કાજલના 21 ચાંલ્લાથી દૂર થશે ઘરમાં આવેલી દરેક સમસ્યા
આંખોની સુંદરતા વધારવા માટે સૌથી જરૂરી છે કાજલ. મહિલાઓ તેમની સુંદરતા વધારવા માટે તેમની આંખોમાં કાજલ લગાવે છે. જ્યારે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા હોય તો તેમને કાજલ લગાવવામાં આવે છે. પહેલા જમાનામાં કાજલ ઘરમાં જ તૈયાર કરવામાં આવતી હતી. જે આંખોને ઠંડક પહોંચાડતી હતી. કાજલને સુરમા પણ કહેવામાં આવે છે. જે બે પ્રકારની હોય છે એક સફેદ સુરમાં અને બીજુ કાળો સુરમા.
આજ સુધી તમે કાજલનો ઉપયોગ માત્ર આંખોની સુંદરતા વધારવા માટે જ કર્યો હશે પરંતુ આજે અમે તમને જણાવીશું કે કાજલના ઉપયોગથી તમે ઘરમાં આવેલી ખરાબ વસ્તુઓ અને સમસ્યાને દૂર કરી શકે છે.
જો તમારા ઘરમાં હંમેશા લડાઇ-ઝઘડા થતો રહે છે તો તમે શનિવારના દિવસ સવારે કાળા કપડામાં નારિયેળ લપેટીને તેની પર કાજલના 21 ચાંદલા લગાવીને તેને ઘરની બહાર લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાં ખુશીઓ આવે છે અને તમે ખરાબ નજરોથી બચીને રહેશો. એટલું જ નહીં કાજલનો નાનકડો ઉપાય તમારી કિસ્મત બદલી દેશે.
જો તમારા લગ્ન નથી થઇ રહ્યા તો તમે શનિવારના દિવસે લાકડીથી જમીન ખોદીને તેમા કાળો સુરમો દબાવી દો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઉપાય કરવાથી જલદી લગ્ન થઇ જાય છે અને તમને તમારો મનપસંદ જીવનસાથી મળે છે. જો તમારી પર શનિનો પ્રકોપ છે તો તમારે કાળો સુરમો શનિવારના દિવસે માથાની પગ સુધી કોઇની સાથે ઉતારીને શાંત જગ્યામાં જમીનમાં દાટી દો. તેનાથી તમે શનિના પ્રકોપથી સહેલાઇથી બચી શકો છો.