ્યમ અને ઉત્તમ સંગથી આવા ગુણો બને છે.
[शतबोध शतक – 16]