Quotes by Kishan Mevada in Bitesapp read free

Kishan Mevada

Kishan Mevada

@kkmevada


15 aug:- મમ્મીના જન્મદિવસ ઉજવણી
----------------------------------
એક જ ઉદેશ્ય હતો,મમ્મીના જન્મદિવસને યાદગાર બનાવવો.... 
કેવી રીતે????? 
મારા જીવનની પ્રથમ શૈક્ષણિક શિષ્યવૃત્તિ(સ્પીપામાંથી) મળી હતી... જેમાંથી અમુક રકમ મારે શૈક્ષણિક પ્રવૃત્તિમાં જ સહાયરુપે કરવી હતી..... 
-------------------
મારો પ્રથમ વિચાર હતો,સરકારી શાળામાં બાળકો વચ્ચે 'મારી પ્યારી મમ્મી'  ના વિષય પર નિબંધસ્પર્ધા કરાવું,પરંતુ  4-5 સ્કૂલના આચાર્યોએ સમયનો અભાવ હોવાનું કંઈ સ્પર્ધા માટે ના પાડી. 

અંતે,મારી મુલાકાત નવરચિત સ્લમ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ વાળા સાથે થઈ...અમારી વચ્ચેનો સંવાદ અહીં રજૂ કરું છું..... 

હું :- મારા મમ્મીનો જન્મદિવસ હોવાથી સ્કૂલના બાળકોને જે જરૂરીયાત હોય જેમ કે નોટબૂક,પેન્સિલ વગેરેની મદદ કરવી છે.. 
ભરતભાઈ :- આ બધું અમારી પાસે હાલમાં છે. 

હું:- આપના સ્કુલ માટે અન્ય શું વસ્તુની જરૂરીયાત છે?? 
ભરતભાઈ :- આપ જો ખરેખર સ્કૂલને હંમેશા યાદગાર રહે,એવું કંઈ આપવા માંગતા હોવ તો આ બે વસ્તુ આપો.. 
1)ધ્વજવંદન માટેનો પોલ
(આપ નીચે ફોટામાં જોઈ શકો છો) 
2)ટીવી રાખવા માટેનું સ્ટેન્ડ

ભરતભાઈ :- જયારે જયારે પણ ધ્વજવંદન કરશું ત્યારે તમને યાદ કરશું... 
(બોધ:-આપ કોઈને મદદરૂપ થવા માંગો છો તો હંમેશા સામેવાળાની જરૂરિયાત સમજી મદદ કરો. જેનાથી સંસાધનો અને પૈસા બંનેનો યોગ્ય ઉપયોગ થઈ શકશે) 
-------------------------
આમ,શૈક્ષણિક ક્ષેત્રમાં મદદરૂપ થવાનું આ મારું ટ્રેલર હતું.. કુદરત મને એટલો સક્ષમ બનાવે કે 'મા શારદા' ના નામે હું જરૂરીયાતમંદ ને વધુમાં વધુ સહાયરૂપ બની શકું અને એ જ ખરા અર્થમાં મારા માતા-પિતાનું ગિફ્ટ હશે... 
--------------
અંતે, નવરચિત સ્લમ સ્કૂલ તેમજ ભરતભાઈને મારા મમ્મીનો જન્મદિવસ યાદગાર બનાવવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર...... 

તમે પણ આ સ્કૂલને કંઈ મદદરૂપ થવા માંગો છો તો આપ ભરતભાઈને સંપર્ક કરી શકો છો.... 
મોબાઈલ નં:- 9574940815
--------------
- કિશન મેવાડા 
  પાલીતાણા 
----------------
મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN

Read More

વિશ્વ ડાબોડી દિવસ :-
-----------------------
1976 થી દર વર્ષના 13 ઓગસ્ટે 'વિશ્વ ડાબોડી દિવસ' ઉજવાય છે. 

હું પણ જન્મથી જ ડાબોડી છું. મારા માતા-પિતાએ મારા ડાબોડી હોવાનો કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો.

મારા ઘણાં એવા મિત્રો છે જે જન્મથી તો ડાબોડી હતાં પરંતુ માતા-પિતા, શિક્ષકો,સમાજ વગેરેના દબાવથી પોતાની કુદરતી આદતો બદલવા મજબૂર થયેલા. 

હાલના 'જાગૃત સમાજમાં' પણ મુખ્યત્વે ડાબોડી લોકોને બે જગ્યાએ સૌથી વધુ ટહોણા-મહેણા  સાંભળવા મળે છે. 

1)ધાર્મિક વિધિમાં 
2)સામાજિક પ્રસંગોમાં (ખાસ કરીને જમતી વખતે) 

લોકોની મુજબ ડાબા હાથે જમવું એ અન્નદાતાના અનાદર સમાન છે!!!!! 

ધાર્મિક વિધિમાં ડાબા હાથેથી ક્રિયા કરવાથી ભગવાન નારાજ થઈ જાય!!!!.... તેને અશુભ માનવામાં આવે છે... કોઈક તો એને પાપ સમાન પણ લેબલ આપી દે છે..... 

શું પ્રગતિશીલ સમાજમાં આવા તર્કો યોગ્ય ગણાવી શકાય???? 

ખેર,વ્યક્તિગત રુપથી તો હું આવા તર્કોને મારા પર હાવી થવા દેતો નથી. પરંતુ અન્ય ડાબોડી મિત્રોએ પણ આવા તર્કોને જે-તે વ્યક્તિની અજ્ઞાનતા સમજી પોતાના મગજ પર હાવી થવા દેવા જોઈએ નહીં... 

વડીલોને બસ એક જ વિનંતી કે એમના બાળકને કુદરતે જે બક્ષિસ આપી હોય એ મુજબ જ જીવન જીવા દેવવું જોઈએ, ખાસ કરીને આ મામલે...... 

'ગર્વથી કહો કે અમે ડાબોડી છીએ'

-કિશન મેવાડા
 પાલીતાણા 

-----------------------------
મારા અન્ય લેખો આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN

Read More

Englosh phobia :- અંગ્રેજી ભાષાનો ડર....
------------------------------------
ફોબિયા એટલે કે 'એવો ડર જેનાથી આપણે ડરવાની જરુરત નથી, એમ છતાં આપણને ડર લાગે છે.'


મારી જેમ ઘણા લોકો અંગ્રેજી ભાષાથી 'માનસિક ડર'  અનુભવતા હશે,હકીકતમાં એનાથી ડરવાની કોઈ જરુરત નથી.


સ્પીપામાં shri.V.R.S.COWLAGI sir એ કીધેલું કે, 'અંગ્રેજી ભાષા સાથે પ્યાર ના કરો તો કોઈ વાંધો નહીં,પરંતુ આજના સમય મુજબ દોસ્તી તો કરી જ લેવી જોઇએ.....
-----------
== >અંગ્રેજી ભાષાથી ડર શા માટે લાગે છે?


1)આપણને ગુજરાતીમાં વિચાર આવતા હોઈ, મગજમાં અંગ્રેજી ભાષાનું પ્રથમ ભાષાંતર કરવું પડે છે, જેના કારણે આ પ્રક્રિયા મગજમાં ઝડપથી ન થવાના લીધે ડર લાગવા લાગે છે....


2)આપણી આસપાસનું વાતાવરણ માતૃભાષામાં હોવાના કારણે બાળપણથી મારા જેવા વિધાર્થીઓ અન્ય ભાષા સમજવામાં અસહજતા અનુભવે છે.


3)અંગ્રેજી ભાષા શીખવાની શરુઆત જ આપણે 'અંગ્રેજી વ્યાકરણ' થી કરવા લાગીએ છીએ. જેના કારણે વ્યાકરણના ચક્રમાં ફસાતા જઈએ છીએ..


(જેમ તરતા શીખવું હોય, તો પાણીમાં ડુબકી મારવી જોઈએ,આપોઆપ હાથ-પગ ચલાવતા શીખી જઈ તરવૈયો બની જશે.)
-----------
અંગ્રેજી ભાષાનો મારો ફોબિયા તો દુર થઈ ચુક્યો છે અને દોસ્તી પણ થઈ ગઈ છે... હવે પ્યાર થવાની દિશામાં આગળ વધી રહ્યો છું......


==>ડર કઈ રીતે દૂર થયો???


1)youtube  પર 'englishtoday'  કરીને એક ચેનલ છે. જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અંગ્રેજી શીખવવામાં આવે છે. (શરત એ છે કે તમને સામાન્ય અંગ્રેજી આવડતું હોવું જોઈએ.)
Learn English conversation - English Today Beginner Level: >http://www.youtube.com/playlist?list=PLjPWtACbY0xlKUBEFrZKfALxTS8hHwWEt


2)આજકાલ ઈન્ટરનેટના માધ્યમથી ઘણુંબધું સરળ અંગ્રેજીમાં વાંચવાનું મળી રહે છે. આથી મેં સ્ટોરીબુક વાંચવાની શરુઆત કરી. (સરળ અને જલ્દી સમજાય જાય એવી વાર્તાઓ)


3)ફિલ્મો જોવાનો શોખ હોવાથી 'Amazone prime'  જેવા માધ્યમોથી તમિલ,તેલુગુ જેવા ફિલ્મો 'english subtitle'  સાથે જોવાના શરુ કર્યા...


4)અંગ્રેજીમાં લખવાનો મહાવરો... જેના માટે નિબંધો લખ્યા હતા. (અંગ્રેજી શીખવા 'લખાણ'  સૌથી શ્રેષ્ઠ માધ્યમ છે.)


5)અંગ્રેજી શીખવાની નિયમિત રુપથી પ્રેક્ટિસ કરતી રહેવી....


'PRACTICE MAKES PERFECT'
'AFTER A LONG TIME OF PRACTICING, OUR WORK WILL BECOME NATURAL, SKILLFUL, SWIFT AND STEADY'


THANK U.. ☺️


~કિશન મેવાડા
   પાલીતાણા
-------------------
મારા અન્ય લેખ આપ અહીંથી વાંચી શકો છો
WWW.SUNDAYSMILE.IN


Read More

સોશિયલ મીડિયા :- દાનવ કે દેવદુત??
---------------------------------------------
સોશિયલ મીડિયા એવું માધ્યમ છે, જેના થકી આપ આપના આંગળીના ટેરવે પોતાનો સંદેશ 'વિશ્વ ફલક' સમક્ષ રજૂ કરી શકો છો.....


આજે આ સોશિયલ મીડિયામાં મુખ્યત્વે બે પ્રકારના વર્ગો જોવા મળે છે:-
-------
1)'દાનવ વર્ગ':- 'સામાજિક પ્રદુષકો' (social polluter)
હવા,પાણી,અવાજ કે ભૂમિ પ્રદૂષણની માફક આ સામાજિક પ્રદુષકોની ટકાવારીમાં વધારો થતો જઈ રહ્યો છે. જેમ કે,


:- ધર્મ,જાતિ,લિંગનો આશરો લઈ સમાજમાં વિખવાદ પાડી પોતાના એજન્ડાને સફળ બનાવવો.


:-વ્હોટ્સએપ જેવા માધ્યમો થકી 'ખોટી અફવા ફેલાવવા'  નામના શસ્ત્રોનો ઉપયોગ કરવો.
(તાજેતરમાં બાળકો ઉઠાવી જતાં ગેંગની ખોટી અફવા ફેલાવી આ લોકો એમની મોતના પાપી બન્યા છે.)


:-વિડીયો કે કોઈ ફોટાનું એડિટિંગ કરી આવા લોકોને કોઈની જિંદગી તબાહ કરવામાં મજા આવે છે.
------------
2)'દેવદુત વર્ગ':- 'સામાજિક પ્રભાવકો' (social influencer)
જેમ વાયુમાં ઓક્સિજનની ટકાવારી ફકત 21% આસપાસ જ છે,એવી જ રીતે આવા વર્ગના લોકોની ટકાવારી એનાથી પણ ઘણી ઓછી છે.


:-ખાસ કરીને આવા લોકોની પ્રવૃત્તિ પોતાના કાર્યો થકી સમાજમાં  સારો સંદેશો પહોંચાડવાનો હોય છે.જે હર કોઈ દિલથી સલામને પાત્ર છે.
---------
આમ,સોશિયલ મીડિયા નથી સંપૂર્ણપણે દાનવોનું કે નથી દેવદુતોનું....ફકત આજની વાસ્તવિકતા એટલી કે દાનવવૃતિ નો દબદબો અહીં વધુ છે....


સવાલ એ છે કે આપણા લેવલે આનું સમાધાન શું હોઈ શકે???
-----------
1)મહાત્મા ગાંધીજી એ જેમ બ્રિટિશ શાસનના અન્યાય વિરુદ્ધ અહિંસક 'અસહકાર આંદોલન' ચલાવ્યું હતું,એ જ રીતે આપણે 'સામાજિક પ્રદુષકો' ના એજન્ડા વિરુદ્ધ 'અસહકાર' આપી એના શસ્ત્રોને ત્યાં જ શિકસ્ત આપી દઈશું.


2)આખરે,શું ખરું અને શું ખોટું એ વચ્ચેનો ભેદ સમજવા ખુદની વિવેકબુદ્ધિ વિકસીત કરીએ..
------------
આવો,સોશિયલ મીડિયાનો ઉપયોગ 'પ્રેમ અને ભાઈચારો' વધારવામાં કરીએ અને આવનારી પેઢી સમક્ષ હકારાત્મક વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરીએ....


લેખ વાંચવા બદલ આભાર

Read More

*ચલો જીતે હૈ*
----------------------------------------
નરેન્દ્ર મોદીના બાળપણ પર આધારિત આ આત્મકથારૂપ ફિલ્મ, ગરીબો માટે તેમની સહાનુભૂતિ અને સશક્તિકરણ ફેલાવવાની તેમની ઇચ્છાને વ્યક્ત કરે છે.
(નોંધ:-અહીં કોઈ વ્યક્તિના બદલે એક ફિલ્મનો ઉત્તમ સંદેશ પહોંચાડવાનો પ્રયાસ છે.) 
------------------------
નરુ નામનો છોકરો બાળપણમાં સ્વામી વિવેકાનંદજીનું એક પુસ્તક વાંચતા-વાંચતા એક અદ્ભુત વિચાર વાંચે છે. જે વિચાર હોય છે, 'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'

આ વિચાર વાંચતાંની સાથે જ એના બા ને નરુ પૂછે છે,' બા તમે બધાં માટે જીવો છો, પણ હું કોના માટે જીવી રહ્યો છું?!!!'
(એમના બા અને ત્યારબાદ એના પિતાજી જવાબ આપવાનું ટાળી દઈ, એ સવાલ એના માસ્તરજીને પૂછવાનું કેય છે.)
---------------------
(નરુ અને એના માસ્તરજી વચ્ચેનો સંવાદ) 
નરુ:- ગુરુજી, આપ કોના માટે જીવો છો? 
ગુરુજી :-મતલબ હું કંઈ સમજયો નહીં!! 

નરુ:- ગુરુજી, આ બુકમાં એવુ લખ્યું છે 'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'
શું મેં કોઈ ખોટો સવાલ કરી લીધો ગુરુજી?? 

ગુરુજી :- બિલકુલ નહીં, અચ્છા એક વાતનો જવાબ આપ... 
ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ મહાપુરુષો એ શું કર્યું? 
નરુ:-એમણે આપણા દેશની આઝાદીના જંગમાં પોતાના પ્રાણોની આહુતિ આપી.. 
ગુરુજી :- મતલબ કે એ ખુદની માટે નહીં પણ દેશની માટે જીવ્યા એટલે જ આપણે એને યાદ કરીએ છીએ. 
----------
જેમ વિવેકાનંદજીને બસ એક પ્રશ્ન દરેકને પૂછવાની જિજ્ઞાસા રહેતી કે 'મહાશય, શું આપે ઈશ્વરને જોયા છે?'  એવી જ રીતે નરુ પણ દરેકને એક જ પ્રશ્ન પૂછતો 'આપ કોના માટે જીવો છો?' (જીવ, નિર્જીવ દરેકમાં એને આ સવાલ જ દેખાતો) 
---------
નરુ નો એક સહપાઠી હોય છે હરીશ સોલંકી.એની ભણવાની ખૂબ જ ઈચ્છા હોય છે, પરંતુ એની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે કે એની પાસે સ્કુલ યુનિફોર્મ ન હોવાથી માસ્તરજી એને વર્ગમાં બેસવાની અનુમતિ નથી આપતા. 

નરુ ને હરીશની હાલત જોઈને  હ્રદય ભરાઈ આવે છે. આખરે એને એનો જવાબ મળતો હોય એવું મહેસુસ થાય છે અને હરીશની મદદ કરવાનું મનોમન વિચારી લે છે, પરંતુ પોતાની પાસે બચત ખૂબ જ ઓછી હતી. 

એ જ અરસામાં નરુ એક શેરી નાટક જેવું જોવે છે અને તુરંત મગજમાં એને એક વિચાર આવે છે. આજુબાજુનું નિરીક્ષણ કરી એ 'પીળુ ફૂલ'  નામની એક વાર્તાનું સર્જન કરે છે. 

આ વાર્તા પરથી શેરી નાટક ભજવવાની તૈયારીઓ કરે છે અને આ 'પીળા ફુલ'  નામનું સુંદર નાટક બદલ ઈનામમાં અમુક રાશિ મેળવે છે. 

આ ઈનામ રાશિ વડે એ એના સહપાઠી હરીશની મદદ કરે છે અને હરીશ ફરીથી સ્કૂલ જવા લાગે છે..

અંતે,નરુ ને એના સવાલનો જવાબ મળી જાય છે:-
'બસ વહી જીતે હૈ,જો દુસરો કે લિયે જીતે હૈ.'
'જનસેવા સે હી પ્રભુસેવા હૈ'
'મહાનતા ત્યાગ કરને સે આતી હૈ'
------------------
(આખરે ઘણા સમય બાદ એક સુંદર સંદેશા વાળી એક શોર્ટ ફિલ્મ(30 મિનિટની)  જોવા મળી) 

જય હિન્દ

-કિશન મેવાડા 
 પાલીતાણા
---------------------
મારા અન્ય લેખો આપ અહીંથી વાંચી શકો છો 
WWW.SUNDAYSMILE.IN

Read More