Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાસ્ત્રો પ્રમાણે હનુમાનજીને ઝડપથી પ્રસન્ન થનારા દેવ છે. ગોસ્વામી તુલસીદાસ દ્વાર રચિત શ્રીરામચરિતમાનસ પ્રમાણે માતા સીતા દ્વારા પવનપુત્ર હનુમાનજીને અમરતાનું વરદાન આપવામાં આવ્યું છે. આ વરદાનના પ્રભાવથી તેમને પણ અષ્ટ ચિરંજીવીમાં સામેલ કરવામાં આવે છે. કળયુગમાં હનુમાનજીના ભક્તોની બધી મનોકામનાઓ તરત જ પૂરી કરે છે. એવી માન્યતા છે.

બજરંગબલીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય બાતવ્યા છે. શ્રીરામના અનન્ય ભક્ત હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતા જ ભક્તના બધા દુઃખ દૂર થઈ જાય છે. પૈસા સાથે જોડાયેલ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. કોઈ રોગ હોય તો તે પણ નષ્ટ થઈ જાય છે. તેની સાથે જ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહદોષ હોય તો પવનપુત્રની પૂજાથી તે પણ દૂર થઈ જાય છે.

જો કોઈ વ્યક્તિ રૂપિયાની તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેને દર મંગળવારે અને શનિવારે આ ઉપાય અપનાવવો જોઈએ. નિશ્ચિત જ તે વ્યક્તિની બધી સમસ્યાઓ ધીરે-ધીરે સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિ માલામાલ બની જાય છે.

ઉપાય આ પ્રકારે છેઃ-

-સપ્તાહના દર મંગળવાર અને શનિવારના બ્રહ્મ મૂહુર્તમાં ઊઠો. ત્યારબાદ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ કોઈ પીપાળાના ઝાડથી 11 પત્તા તોડી લાવો. ધ્યાન રાખો પત્તા આખા હોવા જોઈએ. ક્યાંયથી પણ તૂટેલા કે ફાટેલા ન હોવા જોઈએ. આ 11 પત્તાને સ્વચ્છ જળમાં કંકુ કે અષ્ટગંધ કે ચંદન મેળવીને તેની ઉપર શ્રીરામનું નામ લખો. નામ લખતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો. ત્યારબાદ શ્રીરામ નામ લખેલ આ પત્તાની એક માળા બનાવો. આ માળાને કોઈ કોઈપણ હનુમાનજીના મંદિર જઈ ત્યાં બજરંગબલીને અર્પિત કરો. આ પ્રકારે કરતા રહો. થોડા સમયમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે.

ધ્યાન રાખો ઉપાય કરનાર ભક્તે કોઈપણ પ્રકારે અધાર્મિક કામ ન કરવું. નહીંતર આ ઉપાયનો પ્રભાવ નિષ્ક્રીય થઈ જશે. ઉચિત લાભ પ્રાપ્ત નહીં થાય. સાથે જ પોતાના કાર્ય અને કર્તવ્ય પ્રત્યે ઈમાનદાર રહો.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111383054
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now