Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રૂદ્રાક્ષ સાચો છે કે ખોટો પરખ આ રીતે કરો, ધારણ કરવાથી ભોલેનાથની કૃપા ઉતરશે

રૂદ્રાક્ષ ભગવાન મહાદેવને ‌અત્યંત પ્રિય છે. તમે તેમનાં મસ્તક પર રૂદ્રાક્ષ જોઇ શકો છો અને બીજી વાત એ છે કે જે લોકો ભગવાન મહાદેવને રાજી કરવા માગતા હોય છે તે પણ રૂદ્રાક્ષની માળા ધારણ કરે છે તથા આ માળાનો જાપ કરી પ્રભુ ને યાદ કરે છે. જો રૂદ્રાક્ષની માળા કોઇ સાધુ-સંતોને આપવામાં આવે તો આપણી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને રૂદ્રાક્ષની માળા સાધુ-સંતોને આપવાથી આપણને શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ રૂદ્રાક્ષને ધારણ કરવાથી તમામ આપતા ટળી જાય છે.
સામાન્ય રીતે તો રૂદ્રાક્ષ 12 પ્રકારના હોય છે. જેમાં દરેક રૂદ્રાક્ષની વિવિધ વિશેષતાઓ હોય છે અને દરેક પ્રકારના રૂદ્રાક્ષ પહેરવા માટે વિવિધ પદ્ધતિઓ હોય છે. આપણે જ્યારે પ્રભુ મહાદેવની પૂજા-અર્ચના કરવા જઈએ છીએ ત્યારે આપણને મહાદેવના શરીર પર રૂદ્રાક્ષ જોવા મળી જતા હોય છે પરંતુ માર્કેટમાં મળતા રૂદ્રાક્ષ સાચા છે કે ખોટા તેની પરખ કઇ રીતે કરવી ?

એવી માન્યતા છે કે આ રૂદ્રાક્ષનો ઉપયોગ કરી તમે તમારી બધી જ મુશ્કેલીઓનુ નિવારણ લાવી શકો તથા તમને લાભ થશે, તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે.

તો આજે આપણે જાણીએ કે આ રૂદ્રાક્ષની સાચી પરખ કેવી રીતે થાય છે

રૂદ્રાક્ષ સાચો છે કે નહીં તે જાણવા માટે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લો તેમા રૂદ્રાક્ષ ઉમેરો અને આ પાણીને હુંફાળું ગરમ કરો. જો રૂદ્રાક્ષનો રંગ ઊડવા માંડે અથવા તો તેના આકારમા કંઈ પરિવર્તન થઈ જાય તો ખ્યાલ આવી જશે કે આ રૂદ્રાક્ષ અસલી નથી. કારણ કે જે રૂદ્રાક્ષ અસલી હોય તે રૂદ્રાક્ષને ગમે તેટલો ગરમ કરવાથી પણ તેનામાં કોઈ પરિવર્તન થતું નથી.

બીજી પદ્ધતિ એ છે કે સૌપ્રથમ તો એક નાની વાટકી લઈ તેને પાણીથી ભરો. ત્યારબાદ તમારી પાસે રહેલા રૂદ્રાક્ષને આ પાણી ભરેલ વાટકીમાં નાખો. જો આ રૂદ્રાક્ષ નીચે તળિયે બેસી જાય તો આ રૂદ્રાક્ષ અસલી છે અને જો આ રૂદ્રાક્ષ પાણીની ઉપર તરે છે તો તે રૂદ્રાક્ષ અસલી નથી.
ત્રીજી પદ્ધતિ જે છે એ રૂદ્રાક્ષને જો સોયથી કોતરવામાં આવે અને તેમાંથી રેસા નીકળે તો તે રૂદ્રાક્ષ અસલી છે અને જો તેમાંથી રેસા ન નીકળે તો તે રૂદ્રાક્ષ નકલી છે. સરસવના ઓઇલમાં રૂદ્રાક્ષને ગરમ કરવામાં આવે તો અસલી રૂદ્રાક્ષ ચમકવા લાગે છે અને જો રૂદ્રાક્ષ નકલી હોય તો તેનો રંગ ઊતરી જાય છે.

આ ઉપરાંત રૂદ્રાક્ષ પરખવાની સૌથી જૂની અને મહત્વની પદ્ધતિ ગણાય છે. એક તામ્ર ધાતુનો ટુકડો લો. આ ધાતુના ટુકડા ઉપર રૂદ્રાક્ષ મૂકો ત્યાર બાદ ફરી એક ત્રાંબાની ધાતુનો ટુકડો લો અને તેની આજુબાજુ ફેરવો અને નિહાળો કે જો રૂદ્રાક્ષમાં જરા પણ હલનચલન થતું જોવા મળે તો સમજવું કે આ રૂદ્રાક્ષ સાચો છે.

અન્ય એક વાત એ પણ છે કે સાચા રૂદ્રાક્ષનો આકાર ખાડાખબડાવાળો હોય છે. જ્યારે નકલી રૂદ્રાક્ષ એ દરેક જગ્યાએથી એક સરખો દેખાય છે. આ રૂદ્રાક્ષ પર કોઇએ કોતરકામ કરી ને બનાવ્યો હોય તેવું લાગે છે આમ તેને જોવાથી પારખી શકાય છે.

આ રૂદ્રાક્ષને તમે હાથ પર, ગળામાં ધારણ કરી શકો છો. સોમવારે પવિત્ર આસન પર બેસીને દીપ પ્રગટાવી રૂદ્રાક્ષને પૂજન કરી પછી ધારણ કરો. ભોલેનાથને ખુબજ પ્રિય છે આ રૂદ્રાક્ષ. ખુબજ પવિત્ર છે રૂદ્રાક્ષ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111440572
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now