Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સત્ત્વ, રજો અને તમો આ ત્રણેય ગુણોનો બનેલો મનુષ્ય દેહ

“તમઃ તું અજ્ઞાાનજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ ।
પ્રમાદાલસ્યનિદ્રાભિઃ તત નિબધ્નાતિ ભારત ।।૧૪/૮ ।।

અર્થ

“ હે ભારત, વળી તમોગુણ ને અજ્ઞાાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ. તે જીવાત્માને પ્રમાદ, નિદ્રા, વગેરે વડે બાંધે છે. “

સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ ત્રણ પ્રકારના ગુણો મનુષ્યમાં જોવા મળે છે. દૈવી લક્ષણોવાળામાં સત્ત્વગુણ હોય છે, દાનવી પ્રકૃતિ કે લક્ષણોવાળા રજોગુણી કહેવાય છે. જ્યારે મેલીવિદ્યા, પ્રેતવિદ્યા અથવા અતિશય ક્રોધી સ્વભાવના લોકોને તમોગુણી કહેવામાં આવે છે. તમોગુણ એ વ્યક્તિમાં અજ્ઞાાનતાને લીધે વિકસે છે, ફ્ેલાય છે અથવા પ્રવેશે છે. અહીં અજ્ઞાાનતા એટલે ધર્મની અજ્ઞાાનતા, ઈશ્વરની શક્તિઓ બાબતની અજ્ઞાાનતા તેવો અર્થ લેવાય.

ભગવાન કહે છે કે આ તમોગુણ છે તે જીવોને જગતના મોહમાં નાંખનારો છે. જીવોને જગતની સંપત્તિ, સુરા, સુંદરી, અન્ય વ્યસન વગેરે તરફ્ લલચાવનાર છે. પોતાની અજ્ઞાાનતાને લીધે તે વ્યક્તિની બુદ્ધિ મૂઢ થઇ ગયેલી હોય છે. ગીત-સંગીત ખાસ તો ઘોંઘાટમય સંગીત, ઝાકમઝોળ, કામોત્તેજક વસ્ત્ર પરિધાન આવી બધી બાબતો તરફ્ તે આકર્ષાઈ જાય છે. ઘણી વખત તે એમાં એવો ડૂબી જાય છે કે પછી તે એમાંથી બહાર આવી જ શકતો નથી અને હાથે કરીને પોતાનું પતન કે વિનાશ નોંતરે છે. તમોગુણ તેને આળસુ અને ઊંઘણશી બનાવી દે છે. તેને બધું બેઠાં બેઠાં સરળતાથી મળે તે ખૂબ ગમે છે.

પરંતુ આવી આળસ અને અતિશય નિંદ્રા તેના શરીર માટે મોટા મોટા રોગને નિમંત્રણ આપે છે. પોતે પોતાના જ કાવાદાવામાં જ ફ્સાઈ જાય છે પછી અકળાઇ જાય છે અને અંતમાં તે ચારે દિશાએથી નિરાશા અને દુઃખ પામે છે. .

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111462331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now