ફેંગશુઈ અનુસાર ઘરમાં કેવા રંગ કરાવશો?
ફેંગશુઈના મત મુજબ યિન અને યાંગની આંતરક્રિયાઓથી જ સ્થિતિએ બદલાય છે. યિનનો રંગ કાળો હોય છે અને તેની કાળાશ સંપૂર્ણ રંગોને સ્વયંમાં સમાવી દે છે, યાંગની સફેદી દરેક રંગોને પ્રતિબિંબિત કરે છે.
રંગ વડે જ વિભિન્ન વાતાવરણમાં સુવિધા અનુસાર રહેવાની પ્રેરણા મળે છે. રંગની પસંદગી વડે જ બીજા લોકો તમારા વિશે સારી અથવા ખરાબ ધારણા બનાવી દે છે. રંગ તો માત્ર શારીરિક વ્યાધિઓનું નિદાન કરે છે, પરંતુ રહેવાની જગ્યાને પણ પ્રભાવશાળી બનાવીને સંવેદનાઓને જાગૃત કરે છે.
રંગનો ઉપયોગ કરવો એક રીતે પ્રકાશ સાથે રમત કરવી તે છે. પ્રકાશમાં પણ દરેક પ્રકારના રંગ રહેલા હોય છે. દરેક ઘર તથા તેના રૂમની સ્થિતિ ભિન્ન હોય છે. માટે ત્યાં પ્રકાશની વ્યવસ્થા કેવી હોવી જોઈએ, તે ઘણી બાબતો ઉપર નિર્ભર કરે છે. રૂમમાં જગ્યા કેટલી છે, બારીઓ કેટલી છે, સજાવટ કેવી છે અને કૃત્રિમ પ્રકાશનો સ્રોત ક્યો અને કેવો છે, આ બધી બાબતોને તપાસ્યા પછી જ નક્કી કરવું જોઈએ, કે ત્યાં કયા પ્રકારના રંગ સંયોજનની આવશ્યક્તા છે.
કેવા રંગ પસંદ કરશો?
રંગ એવા પસંદ કરો કે જે તમારા ઘરના ભાગ્ય માટે લાભદાયક હોય. તેમની પસંદગી એવી સચોટ હોવી જોઈએ કે ઘરના ખાસ ભાગની ઊર્જાઓને ઓછી, વધારે અથવા સંતુલિત કરી શકાય. હકીકતમાં દરેક ક્ષેત્ર ખાસ તત્ત્વોથી સંયુક્ત હોય છે અને તેને ખાસ તત્ત્વ જ લાભાન્વિત, હાનિગ્રસ્ત અથવા સંતુલિત કરી શકે છે.
બને ત્યાં સુધી ઘરમાં વધારે પડતાં બ્રાઇટ અને ડાર્ક કલરની પસંદગી કરવાનું ટાળો. કેમ કે તે પ્રકાશને અવરોધે છે. તેનાથી ઘરમાં કુદરતી પ્રકાશ ઝાંખો પડે છે, અને આ સારા ભાગ્ય માટે હાનિકારક છે. માટે બને ત્યાંસુધી ઘરમાં લાઇટ કલર કરાવવાનો જ આગ્રહ રાખો.
જો તમારો બેડરૂમ, ડાઈનિંગ રૂમ તથા રસોડા કરતા ઊંચા સ્તરે હોય તો, ‘ચી’ નો પ્રવાહ ઓછો હોય છે, માટે બેડરૂમને ડાઈનિંગ રૂમના લેવલમાં જ રાખો.
આ રીતે બેડરૂમ, સ્ટડીરૂમ અને ડ્રોંઈગ રૂમ પણ ‘ડાઈનિંગ રૂમ’ કરતા વધારે ઊંચા લેવલે ન હોવો જોઈએ.
ફેંગ શુઈ અનુસાર ઘરની સ્થિતિ એવી ન હોવી જોઈએ કે, તેમાં સીડીઓ ઉતરીને પ્રવેશવામાં આવે. નીચે તરફ જવું એ (ડિમોશન)નું પ્રતીક છે.
તમારા ઘરનું મ્હોં દક્ષિણ દિશામાં હોવું જોઈએ. ઘરનો બીજો દરવાજો પણ દક્ષિણ દિશામાં જ ખુલવો જોઈએ.
રસોડું પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.
બેડરૂમનો દરવાજો રસોડા બાજુ ન ખુલવો જોઈએ.
બારીઓ અને દરવાજાઓનું માપ ૩:૧ કરતાં વધારે ન હોવું જોઈએ.
હોલવેઝ સીધા અને લાંબા ન હોવા જોઈએ
.
એક સીધી રેખામાં ત્રણ કે તેથી વધારે દરવાજા ન હોવા જોઈએ.
સીડીઓ ગોળ ન હોવી જોઈએ.
ઘરની આગળનો દરવાજો ઘરની લંબાઈ-પહોળાઈ અને ઊંચાઈ પ્રમાણે જ બનાવવો જ જોઈએ. જો ઘર મોટું હોય તથા દરવાજો નાનો હોય, તો આવી સ્થિતિમાં ઘરમાં પારિવારિક-ક્લેશ થવા લાગે છે. જે દરવાજો, ઘરની તુલનામાં વધારે મોટો હોય તો, પણ ભાગ્ય વિપરીત થઈ જાય છે.
જો તમારો દરવાજો કોઈ ‘શાર’ની માફક ખુલે છે, તો તેના દુષ્પ્રભાવોથી બચવા માટે ઉપાય કરવા જોઈએ. દરવાજાની બરોબર સામે સ્ટ્રીટ-લાઈટ પોલ, સીધા-લાંબા ઝાડ અથવા કોઈપણ એવી વસ્તુ જે સીધી, લાંબી અથવા કોણાકાર હોય, તેને ‘શાર’ કહેવામાં આવે છે.
આ વસ્તુઓના દ્રશ્યને પ્રતિબિંબિત કરવા માટે તમે દરવાજાની ઉપર ‘પા-કુવા દર્પણ’ લગાવી શકો છો. આ ‘શાર’ના દુષ્પ્રભાવોથી બચવા માટેની પ્રભાવશાળી રીત છે. તે સિવાય તમે દીવાલો બનાવીને અથવા ઝાડીઓની વાડ લગાવીને પણ ‘શાર’ની ખરાબ અસરોને રોકી શકે છે.