....#....લૂથ (ઊંટકટારો)...#....
શેફાલીજીના સૌજન્યથી...
પરિવાર માટે હંમેશની જેમ નવી પોસ્ટ...
નવી માહિતી...
આજે આપણે વાત કરીશું આપણાં જ પરિસરની ઔષધીય ગુણોથી ભરપૂર વનસ્પતિની... જેનું નામ છે "લૂથ" અથવા તો "ઊંટકટારો" કે "શૂળીયો "....
હા ઊંટને આ વનસ્પતિ આહાર રૂપે અતિપ્રિય હોઇ,આ વનસ્પતિ "ઊંટકટારો" તરીકે પણ ખૂબ પ્રસિદ્ધ છે.
નામ:-
સંસ્કૃતમાં - रक्तपुष्पा ।
હિન્દીમાં - ऊंटकटारा.
તામિલમાં - કન્ટાકામ.
તેલુગૂમાં - બ્રમ્હદંડી.
અરબીમાં - અશોકુલ જમાલ.
ફારસીમાં- અષ્ટારખર
અંગ્રેજીમાં - Globe Thistle
વૈજ્ઞાનિક નામ છે :- Echinops Echinatus.
ઓળખ :-
આ વનસ્પતિ નીચે ભરાવદાર કાંટાળાપર્ણથી ઘેરાયેલી હોય છે. મધ્યમાંથી ૩/૪ ફૂટની સફેદ રંગની શાખા નિકળે છે. એની ટોચ પર સફેદ અને જાંબલી રંગનું ગુચ્છેદાર ફૂલ હોય છે.
અને એ ફૂલની મધ્યમાંથી પણ ૩-૪ ઇંચના કાંટા નિકળેલા હોય છે.
ઔષધિય ગુણ અને ઉપચાર :-
૧) માથાનો દુખાવો:-
લૂથની જડ ને સૂંઠ સાથે પીસીને માથા પર લગાવવાથી ગમે તેવું માથાનું દર્દ દૂર થાય છે.
૨) આંખોના રોગો :-
ત્રણ - ચાર લૂથના કાંટાળા ફૂલોના ગુચ્છા લઇને પાણીમાં વાટી લો. પછી એ દ્રાવણને પાતળા કપડાંમાં ગાળી લો.
આના બે -બે ટીપાં સવાર સાંજ આંખમાં નાખવાથી આંખોનું ફૂલું ઠીક થાય છે અને રતાંધણાપણું પણ દૂર થાય છે.
૩) ગળાના રોગો :-
લૂથના પાંદળાને વાટીને લેપ બનાવીને ગળા પર લગાવવાથી ગળાના તમામ રોગો દૂર થાય છે.
૪) ઊધરસ (ખાંસી) :-
લૂથના પંચાંગને પીસીને ગોળ સાથે પીવાથી ગમે તેવી ઊધરસ મટે છે.
૫) શ્વાસની તકલીફમાં :-
લૂથના પાનનો રસ કાઢી એમાં સપ્રમાણ મધ ભેળવીને ચાટી જાઓ. શ્વાસની તકલીફમાં આ ખૂબ લાભદાયી નિવડે છે.
૬) તરસ :-
ગરમીમાં વારે વારે ગળું સૂકાઇ જતું હોય ત્યારે લૂથની જડનો કાળો બનાવીને પીવાથી લાભ થાય છે.
૭) મંદાગ્નિ :-
અડધી ચમચી લૂથની જડ ના ચૂર્ણ સાથે અડધી ચમચી ખારેકનું ચૂર્ણ ભેળવીને લેવાથી પાચનશક્તિ વધે છે.
૮) પિળિયો (પાંડુરોગ ) :-
૨ થી ૫ ગ્રામ લૂથની જડનું અડધી ચમચી કાળા તલ સાથે સેવન કરવાથી પાંડુરોગ ઠીક થાય છે.
૯) મધુપ્રમેહ (ડાયાબિટીસ ):-
૧ ગ્રામ લૂથની જડની છાલ + એક ગ્રામ ગોખરુ + ૧ ગ્રામ મિસરી ને નવશેકા પાણી સાથે પીવાથી ડાયાબિટીસ સામાન્ય રહે છે.
૧૦) પરસેવાની દુર્ગંધ :-
લૂથની જડને છાંયડામાં સૂકવીને પીસી લો.
ત્યાર બાદ એક ચમચી મધ સાથે ૨ ગ્રામ એ ચૂર્ણ લઇ ચાટી જાઓ... આમ કરવાથી પરસેવો ઓછો આવશે તથા પરસેવાની દુર્ગંધ નહીં આવે.
આવા તો અનેક ફાયદાઓ છે આ વનસ્પતિના...
જે આપણને જાણ ન રહેતા,આપણે એને એક કાંટાળો છોડ સમજી ઊખેડી ફેંકીયે છિયે.
બસ આમજ મોજમાં રહો...
સ્વસ્થ રહો...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર...