Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘરમાં નથી રહેતા પૈસા, તો તેનું કારણ છે તમારા ઘરનું માટલું

ઘણી વખત ઘરમાં નાની-નાની વાતમાં લડાઇ-ઝઘડા થતા રહે છે કે પછી કેટલીક એવી વાતો જલદી જ કોઇ મોટા નુકસાનનું સ્વરૂપ લઇ લે છે અને આપણાને સમજ પડતી નથી કે સતત ઘરમાં ઝઘડા થવાનું કારણ શુ છે. જોકે તેનું કારણ તમારા ઘરમાં પણ હોય શકે છે. પરંતુ આપણને આ વાતનો અંદાજો હોતો નથી.

જ્યોતિશાસ્ત્ર મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે ઘરની સુખ-શાંતિને ભંગ કરે છે સાથે જ આપણે ઘણી એવી સમસ્યાઓથી પરેશાન થવું પડે છે. તો ચાલો આજે અમે તમને જણાવી દઇએ કે એવી કઇ વસ્તુઓ છે જેનાથી ઘરમાં શાંતિનો ભંગ થાય છે. શાસ્ત્રો અનુસાર તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે પાણીનો ઘડો રાખો છો તે અશુભ માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દ્વાર પાસે પાણીનો ઘડો રાખવાથી ઘણા નુકસાનનો સામનો કરવો પડે છે. જેથી મુખ્યદ્વાર પાસે પાણીથી ભરેલું કોઇપણ વાસણ ન રાખવું જોઇએ. આમ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે છે. તે સિવાય ક્યારેય પણ ઘરમાં તૂટેલા વાસણ ન રાખવા જોઇએ. જ્યોતિષશાસ્ત્ર મુજબ એવા વાસણોથી ઘરમાં લક્ષ્મીનો વાસ હોતો નથી અને ઘરમાં દરિદ્રતા આવે છે. જ્યારે કેલેન્ડર પણ ક્યારેય દરવાજાની આગળ કે પાછળ તરફ ન લગાવો. આમ કરવાથી પરિવારના સદસ્યનું આયુષ્ય ઓછું થાય છે. સાથે જ ઘરમાં કોઇને કોઇ સદસ્ય બીમાર રહે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111393817
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now