હા..આજે બીજી ઓકટોબર જન્મદિન એ મહા આત્મા બાપુ , મોહનદાસ ગાંધીનો. બધાને યાદ છે. પણ એવા બીજા મહાન વ્યક્તિ કે ભારતની સ્વતંત્રતામા એમનો ગાંધીજીની સરખામણીમાં લગીરે ઉતરતી કક્ષા નો ફાળો નથી. એમણે પદ કે લોકપ્રિયતાની ચાહના વગર દેશને જીવન સમર્પિત કર્યુ. મરણોપરાન્ત એમને એમની સાદગી, દેશભકિત, અને ઇમાનદારી માટે "ભારતરત્ન" પણ મળ્યો. એવા શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી ને પણ આજે એમનાં જનમદિવસે યાદ કરી ને એટલો જ આદર આપીએ . " જય જવાન જય કિસાન".