Quotes by shah in Bitesapp read free

shah

shah

@shreeshah


જન્મ સાથે ના સંબંધો...
એ ભગવાન ની પ્રસાદી છે !!!

પરંતુ તમે બનાવેલ સંબંધો
એ તમારી પોતાની સંપત્તિ છે.....

હ્દય દરિયા જેવુ રાખજો નદી ઓ પોતે જ મળવા આવશે…..✍️

|| શુભ ~ સવાર ||

Read More

એકલતાની ઔષધિ શોધાય તો ઠીક છે,...

*નહિતર*
મિત્રતાના જેવો બીજો મલમ નથી,

એકવાર હું ઘરે મોડો આવ્યો,
તો wife એ પૂછ્યું : " ક્યાં હતાઅત્યાર સુધી ,"
😃😃😃
તો મેં કહ્યું : " friendનાં ઘરે હતો
😃😃😃
મારી સામે જ મારી wife એ મારા 10 friend ને ફોન કર્યો ,
😃😃😃
4 દોસ્તારોએ એવું કહ્યું : " ભાભી એ અહીં જ હતો ,"
😃😃😃
3 દોસ્તારોએ એવું કહ્યું : " એ હજી હમણાં જ ગયો ,"
😃😃😃
2 દોસ્તારોએ એવું કહ્યું : " ભાભીએ અહીં જ છે , ફોન આપું તેને....?? ,"
😅😅😆
1 હરામખોરએ તો હદ વટાવી નાખી wife એ ફોન કર્યો તો એ મારા જ અવાજ માં બોલ્યો : " હા હું અહીં જ છું કંઈ કામ હતું....?? ,"
😍😍😍
આ સાંભળી ને મારી પત્ની પણ હસી પડી
પણ ત્યારે ખબર પડી કે....
" *જીવતા હતા એટલે દોસ્તો ના હતા પણ દોસ્તો હતા એટલે જીવતા હતા* "

🔴LOVE U ALL MY FRIENDS🔴
😍😍😍😍
જેની સાથે લોહીનો સંબંધ નથી...
છતાં વહાલું લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે થાય અઢળક વાતો...
છતાં થાક ના લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે નાનકડી વાત માં પણ...
હસી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેના ખંભે માથું ઢાળીને...
રડી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે ઠંડી ચા પણ...
હુંફાળી લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે વઘારેલી ખીચડી પણ...
દાવત લાગે તે નામ છે
*👬દોસ્ત👬*

જેને અડધી રાત્રે ઉઠાડી...
હૈયું ઠાલવી શકાય તે નામ છે
*👬દોસ્ત👬*

જેની સાથે વિતાયેલો સમય યાદ કરતાં...
ચહેરા પર હંમેશા આવે સ્મિત તે યાદ છે
*👬દોસ્ત👬*

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય...
છતાં પણ તે સ્વીકારે તે છે
*👬દોસ્ત👬*

વર્ષો વીતી ગયાં પછી પણ જેને મળતા...
ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે
*👬દોસ્ત👬*

દૂર હોવા છતાં ના ટૂટે...
તે લાગણીનો તાર છે
*👬દોસ્ત👬*

છે બસ *અઢી અક્ષરનું નામ પણ...*
બેજાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે
*👬દોસ્ત👬*

*👬મારા સર્વે મિત્રો ને અર્પિત....
❤️🙏

Read More

*નાતાલના દિવસે ચાર ખીલા સાથે જડાયેલા જીસસ યાદ આવે છે...*
*પણ ઉત્તરાયણના દિવસે 49 દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઇ યાદ કરતું નથી..!*
*આજે મકરસંક્રાંતિનો પાવન તહેવાર છે.*
*આજ દિવસે ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.*
*ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. *જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા પછી ખતમ થઈ ગયા.*
*આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ.*
*જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય.*
*મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ.*
*"આ દિવસે દાનનો પણ મહિમા છે. અન્ન, ધન કે વસ્ત્રનું દાન નહીં કરીએ તો ચાલશે પણ જો ક્ષમાદાન કરીશું તો આપણો પરિવાર જળવાઈ રહેશે."*
*આપને અને આપના પરિવારને મકરસંક્રાંતિ ની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.....*🙏🏻

Read More

Lost angelies😥

epost thumb

*માણસ જ્યારે મુશ્કેલીમાં મુકાય ત્યારે તેના પર કોઈ વિશ્વાસ કરતું નથી,*
*પરંતુ માણસ મુશ્કેલીમાં ત્યારે જ મુકાય છે જ્યારે તે પોતાના કરતાં પણ વધારે વિશ્વાસ બીજા પર મૂકે છે!*

*🌹🙏Good morning🙏🌹*

Read More

તમારી પાસે *એક સપનું એવું* હોવું જોઇએ,

*જેની કિંમત તમારી ઊંઘ કરતાં વધારે* હોય.

*ફુલની માફક ખીલી જવાનું.....,*
*ખુદ્દારીથી જીવી જવાનું.....!*

*રીસાવાનું રાખ્યું છે પણ.....,*
*એક ઘડીમાં રીઝી જવાનું.....!*

*ધીરે ધીરે મક્કમતાથી.....*
*જીવન જીવતાં શીખી જવાનું.....!*

*દિલ ઈન્કારે જે કરવાનું.....*
*ત્યાંથી પાછા વળી જવાનું.....!*

*સત્કર્મો ને સંસ્કારોથી.....*
*ક્યાંક કોઈકને ગમી જવાનું.....!*

*બીજાને અડચણ લાગે તો.....*
*તુર્ત જ ત્યાંથી ખસી જવાનું.....!*

*નિત્ય મળે ના સમથળ રસ્તો.....,*
*ઢાળ ઉપર પણ ચઢી જવાનું.....!*

*ઊગવાનું ભરપુર સવારે.....*
*સાંજ પડે ત્યાં ઢળી જવાનું.....!*

*"સૌમ્ય" જીવન નાજુક વસ્ત્ર છે.....,*
*ફાટે ત્યાં ત્યાં સિવાય જવાનું.....!*

અજ્ઞાત

Read More