જય માતાજી.....
ભ્રષ્ટ રાજકારણી ના પેટ કેવા હોય છે એનો એક વિચાર કવિતા ના રૂપ માં રાજુ કર્યો છે......
અનહદ નું ખાય ખાય ધરાતું નથી
એનું કેવું છે આ પેટ કે ભરાતું નથી
બિલ્ડીંગો ની બિલ્ડીંગો ખાય ગયું
પુલો ના પુલ આખા પચાવી ગયું.....એનું કેવું
ખેડૂતો ના હક નું બધું ચરી ગયું
પશુઓ નું તો ગૌ ચટ કરી ગયું...એનું કેવું
ન ખાય જ્યાં સુધી કોઈ ની હાય
ત્યાં સુધી દિવસ આ કાઢતું નથી..એનું કેવું
રોજ ખાય છે બેયમાની પેટ ભરીને
કોઈનું કદી સારું કામ કરતું નથી...એનું કેવું
જ્ઞાનની વાતો ને ઉતારતું નથી કદી
સત્ય એમાંથી બહાર આવતું નથી...એનું કેવું