Palm Reading, Hastrekha, Jupiter Mount, Palmistry
હથેળીમાં આવા નિશાન હશે તો નહીં મેળવી શકો જીવનમાં ધારી સફળતા
હસ્તરેખા જ્યોતિષ મુજબ હથેળીની રેખાઓ અને બનાવટ જોઈને જાણી શકાય છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે કે નહીં. વ્યક્તિનું જીવન કેવું રહેશે, વ્યક્તિ ક્યારેય બોસ બની શકશે કે નહીં. કોઈ વ્યક્તિની નેતૃત્વ ક્ષમતા કેવી છે એ જાણવા માટે હથેળીના ગુરૂ પર્વતનું અધ્યયન કરવું જોઈએ. ગુરૂ પર્વત ઈન્ડેક્સ ફિંગરની ઠીક નીચે હોય છે.
- જો ગુરૂ પર્વત પર ઊભી રેખાઓ હોય તો આ શુભ ફળ આપે છે. આ રેખાઓના કારણે વ્યક્તિ સારો બોસ પણ બની શકે છે.
- જો ગુરૂ પર્વત પર આડી રેખાઓના જાળનો નિશાન દેખાય તો એ અશુભ માનવામાં આવે છે. તેનાથી ગુરૂ પર્વતનું શુભ ફળ પણ ખતમ થઈ જાય છે.
ગુરૂ પર્વત પર તારાનો નિશાન હોય અથવા રેખાઓથી બનેલો ત્રિકોણ અથવા ત્રિશૂળનો નિશાન દેખાઈ દે તો વ્યક્તિ સારો બોસ બની શકે છે.
- ગુરૂ પર્વત પર કોઈ જાળી અથવા ડાઘ હોય તો આ વ્યક્તિની નબળી નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
- જે લોકોની હથેળીમાં ગુરૂ પર્વત ઉપસેલો હોય છે અને તેના પર ઊભી રેખાઓ પણ હોય છે તે લોકો ધર્મ કામમાં લાગ્યા રહે છે. તેમને ભાગ્યનો પણ સાથ મળે છે.
- જો ગુરૂ પર્વત વધુ ઉપસેલો દેખાય તો એવા લોકો ધર્મની બાબતમાં કટ્ટર પણ હોય શકે છે.
- વધુ ઉપસેલો ગુરૂ પર્વત શુભ નથી હોતો. તેના પ્રભાવથી વ્યક્તિ અંહકારી પણ થઈ જાય છે અને બીજાને વધુ મહત્વ નથી આપતો.
- સામાન્ય સ્થિતિ સુધી ઉપસેલો ગુરૂ પર્વત વ્યક્તિને સંવેદનશીલ અને વિનમ્ર બનાવે છે. આવા લોકો બીજાના સુખ માટે પણ કામ કરે છે.
જો ગુરૂ પર્વત પર ખાડો દેખાય તો વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો. સાથે જ આવા લોક બીજાની અંદર રહીને જ કામ કરે છે. પર્વત ક્ષેત્ર પર ખાડા હોય તો પર્વતના તમામ શુભ લક્ષણ ખતમ થઈ જાય છે.