Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરતી કરતી સમયે હાથમાંથી પડી જાય છે દીવો તો થશે અપશુકન

આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘણી વખત ઘરના મોટા લોકો સામાન્ય ઘટના પર ભવિષ્યનો અંદાજો લગાવી લે છે અને એવું કઇ થાય છે ત્યારે જ્યારે આપણા હાથમાંથી કંઇક પડી જાય છે. કેટલીક વખત અજાણતા આપણા હાથથી કોઇને કોઇ વસ્તુ પડી જાય છે. જેને આપણે નજર અંદાજ કરીએ છીએ. પરંતુ આપણા વૃદ્ધો તેને લઇને ભવિષ્યનો અંદાજો લગાવે છે. એવામાં જ્યોતિષમાં તેને ભવિષ્યમાં થનારા ખરાબ સંકેતનો ઇશારો માનવામાં આવે છે અને આજે અમે તમને જણાવીશું કે હાથમાંથી શુ પડે છે તો અપશુકન થાય છે.

– કહેવાય છે કે ક્યારેક હાથમાંથી પાણી ભરેલો ગ્લાસ પડી જાય તો તેનો અર્થ છે આવનાર સમયમાં કોઇ પણ બીમારી આવવાની છે.

– કહેવામાં આવે છે જો રસોઇમાં ખાવાનું બનાવતા સમયે તેલ પડી જાય તો ઘરના સદસ્યો પર કોઇ દેવું થવાનુ છે અને ઘરમાં આર્થિક સમસ્યા આવી શકે છે.

– કહેવાય છે જો મંદિરમાં પૂજાની સામગ્રી કે આરતીની થાળી પડી જાય, કે પછી દીવો રાઝ થઇ જાય તો ભવિષ્ય માટે અશુભ સંકેત હોય છે આમ થવાથી ઘરમાં કંઇક અશુભ ઘટના થઇ શકે છે.

– હાથમાંથી સિંદુર પડી જાય તો તેનો અર્થ પતિ પર કોઇ સંકટ આવવાનો છે અને બની શકે છે કે તેની મોત થવાની છે.

– તેમજ જો દૂધ ઉભરાઇને બહાર આવે તો તેને મતલબ છે કે ઘરમાં કઇ ખરાબ થવાની સંભાવના છે. તેમજ સંબંધીઓ વચ્ચે મતભેદ થઇ શકે છે.
– જો કાળામરી હાથમાંથી પડી જાય તો તમારા નજીકના સંબંધોમાં મતભેદ થઇ શકે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111434251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now