એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે
મંદિરે આવ્યા.
ઉનાળાની ઋતુ હતી એટલે ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ
થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ કરી.
ભગવાનના દર્શન કરતા કરતા ભક્તની આંખો ભીની થઇ ગઇ.
ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, "
વત્સ, કેમ આંખમાં આંસુ આવ્યા ? "
ભકતએ કહ્યુ,
" પ્રભુ, આપ તો અંતરયામી છો. બધુ જ જાણો છો તો પછી શા માટે પુછો છો ? મારા જીવનમાં સમસ્યાઓનો કોઇ પાર નથી. એક પ્રશ્ન માંડ-માંડ ઉકેલુ ત્યાં બીજો ઉભો થાય છે.. કેટલીક વખત તો એવા વિચાર પણ આવે છે કે હું તમારુ કેવુ ધ્યાન
રાખુ છું તો પછી તમે મારુ ધ્યાન કેમ નથી રાખતા ?
આ બળબળતા ઉનાળામાં ટાઢક થાય તે સારુ હું તમારા માટે કેરીઓ લઇ આવ્યો તમને મારા માટે કંઇક કરવાનો વિચાર કેમ નહી આવતો હોય ? "
ભગવાને ભક્તને પુછ્યુ,
" આ કેરીઓ તું તારી ઘરે લાવ્યો ત્યારે કાચી હતી કે પાકી હતી ?
" ભક્તએ કહ્યુ,
" માર્કેટમાં પાકી કેરીઓ મળતી હતી પણ એ તો કાર્બેટથી પકાવેલી હોય એટલે હું તો કાચી કેરીઓ જ
ઘરે લાવ્યો અને ઘરે જ એને પકવી છે. "
ભગવાને પુછ્યુ, " તેં ઘરે કેરીને કેવી રીતે પકવી ? "
ભક્તએ જવાબ આપતા કહ્યુ, "
પ્રભુ, કાચી કેરીને એક કોથળા પર ગોઠવીને એના ઉપર બીજા કોથળાઓ ઢાંકી દીધા અને હવા ન જાય એવી રીતે બધુ પેક કરી દીધુ."
ભગવાને કહ્યુ, " આવું કરવાથી તો કેરીને
બીચારીને કેવી તકલીફ પડે. કેટલા દિવસ
સુધી ગરમી સહન કરવી પડે ત્યારે પાકે
આના કરતા કાર્બેટ મુકીને ફટાફટ પકવી
દીધી હોત તો ? "
ભક્તએ કહ્યુ, " અરે, પ્રભુ કેરીને થોડો સમય ગરમી આપીને પકાવીએ તો એ કેરી ખુબ મીઠી થાય એનો સ્વાદ સાવ જુદો જ હોય."
ભગવાને કહ્યુ, " પણ કેરીને બીચારીને કેવી તકલીફ પડે "
ભક્તએ કહ્યુ, " પ્રભુ, ભલે તકલીફ પડે પણ એની
મીઠાશ અને મૂલ્ય ખુબ વધી જાય."
ભગવાને ભક્તને કહ્યુ,
" બેટા, મારે પણ તારી મીઠાશ અને તારા મૂલ્યમાં વધારો કરવો છે. તને વધુ મજબુત બનાવવો છે અને એટલે હું તને જુદી જુદી સમસ્યાઓ આપ્યા કરુ છું. આ સમસ્યાઓ તારા વિનાશ માટે નહી પણ વિકાસ માટે છે. "
.
*મિત્રો, જીવનમાં આવતી સમસ્યાઓ પ્રભુ*
*(આપણને પજવવા માટે નહી પણ પકવવા*
*માટે આપતો હોય છે.!!! (-_-)*