વ્યસ્તતા જરૂરી છે શારીરિક અને માનસિક મસ્ત રહેવા માટે.... જરૂરી પણ નથી કે આ વ્યસ્તતા થી કોઈ આવક જ થાય. એટલે કે નોકરી કરવી કે કોઈ ધંધો કરી વ્યસ્ત રહેવાની વાત નથી કરતી. એવી પ્રવૃત્તિ માં વ્યસ્ત રહેવું જોઈ જે તમને ગમતી હોય સાથે સાથે તમારા વિકાસ માં તે ફાયદાકારક હોય. ઉદાહરણ તરીકે સોશ્યલ મીડિયાના યુગમાં કોઈ નવરું રહેતું જ નથી . ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર, ટિકટોક, યુ ટ્યુબ , વેબ સિરીઝ, કે વ્હોટ્સ એપ થી બધા ને વ્યસ્ત રહેવાનો રસ્તો તો મળી જ ગયો છે પરંતુ આ વ્યસ્તતા તમને લાભ ન આપતી હોય તો તે સમયની બરબાદી છે. ટુંકમાં વ્યસ્ત રહો અસ્તવ્યસ્ત નહીં... તો જ મસ્ત રહેશો...(MMO)