જીવન ના અનઘનત પ્રશ્નો ને
ઉકેલવા શેની આ દોડ છે?
હારી ગયેલ બાજી ને જીતવા કે
પછી જીતેલી બાજી ને ટકાવી રાખવા!!
શેની આ દોડ છે?
વીતી ગયેલું ક્યાં પાછુ આવશે,
વર્તમાન નું પ્લાન કરવામાં આજનું
કામ ભૂલી જશું તો પછી શેની આ દોડ
છે?
જે નું સર્જન થયેલું છે તેનું વિસર્જન
પણ ચોક્કસ જ છે , તો પછી શેની આ
દોડ છે?
પ્રભુ એ સર્વના હ્રદય માં અને
સૃષ્ટી ના કણ કણ માં વસેલા છે,
તો પછી શેની આ દોડ છે?
જીવન ના અનઘનત પ્રશ્નો નો ઉકેલ
પણ એ જ છે, તો પછી શેની આ દોડ
છે?