The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વૈજ્ઞાનિક અનુસંધાન, નવી નવી ટેકનોલોજી આવે છે. દુનિયા આને લાવતી નથી, દુનિયા આમાં ફસાઈ ગઈ છે. વૈજ્ઞાનિક અનુસંધાન, નવી નવી ટેકનોલોજીને સાથે રાખવું અને આમાં ન ફસાય, એના માલિક બની ચલાવું એ દુનિયા પાસે નથી. મનુષ્યે દુનિયાનું સંચાલન કરવું જોઈએ પણ, એવું નથી દુનિયા મનુષ્યનું સંચાલન કરે છે. પૂર્વના દેશોમાં વિવાદ છે કે ethics જોઈએ કે ન જોઈએ. વૈજ્ઞાનિકો નવી નવી ટેકનોલોજી અને સંશોધનો લાવે તો પછી વિવાદ થવો જોઈએ કે આને પ્રકાશિત કરવું જોઈએ કે ન કરવું જોઈએ,આને ઉપયોગમાં લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ. કારણ કે આનો ethically વિચાર કરવો જોઈએ. તો કેટલાક લોકો કહેશે કે ethics શું છે? જ્ઞાનને ethics નું બંધન નથી,જ્ઞાન જ્ઞાન છે એ તો પ્રગટ થતું રહેશે. જ્ઞાનની સામે આપણે હતબલ થઈ ગયા છે. એ જ્ઞાન છે એ પ્રગટ થતું રહેશે અને એના પ્રમાણે આપણે બદલાવું પડશે. આ મનુષ્યની મજબુરી બની ગઈ છે. આ જ દુનિયાની પરિભાષા છે. આપણી પરિભાષા આ નથી. આપણી પાસે એક એવું તત્વ છે કે બધાને જોડીને રાખે છે.એ એક વ્યક્તિને, વ્યક્તિઓના સમૂહને,સમાજને, રાષ્ટ્રને, સમગ્ર સૃષ્ટિને અને એની સાથે આખા અસ્તિત્વને જોડીને ચલાવે છે. ફકત જોડીને રાખતું નથી પણ, એના સંબંધ તૂટવા દેતું નથી, પરસ્પર વિરોધી બનવા દેતું નથી, સૌને એકત્ર રાખીને સૌને ઉન્નત કરે છે. આ બધું બાકી દુનિયા પાસે નથી. એટલે એ લોકો ફસાઈ ગયા છે. આ તત્વ આપણું સત્વ છે. મનુષ્યોનો વિકાસ કરવાવાળી વિજ્ઞાન અને ટેકનોલોજી આવે છે. પણ, એનાથી સૃષ્ટિ ખરાબ થાય છે. અને એમનો ઝઘડો થાય. ઈલાજ શું છે? ઈલાજ કોઈને ખબર નથી. કેમકે જોડવા વાળું તત્વ એમની પાસે નથી. એ આપણી પાસે છે. આપણા પૂર્વકાળમાં આક્રમણો પહેલા જ્ઞાન- વિજ્ઞાનનો સર્વોચ્ચ વિકાસ ભારતમાં થયો છે. અને આવો વિકાસ થયા પછી પણ, આપણી સૃષ્ટિ ખરાબ નથી થઈ. આપણા દેશમાં ઓછામાં ઓછા ૮,૦૦૦ વર્ષોથી ખેતી થઈ રહી છે. એ ખેતીથી આપણું પર્યાવરણ અને જમીન ખરાબ નથી થયાં, અન્ન વિષયુક્ત નથી થયું. યુરોપિયનો આફ્રિકામાં રાજ કરતા હતા ત્યારે એમણે ત્યાં ૪૦૦ વર્ષ ખેતી કરી. આજે એ જમીન ૧૦-૧૦ વર્ષો સુધી fellow રાખવી પડે છે. જમીન ખરાબ, ખેતી ખરાબ, પાણી ખરાબ,હવા ખરાબ. આ ખરાબીવાળી સમસ્યા ક્યારથી આવી? આ તો આધુનિક કાળમાં આવી. આપણે ટેકનોલોજીનો ઉચ્ચતમ વિકાસ કર્યો હતો. અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને આપણું સત્વ છૂટી ગયું. અંગ્રેજોએ આપણા સત્વનું નાશ કર્યું. અત્યારસુધી આપણે પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ કરતા આવ્યા છે. આપણે નવું જ્ઞાન મેળવવું હોય તો વિદેશી પુસ્તકો વાંચવા પડે છે, એમની બુદ્ધિથી વિચારવું પડે છે. આપણા પાઠ્યપુસ્તકોમાં પણ, ન્યૂટન, આઈન્સ્ટાઈન ઘર કરી ગયા છે. અંગ્રેજોની શિક્ષણ પદ્ધતિ આવી ત્યાંસુધી ભારતમાં ગુરુકુળો ચાલતા હતા. એ ગુરુકુળોમાં ખગોળ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર,જીવ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર,ગણિત શાસ્ત્ર શીખવામાં આવતા. જે- જે સંશોધનો વિદેશોમાં અત્યારે થયાં એ આપણા દેશમાં વર્ષો પહેલાં થઈ ગયા હતા. આપણે આવા હતા, આપણે સત્વ છોડ્યું અને પડી ગયું.
"અલગ ઘર્મ, સભ્યતા હોવા છતાં, વિવિધતામાં એકતાનું ગાન છે, આ દેશ મહાન છે." "છેલ્લા શ્વાસ સુધી લડનારા, ખમીર સૈનિકો જેની શાન છે, આ દેશ મહાન છે." "હર એક પળ પર પોતાનો જીવ, ન્યૌછાવર કરનારાનું સ્થાન છે, આ દેશ મહાન છે." "રગ-રગમાં દેશદાઝ, દેશભક્તિ, અને તિરંગાનું સમ્માન છે, આ દેશ મહાન છે." " 'વસુધૈવ કુટુંબકમ્' ના મંત્રનું, જે સંસ્કૃતિ કરતી આહ્વાન છે, આ દેશ મહાન છે." -written by Kevin Patel
સ્વરાજ્ય શું છે? સ્વરાજ્ય રાતોરાત ઉભું નથી થયું, કેટલાય વર્ષોની સાધના, પરિશ્રમ, પ્રયત્ન છે, સ્વરાજ્ય ફકત છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા જીતેલો એક પ્રદેશ નથી. સિંધખેડના મનસબદાર સરદાર લખોજીરાજે જાધવરાવના સુપુત્રી જીજાઉ રાણીસાહેબ અને પુણે-સુપાના મનસબદાર સરદાર માલોજીરાજે ભોંસલેના સુપુત્ર શાહજીરાજે ભોંસલે મહારાજ સાહેબનું સ્વપ્ન છે. સ્વરાજ્ય એટલે દરેક ભારતીયનો હક, સમ્માન, પ્રતિષ્ઠા, સ્વરાજ્ય એટલે અરબી શાસકોની ગુલામીમાંથી આઝાદી, સ્વરાજ્ય એટલે મહિલાઓનું રક્ષણ, સમ્માન, સ્વરાજ્ય એટલે શિવાજી મહારાજની દીર્ઘ દ્રષ્ટિ, કૂતનીતિ, સ્વરાજ્ય એટલે જીજાઉની મમતા, માતૃત્વ, કુશળ નેતૃત્વ, માર્ગદર્શન, સ્વરાજ્ય એટલે શાહજી મહારાજનું જોશ,હિમંત, સામર્થ્ય, સ્વરાજ્ય એટલે સુશાસન, કર્તવ્યનિષ્ઠા, સમર્પણભાવ, સ્વરાજ્ય એટલે માવળોની નિષ્ઠા, વિશ્વાસ, દેશભક્તિ, સ્વરાજ્ય એટલે બાજી પાસલકર,સોનો પંત,શ્યામરાજ પંત,દાદોજી પંત,કાન્હોજી જૈધૈ,માન્કોજી દાહાતોડે,જીવા મહાલ,તાન્હાજી માલુસરે,યેસાજી કંક,ભીમીયા,મોરોપંત પીગળે,નેતાજી પાલકર,બાજીપ્રભુ દેશપાંડે,હંબીરરાવ, ગોપીનાથ વકીલ,બહીરજી નાયક અને સમગ્ર માવળ.
પ્રેમ એટલે શું? ભાગ- ૨ "કારણ વિનાની કાળજી એટલે પ્રેમ, તેની અનુપસ્થિતિ માં થતી તળમળ એટલે પ્રેમ, વિચાર વગરની સ્વ-કલ્પના એટલે પ્રેમ, તેનામાં પોતાનું સ્વરૂપ દેખાવું એટલે પ્રેમ, તેની દરેક ભેટ માટે થતી ઉત્કંઠા એટલે પ્રેમ, પ્રેમ એ રૂપનું સૌંદર્ય નથી પણ, સ્વરૂપનું સૌંદર્ય છે, દેહના મોહને પ્રેમ કહી શકાય નહીં, આવો પ્રેમ યૌવનકાળ સુધી જ રહે, વૃદ્ધાવસ્થામાં નહીં, આત્મા સાથેનો પ્રેમ જ સાશ્વત રહે છે, અને એ જ ખરો પ્રેમ છે." - કેવિન પટેલ
"પ્રેમ એટલે શું?" "પ્રેમ એ એક પવિત્ર બંધન છે નહીં કે આકર્ષણ, પ્રેમમાં આકર્ષણ હોય શકે પણ, આકર્ષણમાં પ્રેમ નહીં, દરેક વખતે તેના વિચાર આવવા, તેના વિચારમાત્રથી ચહેરા પર સ્માઇલ આવવી, દરેક ખુશીમાં તેને સામેલ કરવાની ઈચ્છા, દરેક ક્ષણે તેને ખુશ કરવાનો પ્રયત્ન, તેનું જીવન સરળ બનાવવાનો પ્રયત્ન, પ્રેમ એટલે ભરોસો, હિમ્મત, પોતાનું પ્રતિબિંબ તેનામાં જોવું, તેને ગમતી અને આપણને ન ગમતી વસ્તુ આપણને ગમતી થઈ જાય." જેને સાચો પ્રેમ થયો હશે એને આ અનુભવો થયા હશે. - Kevin Patel
"તે અદરક જેવી તીખી હતી, તો ખાંડ જેવી મીઠી હતી, તે ઈલાયચી તાજી હતી, અને આ જેવી કડક હતી, સવારમાં તેનો મારા હોઠ સાથેનો પ્રથમ સ્પર્શ શરીરને તરોતાજા અને મન પ્રફુલ્લિત કરી દે છે." -Kevin Patel
"........... તેમના શરીરે એકપણ વસ્ત્ર કે આવરણ ન હતું. બંન્ને પોતાના હાથ-પગનો ઉપયોગ કરી એકબીજા સાથે વીંટળાઈ ગયા હતા. એકબીજાને ગાઢ આલિંગન કરી એકબીજામાં સમાઈ જવા મથતા હતા. આલિંગન એટલું ગાઢ હતું કે બંનેના શરીરને હવા પણ, છેદી ન શકે. પૂનમના ચંદ્રની ચાંદની બારીમાંથી પસાર થઈ એકબીજાના શરીરમાં ખોવાયેલા નવયુગલોના શરીરને અંધકારમય ઓરડામાં ચમકાવતી હતી. પ્રિયતમ પ્રિયતમાના કપાળ,હોઠ,ગાલ અને ગરદનને સતત ચુંબન કરતો હતો. પ્રિયતમા આંખો બંધ કરી હલકી સિસકારી મારી રહી હતી. સિસકારીનો અવાજ સાંભળી પ્રિયતમ માં જોશ આવી જાય છે. અને વઘુ ઝડપી અને જોરથી ચુંબન કરે છે. દિવસભરની ભાગાદોડીથી થાકી અંધકારમય શીતળ રાત્રીમાં યુગલો દુનિયાનું ભાન ભૂલી એકબીજામાં ભળી ગયા હતા. તેઓ એકબીજાનાં શરીરમાં ઓતપ્રોત થઈ ગયા હતા. -Kevin Patel
"ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ, જ્યાં સમાજની કટુતા ન હોય, જ્યાં સગાંસંબંધીનો ઠપકો ન હોય, જ્યાં શહેરની ભાગાદોડી ન હોય, જ્યાં કોઈ બંધન ન હોય, જ્યાં કોઈ નીતિ નિયમો ન હોય, જ્યાં સંસારની મોહ માયા ન હોય, જ્યાં તારાને મારા સિવાય કોઈ ન હોય." "ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ, જ્યાં ખીલખીલાટી કુદરત હોય, જ્યાં ઝાડ-પાન, ઝરણાં હોય, જ્યાં ઉંચા રણિયામણા પર્વત હોય, જ્યાં ઉપર આકાશ, સૂર્યનો પ્રકાશ હોય, જ્યાં સુગંધી ફૂલોની સુવાસ હોય, જ્યાં ફક્ત તું અને હું બે જ હોય." "ચાલ, આપણે એવી જગ્યાએ જઈએ, કુદરતના ખોળે ફક્ત હું ને તું અનંતકાળ સુધી, એકબીજાને પ્રેમ કરતા રહ્યે, પ્રકૃતિના ખોળે વર્ષાના સ્વચ્છ નીરથી, ઝરમર વહેતાં ઝરણાં નીચે, વસ્ત્રના કોઈ આવરણ વગર, તારા તનનું રસપાન કરું, અમૃત લાગે છે ઝરણાં નું નીર, જ્યારે તારા દેહ સાથે સ્પર્શી, મારી જીવ્હા:ને સ્પર્શે છે, મારા છેલ્લા શ્વાસ સુધી આજ રીતે, તને પ્રેમ કરવા માટે ઝંખું છું." -Kevin Patel
પ્રિયતમે, "તારા મધ કરતા મીઠા હોઠ ચૂમી, અને અમૃત સમાં તનમાં ઓગળી મને ડાયાબિટીસ થઈ જશે." ================================== " તું ચા જેવી મીઠી, કડક, તીખી અને ગરમ છે, જેમાં બિસ્કીટ બની ડૂબી જવાનું મન થાય." ================================== કેરીનો તૈયાર રસ પીવો અને કેરી ઘોળીને ખાવી, એ બેમાં જેટલો ફરક છે, એટલો જ ફરક સેકસ "કરવામાં" અને સેક્સ "માણવામાં" છે. " Sex is an art. " ================================== "તારી સાથે સુવું એ મારું સુખ નથી, પણ તને પ્રેમ કરતા કરતા પામવું, એ મારું સાચું સુખ છે." ================================== "મલિન મનનો સમજે છે લોકો મને, કારણકે લોકોની નજર મલિન છે, મારી પ્રેમ કરવાની રીત અનોખી છે, મારો પ્રેમ સહજ અને પ્રાકૃતિક છે, મારો પ્રેમ પવિત્ર છે." ================================== "તને મનથી પૂર્ણપણે પામેલો હું, તનથી પામવા મથું છું." ================================== હું ખૂબ ગુસ્સે હતો તેનાથી, તે મને મનાવવાને બદલે, નિર્વસ્ત્ર થઈ પલંગ પર સુઈ ગઈ.................. ================================== "તું એકદમ પાણીના ઘડા જેવી છે, તને જેટલો સ્પર્શ કરું, એટલો પ્રેમ મારા પર છલકાવે છે." ================================== "મેં કેરીનો ગોટલો હાથમાં લીધો, અને મને તારી સાથે વીતાવેલી, તે ક્ષણ યાદ આવી ગઈ." ================================== "કેટલી નશીલી છે તું, તારો નશો ઉતરતો જ નથી." ================================== " તું જેટલો શાંત છે, એટલો ઊંડો છે, તારી આ ઉંડાણતા માં ઊતરી, તને પામવાનું મને ગમે છે." ================================== "તેનું માદક હાસ્ય મને લલચાવી રહ્યું હતું, તેના નશીલા શરીરનો નશો ચડતો જતો હતો, મારી અંદર ઉર્જા આવેગ ચરમસીમાએ હતો, તેના શરીરને કોમળ ફૂલની માફક ચૂંથવા માટે." ================================== "મને વ્યસન છે. ચા નું અને તારું." ================================== "રિમઝિમ વરસાદમાં, ઠંડા વાતાવરણમાં, ગરમ ચા અને તારા ગરમ તનનું રસપાન કરું." ================================== "बारिश का तो चार महीनों का खेल है, मुझे तो पुरा जीवन तेरे हुस्न में भीगना है। ================================== "सूरज एसे ही दिगे हाक रहा था, मुझे पीगलाने के लिए तेरा नंगा बदन ही काफी है। ================================== "समंदर जैसा है मेरा प्यार, ज्यादा भी और गहरा भी।" ================================== "તારા સ્વરૂપનું સૌંદર્ય, મારી ઇન્દ્રિયોને સુખ આપે, જ્યારે, તારા ગુણોનું સૌંદર્ય મારા જીવનને સુખ આપે." ================================== "વૃક્ષો, વનરાજી,નદી, ઝરણાં એ તો ધરતીના શણગાર છે અને ધરતીને રસપ્રદ મનમોહક લગાવે છે. ઘનુષ્યની પણછ જેવા નેત્રો, કમળ જેવું સ્મિત,ઉભારેલા વક્ષસ્થળો અને ઘાટીલી કમર એ તારા અંગે અંગના શણગારો છે અને તારા તનને મનમોહક બનાવે છે. જેમ આ શૃંગાર વગર ધરતી સુંદર નથી એ રીતે, આ શૃંગાર વગર તારી કાયા સુંદર નથી." ================================== "તારા તનની સુંદરતા તો મારી આંખોમાં વસે છે, પણ તારા ગુણોની સુંદરતા મારા હદયમાં વસે છે." ================================== -Kevin Patel
મે મહિનામાં ભરઉનાળે વસુંધરા, સૂરજની અગ્નિથી તપી રહી હોય છે, ઉકળતી જ્વાળા જેવી વરાળ અને માટી...... આવી ધરતીને જરૂર હોય તો તે વર્ષાઋતુની, જ્યાં કાળા વાદળ ઘેરાયા હોય, ઝડપથી ફુંકાતો પવન, દરિયાના ઉંચા ઉછળતા લહેરોના મોજા, દરિયો ગાંડોતૂર બનીને, વાવાઝોડાં અને તોફાન સાથે મેહુલિયો આ અગ્નિમાં બળતી વસુંધરા પર પડે એટલે તો................... ત્રણ મહિનાથી અગ્નિમાં બળતી, વસુંધરાને એકાદ-બે ઝાપટું શાંત નહીં કરી શકે, જ્યારે મન મુકીને મેહુલિયો વરસે અને જ્યારે જમીન પાણીથી પૂરેપૂરી ધરાય, તૃપ્ત થાય ત્યારે જ ....... વસુંધરા એની સોળે કળાએ ખીલી ઊઠે છે, ચારે તરફ હરિયાળી હોય, વાતાવરણમાં ઠંડક હોય ત્યારે ધરતીનું આ રૂપ કંઈક અલગ જ હોય અને દરેકને આ સોહામણું લાગે છે. સ્ત્રીઓનું પણ કંઈક આવું જ છે. કામાગ્નિથી બળતી સ્ત્રીને જરૂર હોય તો એની ઉપર મન મૂકીને વરસી એની કામાગ્નિને શાંત કરી તેને તૃપ્ત કરનારની. જ્યારે કોઈ એના પર મન મૂકીને વરસતું હોય ત્યારે એનાં મગજમાં પણ તોફાન ચાલતું હોય છે, એ પણ દરિયાની જેમ ગાંડીતૂર થઈ એના પર વરસનારનો આનંદ લેતી હોય છે, કામાગ્નિને ઠારી, ચરમ સુખને પ્રાપ્ત કરનારી સ્ત્રી જ્યારે પૂરેપૂરી તૃપ્ત થઈ જાય છે ત્યારે એ પણ સોળે કળાએ ખીલી ઊઠે છે અને એક નવું જ રૂપ ધારણ કરે છે....... -Kevin Patel
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser