Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
આખરે કેમ લોકો ગુરૂવારે જ પહેરે છે પીળા રંગના કપડા, આ છે તેનું રહસ્ય
ઘણા લોકો ગુરુવારે પીળા કપડા પહેરવાનું પસંદ કરે છે જેને તે લોકો શુભ માને છે કે પછી પ્રાચીન સભ્યતાને આજે પણ બનાવી રાખી છે. કેટલાક લોકો દિવસ અનુસાર કપડાના રંગની પસંદગી કરે છે અને તે રંગના કપડાને ખાસ દિવસે પહેરે છે. જોકે, ગુરુવારે પીળા રંગના કપડા પહેરવાનું ખાસ મહત્વ હોય છે. જો તમે પણ એવું માનો છો તો અમે તમને જણાવીશું આખરે ગુરુવારે લોકો કેમ પહેરે છે પીળા કપડા…
કહેવામાં આવે છે કે પીળો રંગ સાદગી અને નિર્મળતાનું પ્રતીક હોય છે. જેથી હિન્દુ ધર્મમાં પીળા કપડા પહેરવાની રીત છે. કેટલીક વખત પૂજા પાઠમાં પણ પીળા રંગના કપડા પહરેવામાં આવે છે કારણકે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ પ્રિય હોય છે. જેને લઇને પૂજા પાઠમાં પીળા રંગના કપડા પહેરવામાં આવે છે. એટલું જન નહી ઘણા એવા લોકો હોય છે જે પીળા કપડા પહેરવાનું પસંદ કરે છે.
તમને જણાવી દઇએ કે પીળા રંગના કપડા પહેરવા ફેંગશુઇ શાસ્ત્ર અનુસાર કેટલા મહત્વપૂર્ણ હોય છે. હિન્દુ ધર્મમાં તેને શુભ માનવામાં આવે છે. જ્યારે ફેંગશુઇમાં તેને આત્મિક રંગ કહેવામાં આવે છે. આત્મિક એટલે આત્મા અને આધ્યાત્મથી જોડનારો રંગ ગણવામાં આવ્યો છે. કહેવાય છે કે આખી દુનિયાને ઉર્જા સૂર્ય દેવતા આપે છે અને તેને રંગ પણ પીળો જ હોય છે તેમજ પીળા રંગને સૂર્યના પ્રકાશ, ઉષ્મા અને શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. પોતાને ઉર્જાવાન બનાવવા માટે તમે પણ ગુરુવારે પીળા રંગના કપડા પહેરી શકો છો.