Health Prediction By Fate Line
હથેળીની આ રેખા દ્વારા જાણી લો, તમે બનશો માતા-પિતા કે રહેશો નિઃસંતાન
ભાગ્ય રેખા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે એટલે જ તેને જીવન રેખા પછી બીજા સ્થાન પર માનવામાં આવે છે. ભાગ્ય રેખા દ્વારા વ્યક્તિના જીવનમાં સફળતા, ધનની સ્થિતિ અને સ્વાસ્થ્યનો હાલ જાણી શકાય છે. ભાગ્ય રેખાથી એ પણ ખબર પડે છે કે કોઈ વ્યક્તિને હૃદય રોગ થઈ શકે છે, પાણીમાં ડૂબવાની શક્યતા છે અને કોઈ સ્ત્રીને સંતાન સંબંધી પરેશાની થઈ શકે છે કે નહીં.
- હસ્તરેખા વિજ્ઞાન મુજબ જેમની હથેળીમાં શનિ પર્વત ઊંચો હોય છે અને ભાગ્ય રેખા ચંદ્ર પર્વતથી ચાલીને હૃદય રેખા પર અટકતી હોય તેવા લોકોને હૃદય રોગ થવાની શક્યતા રહે છે.
- જેમની હથેળીમાં ભાગ્ય રેખાની એક શાખા નીકળીને મસ્તિષ્ક રેખા સુધી મળે છે અને ભાગ્ય રેખા પણ મસ્તિષ્ક રેખાને મળીને ત્રિભુજનો નિશાન બનાવે છે તેમને જળ ક્ષેત્રની આજુબાજુ સાવચેત રહેવું જોઈએ. વા વ્યક્તિની પાણીમાં ડૂબવાની શક્યતા રહે છે.
જે વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખા હૃદય રેખા પર જઈને રોકાતી હોય અને ત્યાં દ્વીપનો નિશઆન બની રહ્યો હોય તો વ્યક્તિ પ્રેમમાં પાગલપનની હદ સુધી જવાવાળો હોય છે.
- જે કન્યાની હથેળી સખત હોય છે અને જીવન રેખા બે શાખાઓમાં વેંચાતી હોય છે અને ભાગ્ય રેખા અન્ય રેખાઓ કરતા વધુ મોટી હોય ત્યારે તેને ગર્ભધારણ કરવામાં પરેશાની આવતી હોય છે. જો ભાગ્ય રેખા પર કટનો નિશાન હોય અથવા ભાગ્ય રેખા તૂટેલી હોય ત્યારે એવી શક્યતા વધી જાય છે. તેથી લગ્નના સમયે કન્યાનો ચહેરો જ નહીં તેમની હથેળી પણ જોવી જોઈએ.
- હથેળીમાં ભાગ્ય રેખા મસ્તિષ્ક રેખાની નીચે ગોળાકાર ચિન્હ બનાવી રહી હોય તો આ શુભ સંકેત નથી હોતો. તેનાથી વ્યક્તિને દુર્ઘટનાનો સામનો કરવો પડે છે. એવામાં વ્યક્તિ પોતાની યાદશક્તિ ગુમાવી શકે છે.
સમુદ્રશાસ્ત્રમાં જણઆવ્યાં મુજબ હથેળીમાં બંને કિનારામાંથી કોઈ પણ તરપથી કોઈ રેખા નીકળી ભાગ્ય રેખાને કાપતી હોય તો એ સંકેત છે કે વ્યક્તિને શત્રુઓ તરફથી સાવચેત રહેવું જોઈએ અન્યથા નુકસાન થાય છે. એવામાં ભાગ્ય રેખાથી પરિવારમાં મતભેદ તથા કંકાસની સ્થિતિ પણ બનેલી રહે છે.
- અંગૂઠાની પાસેથી કોઈ રેખા નીકળીને ભાગ્ય રેખાને કાપતી હોય તો એ સંકેત છે કે વ્યક્તિના ગેરકાયદેસર સંબંધો હોય શકે છે અને કામવાસનામાં ફંસાયને તે પોતાનું નુકસાન પણ કરી બેસે છે.
- જેમની હથેળીમાં ભાગ્ય રેખા વારંવાર તૂટીને શનિ પર્વત સુધી પહોંચતી હોય તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ બન્યાં રહે છે. આવા લોકોના ભાગ્ય જીવનમાં કાયમ પરિવર્તન આવતા રહે છે એટલે મુશ્કેલીઓની સાથે જીવનમાં આગળ વધે છે.