શ્રી ગુણવંત શાહે એક વાર કહેલું કે.....
ઉમળકા વિનાનો યુવાન વ્રુદ્ધ છે, ઉમળકા વિનાની યુવતી વિધવા છે, ઉમળકા વિનાનો શિક્ષક એક પગારદાર રીંગ માસ્ટર છે.
હદયરોગ ત્યારે જ થાય, કે જ્યારે ઉમળકો ખતમ થઈ ગયો હોય ! હદયનાં હુમલાથી બચવું હોય તો ઉમળકો ઉછેરવો પડે ! ઉમળકો ઉછેરવાની રૂતુ એટલે વસંત રૂતુ. આજથી ઉમળકો ઉછેરવાનો પ્રારમ્ભ કરીએ !
ઉમળકાવાળા વ્યક્તિનો ક્રોધ સારો પણ, ઉમળકા વિનાનાં વ્યક્તિનું અમસ્તું સ્મિત પણ ભારે જોખમકારક સમજવું !
લોન ઉપર લીધેલી ખુશીઓનાં હપ્તા ગણતી વખતે કોઈ ખભા પર હાથ મૂકીને 'ભરાઈ જશે' એવું કહે, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !
ના પાડ્યા પછી પણ પરાણે એક કોળીયો મોઢામાં મૂકી કોઈ નજીકનો ખાસ મિત્ર 'ખવાય જશે' એવું કહે, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !
જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે 'ચાલને યાર એક વાર પાછા મળીએ' ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !
જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ, ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે !
બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને ફૂલો વેચતી કોઈ બીજાની જિંદગી જોઈએ, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે !
હોસ્પિટલના ખાટલા પર મૃત્યુ સામે તલવારો ખેંચતી કોઈ બીજાની જિંદગી જોઈએ, ત્યારે આપણી જિંદગી જીવવા જેવી લાગે છે !
આ કવિતા વાંચીને તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય, ત્યારે મને મારી જિંદગી જીવવા જેવી લાગે છે.
ચાલને જીવી લઈએ જિંદગી, કારણ જિંદગી જીવવા જેવી જ છે.