- હનુમાનજીએ રાવણને એક ઘુસ્તો મારીને પોતાની જાતને ધિક્કારવા લાગ્યા
- વાનરો બધા લંકામાં જઈ એને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા
લક્ષ્મણજી યુદ્ધ કરી રહ્યા હતા. તેણે ઘણાને હણી નાખ્યા હતા એવામાં તેની સામે રાવણ આવ્યો અને રાવણ અને લક્ષ્મણજી વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું. તેણે રાવણ પર કેટલાય બાણોથી હુમલો કર્યો તે બેહોસ થઈ ગયો પણ થોડા જ સમયમાં ઉઠીને તેણે તે શક્તિ ચલાવી કે જે તેને બ્રહ્માજીએ આપી હતી. બ્રહ્માજીની આપેલી શક્તિ લક્ષ્મણજીને બરાબર છાતીમાં લાગી અને લક્ષ્મણજી વ્યકૂળ થઈને પડી ગયા. રાવણ લક્ષ્મણજીને ત્યાંથી ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જોઈને હનુમાનજી કઠોરવચન બોલતા દોડ્યા. હનુમાનજીના આવતાજ રાવણે તેના પર ભયંકર ઘૂસાથી પ્રહાર કર્યો.
હનુમાનજી સાવધાન થઈ ગયા અને ક્રોધમાં રાવણને એક ઘૂસો મારતા જ રાવણ ત્યાં પડી ગયો. હનુમાનજી બોલ્યા ધિક્કાર છે મને મારા પર કે હજી તું જીવિત રહી ગયો. એવું કહીને અને લક્ષ્મણજીને ઉઠાવીને હનુમાનજી રામજી પાસે લઈ ગયા. આ જોઈને રાવણને આશ્ચર્ય થયું. રામજીએ ધીરેથી લક્ષ્મણજીને કાનમાં કહ્યું લક્ષ્મણ તું તો કાળનો ભક્ષક અને દેવતાઓનો રક્ષક છે.
આ વાત સાંભળતા જ લક્ષ્મણજી પછી ધનુષ્યબાણ લઈને દોડ્યા વધારે ઝડપથી શત્રુની સામે પહુંચે. ત્યાં રાવણ મૂર્ચ્છાથી જાગીને કંક યજ્ઞ કરવા લાગ્યો. અહીં વિભિષણજીને આ ખબર મળતા તેણે તરત રામજીને કહ્યુઃ રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે તેથી તે સહજ રીતે નહીં મરે. માતે તરત આ યજ્ઞનો વિધ્વંશ કરવો જ પડશે. જેથી રાવણ યુદ્ધમાં આવે. સવાર થતાં જ હનુમાન, અંગદ બધા દૌડ્યા અને લંકામાં ઘુસી તેના મહેલમાં ગયા.
જ્યાં તે યજ્ઞ કરી રહ્યો દેખાયો. ત્યાં જ બધા વાનરોને ખૂબ ગુસ્સો આવ્યો. તે બધા ત્યાં જઈને બોલ્યા અરે નિર્લજ રણભૂમિથી ઘરે આવી ગયો અને અહીં આવીને બગલાની જેવું ધ્યાન લગાવીને બેઠો છે. એવું કહીને અંગદે લાત મારી. જ્યારે તેની આંખો ન ખુલી તો વાનર ક્રોધ કરીને સ્ત્રીઓને વાળ પકડીને બહાર લઈ આવ્યા. તે રાવણને પુકારવા લાગી. ત્યારે રાવણ કાળની સમાન ક્રોધિત થી ગયો અને વાનરોને પકડીને પટકવા લાગ્યો.
એ સમયે વાનરોએ યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. યજ્ઞવિધ્વંસ કરીને બધા વાનર રામજી પાસે પાછા આવી ગયા. રાવણ યુદ્ધભૂમિમાં પાછો જવા લાગ્યો તો ગીધ આવીને તેની પર બેસવા લાગ્યા.