શનિને અનુકૂળ બનાવવા, કયા વિશેષ મંત્રથી શરૂ કરશો પૂજા?
જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે જ્યારે શનિની કુંડળીમાં વિપરિત યોગ બને છે, તો માણસનો સમય ખૂબ જ કઠિન બની જાય છે. જે શનિની એક છબી અનિષ્ટ કરનાર દેવતાના રૂપમાં જોવામાં આવે છે. જ્યારે શનિનો બીજો પહેલુ એ પણ છે કે શનિની અનુકૂળતાથી કોઈપણ માણસ જમીનથી આસમાન સુધી પહોંચી જાય છે. તે કિસ્મતને બુલંદ કરી સફળતાની ઊંચાઈઓ ઉપર લઈ જઈ શકે છે.
શનિદશા, સાડાસાતીમાં જો બીજા ગ્રહોની સાથે જ ખરાબ યોગ બને છે કે અસર થાય છે તો તેને જ શનિની ત્રાસી નજર કે વાંકી ચાલના પ્રભાવ માની ઘાતક પણ માનવામાં આવી છે. પરંતુ શાસ્ત્રો પ્રમાણે તેનાથી બચવા માટે શનિકૃપા પ્રાપ્ત કરવા માટે શનિ ઉપાસનાના ઉપાય બતાવ્યા છે.
આ કડીમાં ખાસ કરીને શનિશ્ચરી જયંતિ(21 મે)ના રોજ વિશેષ મંત્રથી શનિ ઉપાસનાનું મહત્વ છે. જો તમે આજે સવારે શનિપૂજા ચૂકી ગયા હોવ તો સાંજેના સમયે પણ શનિની આવી જ વિશેષ ઉપાસના શનિદશામાં થઈ રહેલી પીડા અને કષ્ટોથી બચવા કે છુટકારો અપાવવનારી હોય છે. જાણો શનિપૂજા દરમિયાન અપનાવવામાં આવતા એવા જ ઉપાયને….
-શનિ જયંતિ ઉપર શનિદોષ નિવારણ માટે શનિપૂજા શરૂ કરતા પહેલા એક વિશેષ મંત્રથી શનિનું ધ્યાન કરવામાં આવે તો તે શનિની પ્રસન્નતા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હંમેશા અનિષ્ઠથી બચાવનારું કવચ પણ. અહીં બતાવેલ એવો જ મંત્ર છે...
ॐ सूर्यपुत्रो दीर्घदेही विशालाक्षा शिवप्रिया
मंदाचारा प्रसन्न्तात्मा पीड़ां हरतु में शनि
-આ મંત્રથી શનિનું ધ્યાન કરી આગળની પૂજામાં તલ, તેલ, કાળા કપડાં, લોખંડની વસ્તુ, કાળા અડદ વગેરે ચઢાવી શનિ પૂજા, મંત્ર જાપ અને આરતી કરો.
-છેલ્લે શનિપીડાથી મુક્તિ માટે શ્રદ્ધાથી પ્રાર્થના કરો.