જીવન ને માણો તો મોજ છે બાકી ઉપાધી રોજ છે.... મન એકાંત તરફ જ્યારે જવા લાગે.. જ્યારે મન ને એકાંત ગમવા લાગે ત્યારે શુન્ય તરફ નવી શોધ તરફ નવી દિશા તરફ પ્રેરીત થતું જાય છે. એકાંત માણસ ને સજીવન કરે જ્યારે એકલતાં માણસ ને મારી નાખે..... કલ્પના નીત નીત્ નવા સર્જન વિસર્જન તરફ દોડતું તું આ મન... ક્યારેક રડતું ક્યારેક હસતું આ મન.. કઈં પણ કર્યા વિના રહેતું નથી આ મન ક્ષણે ક્ષણ વિચરતું આ મન. ખબર નહીં ક્યાં સુધી આ બધું??? અંત ક્યારે આવશે??? શું આનો અંત પણ હશે??? કે પછી જીતી શકાય પણ ખરા આ મનને એક દિવસ સદા ને માટે મૌન બની જવાનું છે. ચાહવા કે પછી ના ચાહવા છતાં મૌન તો થવાં નું જ છે... તો ક્યારેક અનુભવ જીવનમાં કરવો જરુરી છે. મૌન એટલે બોલવાનું બંધ કરવું?? પહેલી દ્રષ્ટિએ આપણને એમ જ થાય બોલવાનું નહી. પણ ખરેખર મૌન નો અર્થ રહસ્ય પુર્ણ છે.. સાચું મૌન તો મન. વાણી અને ચિત ને શાંત કરવું. મનની આ બધી ચંચળતા શાંત થઈ જાય પછી આ જીવ વૈરાગ ના પથ પર આગળ વધે માણસ ના જીવન માં સત્ય ચિત અને આનંદ જાગ્રત થાય...ભગવત ગીતામાં “ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્ ।
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ ॥”
(અધ્યાય 6, શ્લોક 5) માણસ પોતાનો મિત્ર છે અને પોતાનો શત્રુ
મનુષ્યએ પોતાનું ઉદ્ધાર પોતે જ કરવું જોઈએ. કારણ કે મનુષ્યનું મન જ તેનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો મન કાબૂમાં હોય તો તે મિત્ર બને છે, અને જો મન કાબૂમાં ન હોય તો તે શત્રુ બની જાય છે.
બીજો એક શ્લોક મન વિશે છે:
“ચંચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢમ્ ।”
(અધ્યાય 6, શ્લોક 34)
મન ખૂબ ચંચળ છે, તેને કાબૂમાં રાખવું બહુ મુશ્કેલ લાગે છે. યોગસ્થઃ કુરુ કર્માણી સંગં ત્યક્ત્વા ધનંજય ।
સિદ્ધ્યાસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥”
(અધ્યાય 2, શ્લોક 48)
સફળતા અને નિષ્ફળતા બંનેમાં સમભાવ રાખવો — એ જ યોગ છે.
2️⃣ “ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ ।
સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥”
(અધ્યાય 2, શ્લોક 63)
ક્રોધથી મોહ થાય છે, મોહથી સ્મૃતિ નાશ પામે છે અને અંતે મનુષ્યનો પતન થાય છે.
3️⃣ “યદા સંહરતે ચાયં કૂર્મોऽઙ્ગાનીવ સર્વશઃ ।
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થીભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥”
(અધ્યાય 2, શ્લોક 58)
જે માણસ કાચબાની જેમ ઇન્દ્રિયો કાબૂમાં રાખે છે, તેનું મન સ્થિર બને છે.
4️⃣ “પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે ।
પ્રસન્નચેતસો હ્યાશુ બુદ્ધિઃ પર્યવતિષ્ઠતે ॥”
(અધ્યાય 2, શ્લોક 65)
મન પ્રસન્ન રહે તો દુઃખો ઓછા થાય છે અને બુદ્ધિ સ્થિર બને છે.
5️⃣ “અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥”
(અધ્યાય 6, શ્લોક 35)
મનને અભ્યાસ અને વૈરાગ્યથી કાબૂમાં રાખી શકાય છે. ઘણું બધું ગુઢ જ્ઞાન પણ ભગવાને કહી દિધું ભગવત ગીતાજી માં... પણ ખરેખર આપણે ક્યારેય આ વિષય પર ભાર મુક્યો છે.???? અને પછી એની ગતી કેવી હોય..... મન ને જીતનાર માણસ કેવો હોય.... આજે મારે મન પર ભાર મુકીને એક નાનકડો આર્ટિકલ લખવાનું મન થયું આ પણ મનનું જ કામ મનુષ્યના જીવનમાં મનનું બહુ મોટું મહત્વ છે. માણસ જે વિચારે છે, જે નક્કી કરે છે અને જે કાર્ય કરે છે તેની પાછળ મન જ મુખ્ય કારણ હોય છે. મન શાંત અને સકારાત્મક હોય તો જીવનમાં સુખ, શાંતિ અને સફળતા મળે છે. પરંતુ મન ચંચળ અને અશાંત હોય તો જીવનમાં મુશ્કેલીઓ અને દુઃખ વધે છે.
ભગવાન Krishna એ Bhagavad Gita માં કહ્યું છે કે મનુષ્યનું મન જ તેનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. જો માણસ પોતાના મનને કાબૂમાં રાખે તો મન તેને ઊંચાઈ સુધી લઈ જાય છે, પરંતુ જો મન કાબૂમાં ન હોય તો તે માણસને ભટકાવી દે છે.
મન સ્વભાવથી ખૂબ ચંચળ છે. એક ક્ષણે એક વિચાર અને બીજી ક્ષણે બીજો વિચાર આવી જાય છે. તેથી મનને સ્થિર રાખવા માટે ધ્યાન, સારા વિચારો અને સારા કાર્યો ખૂબ જરૂરી છે. જ્યારે માણસ સારા વિચારો રાખે છે, ભક્તિ કરે છે અને સારા માર્ગ પર ચાલે છે ત્યારે મન ધીમે ધીમે શાંત બનવા લાગે છે.
મનને કાબૂમાં રાખવા માટે નિયમિતતા, સંયમ અને સકારાત્મક વિચાર ખૂબ મહત્વના છે. સારા લોકોની સાથે રહેવું, સારા પુસ્તકો વાંચવા અને ભગવાનનું સ્મરણ કરવું મનને શાંતિ આપે છે.
અંતમાં એટલું કહી શકાય કે મન માણસના જીવનનો સાચો માર્ગદર્શક બની શકે છે, જો તેને યોગ્ય રીતે સંભાળવામાં આવે. મનને સકારાત્મક દિશામાં વાળીએ તો જીવન સુખમય અને સફળ બની શકે છે.