Gujarati Quote in Thought by Manisha Hathi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

' એ માત્ર ગુલાબ નહોતું '
     🌹🌹🌹🌹
   જન્મ અને મૃત્યુનો સરવાળો


ફળિયામાં નિઃશબ્દ મૌન ધારણ કરીને બેઠેલા કનુભાઈને જોઈને સનતભાઈ બોલ્યા ' કેમ ભાઈ , ક્યાં વિચારોમાં ખોવાયો ?

બસ ખાસ કંઈ નહીં  ' આ ગુલાબના નાનકડા વૃક્ષને જોઈ રહ્યો છું . અને એના મૂળિયા તો જો સાવ જ ખલાસ થઈ ગયા છે .

તને ખબર છે સનત એ માત્ર ગુલાબનો છોડ નહોતો
એમાં કેટલીયે જૂની યાદોની સુગંધ ભરેલી હતી . અને એટલે જ એ છોડને જીવંત રાખવા પાણી એને જરુર પૂરતું ખાતર તો નાખવું જ પડશે .

આદિકાળથી ચાલ્યું આવતું આ જન્મ અને મરણનું રહસ્ય હજુ સુધી સમજાતું નથી .

અરે પણ , કનુભાઈ આ ગુલાબના છોડની વાતમાં જન્મ - મૃત્યુની વાત ક્યાં આવી ?

ભાઈ એક વાત કહું ...
' વૃક્ષો તો ઘણા છે . નાના કહો કે મોટા પણ ગુલાબનું નાનું સરખું વૃક્ષ એ ફક્ત ગુલાબની સુગંધ જ નથી ફેલાવતું ...
પરંતુ કાંટાઓની વચ્ચે રહી જિંદગી જીવી જાય છે . અને એની સુંદરતા અને સુગંધ તો જો ...
ગુલાબની પાંખડીઓ તો સુકાઈ જાયતો પણ એની સુગંધ એવી ને એવી જ રહે છે .

એ જ રીતે કોઈ નવજાત શિશુનો જન્મ પણ એક નવા સંબંધની સુગંધ લઈને જન્મ લે છે .

માતા-પિતા , કાકા-કાકી , મામા-મામી ...અને એ સિવાય પણ કેટલાય સંબંધો રેશમી મુલાયમ તાંતણા સાથે બંધાય છે . જેની ડોર જો કોઈ મજબૂત હાથોમાં હોયતો ઠીક ... નહીતો એ કાંચે તાંતણે બાંધેલી ડોરને  તૂટતા પણ વાર નથી લાગતી

અને મૃત્યુ એટલે એની પાછળ અને એની સાથે જોડાયેલા અને સાથે જીવી ગયેલા સંબંધોની સુગંધ છોડીને ચાલ્યા
જાય છે .

ઘણી જગ્યાએ સાંભળવા મળે છે અરે મારે ત્યાં દીકરી/દીકરાનો જન્મ થયો છે તો હમણાં જાહેર ન કરશો . નાહક ભીડ જમા થઈ જશે .
અને મૃત્યુ બાદ પણ અરે બહુ કોઈને જાહેર કરશો નહીં ..

આવુ સાંભળ્યા પછી વિચાર થાય છે કે
મૃત્યુ એ એટલું સંકુચિત માનસ ધરાવતું સત્ય છે કે શું ?
કે એવી વ્યક્તિ જે અત્યાર સુધીના અમૂલ્ય અને અતૂટ સંબંધોને છોડીને ચીર વિદાય લઈ મૌન ધારણ કરીને મૃત્યુની સૈયા પર પોઢી રહ્યું છે .

જે પોતાની વળતી વેળાએ પણ  પોતાની નિર્જીવ આંખોથી સૌનો આભાર પ્રગટ કરવાનું ઈચ્છે છે .

જે રીતે જન્મ ઉત્સવ છે એ જ રીતે મૃત્યુ પણ એક ઉત્સવ છે .

કોઈના મૃત્યુ પાછળ આંખમાંથી સરેલા આંસુ એ કંઈ અફસોસ નથી . પણ એમની સાથે વિતાવેલા સમયની યાદોનો ખજાનો છે . અને એ પણ એવો ખજાનો જે એવા તાળામાં બંધ છે જે સેફ અને સેલ્ફ ડિપોઝીટમાં હંમેશા અકબંધ રહેશે .

સંબંધોને સાચવવા માટે  ક્યાંક ગુલાબની પાંખડીઓની જેમ સુકાઈને ખરી જવું પડે છે.
આપણા સંબંધોને ઇગનોર કરતા ચહેરાનું મારણ પણ સહન કરવું પડે છે .
વાહહઃહઃહ માણસની  માનસિકતા ...
પણ અંતે તો ગુલાબની જેમ સુગંધ બની ખરી જવું પડે છે .
ચાહે દુનિયામાંથી ચાહે સંબંધોથી ફરજિયાત વિદાય લેવી જ પડે છે

ફળિયામાં બેઠેલા કનુભાઈ દ્વારા વ્હેતું એ  કટુસત્ય સાંભળી આંખોમાં આવેલા આંસુને છુપાવતા સનતભાઈ ફરી પોતાના રૂટિનમાં વ્યસ્ત થવા લાકડીના સહારે ચાલી નીકળ્યા
       🍁🍁🍁🍁
      :-મનિષા હાથી

Gujarati Thought by Manisha Hathi : 111333176
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now