Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાથ પરથી જાણો ક્યાં દેવની કરવી જોઈએ પૂજા

સનાતન ધર્મમાં 33 કોટિ દેવતાઓનું પૂજન કરવામાં આવે છે. આમછતાં તમારા હાથ પરથી જાણો કે તમારા માટે ક્યાં ભગવાનની પૂજા વિશેષ ફળદાયી નિવડશે. તમારે ક્યાં ભગવાનની પૂજા કરવી જોઈએ જેનાથી તમને સર્વ પ્રકારે લાભ થાય. કોની પૂજા તમને ફળશે…. જાણો આ રીતે….

આવું હોય તો કરો શનિદેવની પૂજા

જો હાથમાં શનિની આંગળી (સૌથી મધ્યમાં આવેલી આંગળી-મધ્યમા) એકદમ સીધી હોય તો શનિ ગ્રહ કુંડળીમાં મધ્યમ હોય તો આવી વ્યક્તિઓએ શનિદેવની સ્તુતિ રોજ કરવી જોઈએ.

આવી વ્યક્તિએ કરવી જોઈએ ભગવાન શિવની પૂજા

જો હૃદય રેખા પર ત્રિશૂળ બનતું હોય કે આંગળીઓ થોડી વાંકી ચૂકી હોય તો આવા લોકોએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. એ જીવનના તમામ કષ્ટોને દૂર કરે છે.

આવા વ્યક્તિઓએ કરવી જોઈએ હનુમાનજીની પૂજા

જો હૃદય રેખાના અંત પર એક રેખા ગુરુના પર્વત પર જતી હોય તો આવી વ્યક્તિઓએ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. તેનાથી સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે.

જો હાથમાં ભાગ્ય રેખા હોય પણ ખંડિત હોય તો કરવી જોઈએ લક્ષ્મી દેવીની પૂજા

હાથમાં જો ભાગ્ય રેખા ખંડિત હોય કે દોષ હોય તો આવી વ્યક્તિઓએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. તેનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આર્થિક સમસ્યાઓનું નિરાકરણ થાય છે. ઘરમાં ધન વૈભવમાં વધારો થાય છે.

આવી વ્યક્તિઓએ કરવી જોઈએ સૂર્યની ઉપાસના

હથેળીમાં જો સૂર્ય ગ્રહ દબાયેલો હોય તો વ્યક્તિને શિક્ષણમાં પૂર્ણ સફળતા નથી મળતી. એવામાં સૂર્ય દેવતા નબળા હોવાનું સૂચિત થાય છે. આવી વ્યક્તિએ રોજ સૂર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ. ગાયત્રી મંત્રની માળા કરવી જોઈએ. સૂર્ય ભગવાનના મંત્રો કે સ્તોત્ર કરવા જોઈએ. તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.

આવી વ્યક્તિઓએ કરવી જોઈએ દેવીની આરાધના

જો હથેળીનાં જીવન રેખા અને ભાગ્ય રેખા સાથ સાથ હોય કે એકબીજાને અડીને શરૂ થતી હોય તો આવી વ્યક્તિએ દેવી લક્ષ્મી કે ગાયત્રી કે અંબાજી કે કૂળદેવીની આરાધના કરવી જોઈએ.

જીવન રેખા તૂટક તૂટક હોય તો કરો શિવ આરાધના

હથેળીમાં જો જીવન રેખા તૂટક તૂટક આગળ વધતી હોય તો આવી વ્યક્તિએ ભોળાનાથ મહાદેવની આરાધના કરવી જોઈએ.

આવી વ્યક્તિઓએ કરવી જોઈએ દુર્ગાની ઉપાસના

જો વ્યક્તિના હાથમાં હૃદય રેખા ખંડિત હોય અને તેમાંથી અનેક રેખાઓ નિકળીને મસ્તિષ્ક રેખા પર જતી હોય તો આવી વ્યક્તિએ દેવી દુર્ગાની ઉપાસના કરવી જોઈએ.

તો સૌ પ્રથમ જોઈ લો તમારો હાથ… અને પછી શરૂ કરો ઉપાસના..

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111328372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now