Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણો કોણ છે લાફિંગ બુદ્ધા અને ભગવાન બુદ્ધ સાથે તેમનો શું છે નાતો?

લાફિંગ એટલેકે હસતું રહેવુ જીવનમાં હાસ્ય ખુબજ જરૂરી છે. હસતું રહેવુ એક સકારાત્મક ભાવ છે. જે વ્યક્તિને આંતરિક રૂપથી સમૃદ્ધિશાળી થવા તરફ લઈ જાય છે. હાસ્ય સહજતાનું રિફ્લેક્શન છે. કોઈ પણ વ્યક્તિ કે સમાજ આંતરિક રૂપથી જેટલો સહજ અને પ્રેમપૂર્ણ હશે તેટલીજ તેને ખુશી વ્યક્ત કરવાની ક્ષમતા હશે. કેમકે તણાવગ્રસ્ત તેમજ કુંઠીત વ્યક્તિ ખુલીને હસી નહી શકે. હસવુ ઈશ્વરની પ્રાર્થના સમાન છે.

જો આધ્યાત્મિક સંદર્ભે જોવામાં આવે તો જ્યારે આપણે આત્મસ્વરૂપથી સ્થિત થઈએ છીએ. ત્યારે હાસ્ય આપણા અસ્તીત્વને એક અલગ ઓળખ આપી જાય છે. આપણું હદય ગદ્દગદ્દીત થઈ જાય છે. અંત:કરણથી ઉઠતો આનંદ અને ખુશી આપણા મુખારવિંદને ચમકાવી દે છે. આપણું રોમ રોમ ખીલી ઉઠે છે.

જ્યારે આપણે ખીલખીલીને હસી ઉઠીએ ત્યારે આપણી માંસપેશિઓ મસ્તિષ્ક અને ચહેરાને હસવા વિવશ કરી દેશે. વિશ્વ હાસ્ય દિવસ પર લાફિંગ બુદ્ધાની ચર્ચા ન થાય તો થોડું આશ્ચર્ય થાય. ઘર ઘરમાં સુખ સમૃદ્ધિ અને આનંદ લાવનારા દેવદૂત અંગે જાણવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આપણને સવાલ થાય કે આ લાફિંગ બુદ્ધા કોણ હતા? જાપાનના એક ભિક્ષુક હતા હોતેઈ ઝેન બોદ્ધ ધર્મની મહાયાન શાખાનો જ એક સંપ્રદાય છે, ઝેનનો શાબ્દીક અર્થ છે ધ્યાન.

જાપાનમાં ભગવાન બુદ્ધના શિષ્ય હોતેઈ ખુબજ આળસુ સ્વભાવના ભિક્ષુક હતા. તે ખુબજ નિર્લિપ્ત અને નિરપેક્ષ ભાવથી જીવનને જીવવામાં વિશ્વાસ રાખતા હતા. તેઓ જે કાર્ય કરતા તેમાં પૂર્ણ પણે ડૂબી જતા હતા. જાપાનમાં એવી માન્યતા છે કે એક વાર હોતેઈ મેડિટેશન કરતા કરતા રોમાંચિત થઈ ગયા અને ધ્યાનાવસ્થામાં હસવા લાગ્યા.
આ અદ્ભુત ઘટનાથી લોકો તેને લાફિંગ બુદ્ધાના નામથી સંબોધિત કરવા લાગ્યા. ધુમવુ ફરવુ, દેશાટન કરવુ, લોકોને હસાવવા અને ખુશીઓ વહેંચવી લાફિંગ બુદ્ધાનું ધ્યેય બની ગયુ. ચીનમાં લાફિંગ બુદ્ધાને પુતાઈના નામથી જાણવામાં આવે છે.

ચીનના લોકો તેને એક ભીક્ષુકના નજરીયાથી જુએ છે. જે એક હાથમાં ધનધાન્યનો થેલો લઈને ચહેરા પર ખીલખીલાટ હાસ્ય અને પોતાના મોટા પેટ સાથે હસતા હસતા સકારાત્મક ઉર્જા આપે છે. તેને સમૃદ્ધિ તેમજ ખુશહાલીના સંદેશવાહક અને ઘરમાં રહેલ વાસ્તપદોષ નિવારણનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં લાફિંગ બુદ્ધાનું સ્ટેચ્યુ હોય ત્યાં હકારાત્મક ઉર્જા રહેતી હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111422776
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now