ભગવાન ગણેશની આવી મૂર્તિ હોવી જોઇએ ઘરના મુખ્ય દરવાજા પર, થશે લાભ
વાસ્તુ અનુસાર કોઇપણ ઘરના મુખ્ય દરવાજો ખાસ મહત્વ રાખે છે. જોકે તે જ રસ્તાથી સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારની ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશથી વ્યક્તિને માનસિક અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યારે સકારાત્મક ઉર્જા આવવાથી ઘરમાં શાંતિ રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં નકારાત્મક ઉર્જાને રોકવા માટે અનેક ટિપ્સ આપવામાં આવી છે. આવો જોઇએ દરવાજાથી જોડાયેલા કેટલાક ઉપાય જેને અપનાવીને તમે હંમેશા સુખ-સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
– ઘરમાં સુખ-સમૃદ્ધિ રાખવા માટે સિંદુરી રંગના ગણપતિને રાખવા શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર ગણપતિની એવી મૂર્તિ રાખવાથી દરેક મનોકામના પુરી થાય છે.
– ઘરના મુખ્ય દ્વાર પર ગણેશની ફોટો લગાવી હોય તો દરવાજાની બીજી તરફ ઠીક તેજ સ્થાન પર ગણેશજીની પ્રતિમાને એ રીતે લગાવો કે બન્ને પ્રતિમાની પીઠ મળેલી હોવી જોઇએ.
– ઘરમાં ગણેશજીની મુર્તિ કે ફોટો બેઠેલી અવસ્થામાં હોવી જોઇએ. તેનાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે.
– મુખ્ય દરવાજા પર સ્વસ્તિક, ऊँ, શ્રી ગણેશ જેવા શુભ ચિહ્ન લગાવવા જોઇએ.
– ઘરના મુખ્ય દરવાજા પર કચરો કે ગંદકી બિલકુલ ન હોવી જોઇએ. સ્વચ્છ જગ્યા પર હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
– મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ જરૂર રાખવો જોઇએ. તુલસીના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.
– મેન ડોર પર વિંડ ચાઇમ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ હંમેશા રહે છે.
– ઘરના મુખ્ય દરવાજા પર સામાન્ય પાનના તોરણ લગાવવાથી પણ સકારાત્મક ઉર્જા આવે છે.