સદવિચાર હશે હરિ પ્રસાદ તારો.
આરઝૂ તણો હશે પ્રતિસાદ તારો.
તારી યાદ અહર્નિશ રહે હરિવર,
ને મનોમન સધાય સંવાદ તારો.
રહું નિરંતર નામસ્મરણે હરપળ,
રસનાને મળતો રહે સ્વાદ તારો.
ઊભરાતાં નૈન પણ આતુર હશે,
રહે મુજને હરઘડી ઉન્માદ તારો.
મિલન ઊભયનું ઈચ્છાવર્તી હશે,
અંતરે ઊઠતો રહે હરિ સાદ તારો.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર