Quotes by Chaitanya Joshi in Bitesapp read free

Chaitanya Joshi

Chaitanya Joshi

@chaitanyajoshi203050


વાસ્તવિકતાથી દૂર જીવવાનું નહિ ગમે.
સુખ જ્યાં ભરપૂર જીવવાનું નહિ ગમે.

અંદરના દુશ્મનોની વાત હતી આપણી,
બીજા પ્રત્યે થૈ ક્રૂર જીવવાનું નહિ ગમે.

આજની ઘડી કરી છૂટીએ રળિયામણી,
અતીતના ઘા વલૂર જીવવાનું નહિ ગમે.

કર્મયોગી છું, કર્મ કરીને જ જંપવાનો હું,
વાતવાતે જીહજૂર જીવવાનું નહિ ગમે.

હાર્યા તેથી શું સબક તો શીખી ચૂક્યો છે,
વદીને નિરાશાના સૂર જીવવાનું નહિ ગમે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

પ્રાણથીય જે પ્રિય લાગે એવા મારા શિવજી છે.
દરશનની આશા જાગે એવા મારા શિવજી છે.

રહે મારું મન રત એનાં નામસ્મરણમાં નિતનિત,
નમઃ શિવાયનો નાદ વાગે એવા મારા શિવજી છે.

હરઘડી, હરપળ એની યાદ રહે મને સતાવતી સદા,
સૌથી સવાયા મને લાગે એવા મારા શિવજી છે.

એવા છે એ ભોળા કે દોષો મારા ભૂલી દ્રવનારા,
સ્મરણમાત્રે વાસના ભાગે એવા મારા શિવજી છે.

હું કરું યાદ એમનેને એ પણ કરતા યાદ મને વળી,
શિવસ્મરણ હો જીવનબાગે એવા મારા શિવજી છે.

ભાવનાના ભૂખ્યા ભગવંત ભાવનિધિ ભોલે ભંડારી,
આપી દેતા જે વગરમાગ્યે એવા મારા શિવજી છે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

મનને ગમે એવી કોઈ બાબત થઈ.
તારી અને મારી એવી કૈં વાત થઈ.

વિખૂટાં પડી ગયાં વાદળો આકાશે,
ને ઇન્દ્રધનુને જાણે કે કોઈ ઘાત થઈ.

સાવ સમદરનાં તળે જઈને લપાયાં,
એવાં રતનો મરજીવાને સૌગાત થઈ.

આવી પહોંચ્યા કાનને ગોપી સજીને,
રાસલીલાને કાજે પૂનમની રાત થઈ.

પોતાથી નબળું સર્જન કરવા ઈચ્છુક,
તેથી જ તો માનવકેરી બસ જાત થઈ.

ખૂબ ભમ્યો અવનીપટલે ભેખધરીને,
ના મળ્યો, ખુદમાં એની મુલાકાત થઈ.

-ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Read More

શિવના શરણમાં શાંતિ મળે છે.
સંતાપો સઘળા જીવના ટળે છે.

અંતર આરઝૂથી આરાધતા,
શિવ કૃપાને એ સ્હેજે પામતા.
ઉઠતું અહમ‌ મનનું ઓગળે છે...૧

નાથ દયાનિધિ ભોળા શંકર,
ના રાખે પછી જીવથી અંતર.
ઉરવેદનાને એ સાંભળે છે....૨

આશુતોષ મન ચાહ્યું દેનારા,
ના જગમાં કોઈ આપનારા.
સુકૃત ભવોભવના‌ ફળે છે....૩

ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

મારે હોય તપવાનુંને વરસવાનું તારે.
મારે હોય કહેવાનુંને સમજવાનું તારે.

ભૂલ થઈ એ પણ ભૂલથી જ થઈ છે,
મારે હોય કબૂલવાનુંને ગરજવાનું તારે.

દૂરથી દેખાતા ડુંગરો લાગે રળિયામણા,
મારે કદી હોય વહેવાનુંને તરવાનું તારે.

શબ્દોની શરાફત નૈ બતાવી શકે બધુંય,
મારે હોય ટપકવાનુંને ધબકવાનું તારે.

આભ પણ અવનીની આશા કરે વખતે,
મારે હોય વાગોળવાનુંને હીજરાવાનું તારે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર

Read More

શબ્દો ઉચ્ચારે આવો સદાશિવ.
ઉરના આવકારે આવો સદાશિવ.

હૈયું બન્યું નવનીત સરીખું,
સઘળે ભોલેનાથને દેખું.
નયન પલકારે આવો સદાશિવ...૧

દર્શનની અભિલાષા નિરંતર.
કૃપા‌ કરો હે‌ પ્રભુ શિવશંકર.
લોચન અશ્રુ સારે આવો સદાશિવ..૨

દોષો અમારા ‌ભોળાનાથ ભૂલો,
કરું છું આજ એકરાર ખુલ્લો.
અંતર આરાધે આવો સદાશિવ...૩

શરણાગતને સ્વીકારોને શંકર,
અંતરથી ના રાખો‌ હવે‌ અંતર.
ભક્ત સહારે આવો ‌સદાશિવ...૪

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

વરસોના વરસો લગી આવ્યા કરે ‌જન્મદિન તમારો.
સહુ આપ્તજનો તો મનાવ્યા કરે‌ જન્મદિન
તમારો.

પામો શત શરદની આવરદા કુશળક્ષેમ સદા
રહીને,
ગીફ્ટ સાથે આશિષ વરસ્યા કરે‌ જન્મદિન
તમારો.

રહે ચહેરા પર ખુશી ‌સદાકાળ બિરાજી હરખાતી,
મુસ્કાનને હાસ્યમાં ફેરવ્યા કરે જન્મદિન તમારો.

મળે સફળતા હરડગલેને મનના ‌મનોરથ ફળનારા,
મધુ જબાને સ્નેહ છલક્યા કરે ‌જન્મદિન તમારો.

ઉતરે આશિષ ઈશ્વરના મન ચાહ્યું પામો‌ હરવખતે,
હેત હૈયેથી બસ ઊભરાયા કરે જન્મદિન તમારો.

-ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.

Read More

સાદ પાડું શંકર તમે આવજો રે.
આવીને કષ્ટોને નિવારજો રે.

અરજી ઉરની આશુતોષને‌ કરી.
રહ્યા પોકારી નયને‌ નીરને‌ ભરી.
મહામુસીબત મહાદેવ‌ મીટાવજો‌ રે..1

સેવક સ્નેહ ધરી‌ શિવને વિનવે,
મોડું કરશો ના હરજી‌ તમે‌ હવે.
લાજ‌ ભક્તોની‌ રાખવા પધારજો રે...2

એક આધાર મુજને‌ તમારો‌ છે,
હરડગલે‌ તમારો‌ સહારો છે.
ભોળાનાથ આવી ‌ભયને હરજો રે..3

- ચૈતન્ય જોષી ,"દીપક" પોરબંદર.

Read More

રોજરોજ ક્યાં આપણને ગમતું મળે છે ?
હોય સાવ સાચા તોય ક્યાં નમતું મળે છે ?

એ તો સોડમ પારખીને વખાણે છે રસોઈ,
બાકી અંદર ક્યાં કોઈપણ જમતુ મળે છે ?

સલામ ભરે છે આજકાલ તો આવતાં જતાં,
અહીં કારણ વિના કોણ અમસ્તું મળે છે?

મ્હોરા પહેરીને માનવતાના મળે છે સૌ કોઈ,
ક્યાં માણસાઈનું વર્તન કદી છલકતું મળે છે ?

વાતવાતમાં મંડાઈ જાય છે પરસ્પર હરકોઈ,
ના કોઈ વખતે એકબીજાને સમજતું મળે છે!

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More

મારી પાછળ અફસોસ ન કરશો, વીલ છે મારું.
કોઈ પ્રત્યે પણ તમે રોષ ન કરશો, વીલ છે મારું.

જેણે‌ સતાવ્યો છે મને તેને પ્રભુ સન્મતિ આપે,
એનો મનમાં તમે રોષ ન ‌ધરશો, વીલ છે મારું.

છીએ મુસાફર, આજ આવ્યાને કાલ જવાના,
કોઈની ભૂલોનો શબ્દકોશ ન કરશો, વીલ છે મારું.

નથી નફરત લેશમાત્ર દિલના કોઈ ખૂણે મારા,
કોઈ બદલો લેવાનું જોશ ન કરશો વીલ છે મારું.

કૈંક આવ્યાને કૈંક ગયા આ અવનીપટલે પૂર્વે,
મન ‌મોટુ રાખવામાં કિંગટોશ ન કરશો,વીલ છે
મારું.

- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.

Read More