રાત્રે ઘરના દરવાજા બહાર કચરાપેટી રાખવાની આદત કરી શકે છે કંગાળ
વાસ્તુ નિષ્ણાંતો અનુસાર ઘરમાં ઉત્પન્ન થતી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સ્ત્રીઓ હોય છે. તે ઊર્જા નકારાત્મક હોય કે સકારાત્મક તેનો પ્રવાહ સ્ત્રીઓ દ્વારા ફેલાતો હોય છે. તેમના આચાર-વિચાર અને વ્યવહારના આધારે જ ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરે છે.
જો ઘરમાં સ્ત્રી દુ:ખી રહેતી હોય, તેનું અપમાન થતું હોય અથવા તો ઘરમાં સ્ત્રી ઝઘડાખોર હોય તો આવા ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી.
સ્ત્રી ધારે તો તેના ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને તેનું માન-સન્માન ન જળવાઈ તે ઘર નર્ક સમાન બની જાય છે.
ઘરના સુખ-દુ:ખનો આધાર સ્ત્રી પર છે એટલે જ સ્ત્રીઓએ પણ કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આમ કરવાથી ઘર પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને તિજોરી ધનથી સતત છલકતી રહે છે. સૌથી પહેલાં નાની-નાની વાતોના કારણે મનને દુ:ખી કરવાની આદત છોડી દેવી. ઘરમાં પણ સ્વચ્છ કપડા પહેરી અને સારી રીતે તૈયાર થઈને રહેવું. ઘરમાં સાફ-સફાઈનું પણ ખાસ ધ્યાન રાખવું. રોજ સવારે વહેલા સ્નાન કરી લેવાની આદત રાખવી. સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જેથી ભોજન પણ સાત્વીક વિચારો સાથે બને.
ગૃહિણીઓ રાત્રે ઘરના દરવાજા બહાર કચરાપેટી રાખી દે છે. આમ ક્યારેય ન કરવું, આ આદતના કારણે કંકાશ થશે ઉપરાંત ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ અટકશે. તેથી વહેલી સવારે ઘરની સાફ-સફાઈ કર્યા પછી કચરો ઘરમાંથી બહાર ફેંકી દેવો.