Samudrantike: Book Review in Gujarati Book Reviews by Hardik Galiya books and stories PDF | સમુદ્રાન્તિકે : બુક રીવ્યુ

Featured Books
Categories
Share

સમુદ્રાન્તિકે : બુક રીવ્યુ

પુસ્તક : સમુદ્રાન્તિકે 

લેખક : ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ / ધ્રુવદાદા

સમીક્ષા : હાર્દિક ગાળિયા

સ્ટાર : ⭐⭐⭐⭐⭐ 5 / 5 


       ધ્રુવ ભટ્ટ ગુજરાતી સાહિત્યના એક એવા આધુનિક સર્જક છે જેમણે પ્રકૃતિ, માણસ અને અધ્યાત્મ વચ્ચેના અતૂટ સંબંધને પોતાની કલમ દ્વારા નવી ઊંચાઈ આપી છે. 

સાહિત્યિક પ્રદાન : 

ધ્રુવ ભટ્ટ મુખ્યત્વે તેમની નવલકથાઓ અને કવિતાઓ માટે જાણીતા છે. તેમની વાર્તાઓમાં સૌરાષ્ટ્રનો દરિયાકિનારો, ગીરના જંગલો અને રેવા (નર્મદા) નદીના પરિવેશનું સચોટ આલેખન જોવા મળે છે.

મુખ્ય નવલકથાઓ:

સમુદ્રાન્તિકે : દરિયાકાંઠાની પદયાત્રાનો અનુભવ , તત્ત્વમસિ , અકૂપાર , કર્ણલોક , તિમિરપંથ

કાવ્યસંગ્રહ: ગાય તેના ગીત

સર્જનની વિશેષતાઓ

પ્રકૃતિપ્રેમ: તેમની લગભગ દરેક કૃતિમાં કુદરત એક પાત્ર તરીકે આવે છે. તે માત્ર પૃષ્ઠભૂમિ નથી રહેતી, પણ વાર્તાને ગતિ આપે છે.

પાત્રોની સાદગી: તેમના પાત્રો ખૂબ જ સાદા, ગ્રામીણ કે વનવાસી હોય છે , જેઓ જીવનની મોટી ફિલોસોફી સહજતાથી બોલી જાય છે.

ભાષાશૈલી: લોકબોલીના શબ્દો અને તળપદી લહેકાનો ઉપયોગ હોવા છતાં તેમની ભાષા અત્યંત શિષ્ટ અને પ્રવાહી છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પણ તેમને અનેક વાર સન્માનિત કરવામાં આવ્યા છે.ટૂંકમાં કહીએ તો , ધ્રુવ ભટ્ટ એવા લેખક છે જે વાચકને શહેરના ઘોંઘાટમાંથી બહાર કાઢીને પ્રકૃતિના ખોળે બેસાડી દે છે.


સમુદ્રાન્તિકે સમીક્ષા 

૧. કથાનો વિષયવસ્તુ

આ નવલકથાનો લેખક એક શિક્ષિત યુવાન છે, દાદાને નોકરી અર્થે દરિયા કિનારાના વિસ્તારમાં જવાનું થાય છે, પરંતુ દાદા કોઈ આર્થિક કે ભૌતિક સ્વાર્થ વગર ગુજરાતના દરિયાકાંઠે પદયાત્રાએ નીકળે છે. ખંભાતના અખાતથી શરૂ કરીને તે સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાઓ સુધી ફરે છે. આ પ્રવાસ દરમિયાન તેને મળતા પાત્રો અને દરિયાની પ્રકૃતિ તેની જીવન જોવાની આખી દ્રષ્ટિ બદલી નાખે છે.

૨. મુખ્ય પાસાઓ અને વિશેષતાઓ
પ્રકૃતિ સાથેનો સંવાદ: ધ્રુવદાદા દરિયાને માત્ર એક જળરાશિ તરીકે નહીં, પણ એક જીવંત વ્યક્તિત્વ તરીકે રજૂ કર્યો છે. દરિયાની ભરતી-ઓટ, રાતનો સમુદ્ર અને કિનારાની રેતીનું વર્ણન એટલું સચોટ છે કે વાંચતી વખતે આપણને ખારા પવનનો અનુભવ થાય છે.જ્યારે દાદા દરિયા કિનારે ચાલવાના પોતાના અનુભવનું વર્ણવ કરે છે છે ત્યારે ખરેખર દરિયા કિનારે ચાલતા હોય તેવો અનુભવ વાચકને  કરાવે છે 

નિર્મળ પાત્રો: આ પુસ્તકમાં અવલ, નૂરભાઈ, કાનો અને માછીમાર પરિવારો જેવા પાત્રો છે. આ લોકો ભણેલા નથી, પણ તેમની પાસે જીવનની જે સમજ અને 'દરિયાદિલી' છે, તે મોટા વિદ્વાનો પાસે પણ નથી હોતી. તે બધા  'દરિયાખેડુ / સાગરપુત્ર' છે જે કુદરતના કાયદાને માન આપીને જીવન જીવે છે.

સંસ્કૃતિનું દર્શન: ધ્રુવદાદા દરિયાકાંઠાની બોલી, ખોરાક, પહેરવેશ અને ત્યાંની લોકકથાઓને વાર્તામાં વણી લીધી છે. 'ખારવા' જ્ઞાતિનું જીવન અને તેમની સાહસિકતા અહીં સુંદર રીતે નિરૂપાયેલી છે.

૩. જીવનદર્શન
પુસ્તકનો સૌથી મોટો સંદેશ એ છે કે માણસ જ્યારે કુદરતના ખોળે જાય છે, ત્યારે તેને સમજાય છે કે તે પોતે કેટલો નાનો છે. અહીં ત્યાગ, સ્વીકાર અને સંતોષની ભાવના જોવા મળે છે. ધ્રુવ દાદા લખે છે કે જીવનમાં બધું જ આયોજન પ્રમાણે નથી ચાલતું, ક્યારેક દરિયાના મોજાંની જેમ સંજોગોને સ્વીકારી લેવા પડે છે.

૪. ભાષા અને શૈલી
ધ્રુવ ભટ્ટની શૈલી ખૂબ જ સરળ છતાં ગહન છે. આ સાથે લોકબોલીના શબ્દોનો વધારે  પ્રયોગ વાર્તાને વધુ વાસ્તવિક બનાવે છે. પુસ્તક વાંચતી વખતે એવું લાગે છે કે આપણે જાતે જ લેખકની સાથે તે પદયાત્રામાં જોડાઈ ગયા છીએ.

નિષ્કર્ષ
જો તમારે આધુનિક જીવનના ટેન્શનથી દૂર થઈને થોડી ક્ષણો શાંતિ અને આત્મચિંતનમાં વિતાવવી હોય, તો 'સમુદ્રાન્તિકે' શ્રેષ્ઠ પસંદગી છે. આ પુસ્તક આપણને શીખવે છે કે સાચું સુખ ભૌતિક વસ્તુઓમાં નહીં, પણ કુદરત સાથેના તાદાત્મ્યમાં છે.


"દરિયો જેની પડખે હોય, એને દુનિયાના રસ્તા શોધવાની જરૂર નથી પડતી."

તમે જો કોઈ બુક વિશે રીવ્યુ જાણવા માગતા હોય તો કોમેન્ટ સેકશનમાં જરૂર જણાવજો....બુક વાંચીને જરૂરથી તેનો ઊંડાણ પૂર્વકનો રિવ્યૂ જરૂર લખીશ.