Gujarati Quote in Religious by Nishit Purohit

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો મારી દરેક વાત અનુભવ સાથે સંકળાયેલી હોય છે.. અધ્યાત્મ દરેક ના જીવન સાથે જોડાયેલું જ છે પણ ખ્યાલ નથી હોતો..

એક સત્ય ઘટના

આજ થી થોડા વર્ષો પહેલા મને પથરી થયેલી(જે કોઈ પણ દવા વગર મેં માત્ર બેસી રહી ને મટાડી, ખૂબ જ મોટી હોસ્પિટલ ના યુરોલજીસ્ટ પણ હેરાન થઈ ગયા કેમકે એ હંમેશા કહેતા ઓપરેશન કરાવો બાકી ગમે ત્યારે 108 માં આવવું પડશે) અને એ પણ 17 MM ની અને મારું મન જાણે છે કે શું દુખાવો થાય.. પ્રસુતિ ની પીડા પછી આ બીજા નંબર નો દુઃખાવો છે.
જ્યારે દુઃખાવો થાય ત્યારે #ઈસુ મને બહુ યાદ આવતા..

જ્યારે એને શૂળી એ ચડાવી રહ્યા હતા ત્યારે એ બોલ્યા "હે ઈશ્વર આ તું શું કરાવે છે હું તારો દૂત અને આ લોકો આવો વ્યવહાર મારી સાથે કરે ?"
અને બીજી જ ક્ષણે તેઓ બોલ્યા " હે ઈશ્વર મને માફ કરજે, હું બહેકી ગયો હતો.. તું જે કરે એ યોગ્ય જ હોય કેમકે હું તારા કરતા વધુ નથી જાણતો....."


આ વાત યાદ કરી ને હું પેટ પકડી ને પડ્યો રહેતો અને સમય જતો રહેતો અને હું નોર્મલ થઈ જતો...

આ ઘટના ની ઊંડી અસર એવી થઈ કે મારા શહેર ના 3 નામાંકિત ડોક્ટરો એ મારા પિતાજી ને કહ્યું કે આમને દવા ની જરૂર નથી આમને ઘરે લઈ જાવ, જેમ છે એમ રહેવા દો...

ખરેખર આ અવતાર ની આ ઘટના નો મારા જીવન માં બહુ મહત્વ નો ફાળો રહ્યો છે... જ્યારે એમ લાગે કે આમ થવું જોઈતું હતું ત્યારે તરત યાદ આવે કે " હે ઈશ્વર તું જે કરતો હોય એ યોગ્ય જ હોય, હું તારા કરતા વધુ નથી જાણતો........"
#ઈસુ

Gujarati Religious by Nishit Purohit : 111532504
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now