Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવપરણિત યુગલે દરરોજ કરો આ કામ, ન પ્રેમ ઘટશે ને નહીં મળે દગો

જો પતિ-પત્નીના સંબંધોમાં પહેલાં જેવી મિઠાશ નથી, સંબંધો બચાવવા માગે છે પરંતુ કોઇપણ રીત કામ નથી કરી રહી તો તમારે જ્યોતિષ અને વાસ્તુની મદદ લેવી જોઇએ. લગ્ન બાદ માત્ર પતિ-પત્ની જ નહીં પણ આખા પરિવારનું જીવન બદલાય જાય છે. સામાન્યતઃ અથાગ પ્રયાસો બાદ પણ પતિ-પત્ની વચ્ચે ક્યારેક-ક્યારેક તણાવ ઉભો થઇ જાય છે. આ નાની-નાની તકરાર લડાઇ-ઝગડામાં પરિવર્તિત થઇ જાય છે. તેવામાં લગ્નજીવન સુખમય રહેતું નથી. આ પ્રકારની પરિસ્થિતિઓથી બચવા માટે શ્રીરામ અને સીતાની તસવીરની પૂજા કરવી જોઇએ.

શ્રીરામ-સીતાની યુગલ તસવીરની આરાધના કરવાથી પરિવારમાં શાંતિ ઉપરાંત સંપૂર્ણ સુખ-સુવિધામાં વધારો થાય છે. પરંતુ આ પૂજા પતિ-પત્નીએ સાથે બેસીને કરવી પડશે. એકલા ન કરો. હંમેશા તસવીરની સામે પોતાના જીવનસાથી સાથે જ બેસો. તેનાથી તમારા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. શ્રીરામ અને સીતાનું જીવન ઘણા કષ્ટોમાંથી વ્યતિત થયું પરંતુ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ક્યારેય ઘટ્યો નહોતો. એ જ રીતે તેમની પૂજા કરવાથી દંપત્તિની વચ્ચે અતૂટ પ્રેમ જળવાય રહેશે. શ્રીરામ અને સીતાની પુજા કરનાર ભક્તોની ભગવાન દરેક મનોકામનાપૂર્ણ કરે છે અને તેમનું જીવન સુખી રહે છે.

આ રીતે કરો તસવીરની પસંદગી

રામ-સીતાની અનેક પ્રકારની તસવીરો માર્કેટમાં છે. મોટાભાગે તસવીરો રામ દરબારની મળે છે, જેમાં રામ-સીતા ઉપરાંત લક્ષ્મણ, ભરત અને હનુમાન પણ હોય છે. આ તસવીરને પણ ઘરમાં રાખવી શુભ મનાય છે, પરંતુ આ ઉપાય માટે એવી તસવીર લગાવો જેમાં રામ અને સીતા જ હોય, તેમાં પણ જો સિહાસનમાં બેસેલા હોય તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તસવીરને શુક્રવારે તમારા ઘરમાં લગાવો, પછી તેની પૂજા શરૂ કરો. તેનાથી બગડેલા સંબંધો સુધરશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111413753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now