Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કારગીલ યુદ્ધ
( ભાગ - ૩ )

કેટલાક લેખકોનું અનુમાન એવું પણ છે કે ઓપરેશનનો ઉદ્દેશ 1984 માં ભારતના ઓપરેશન મેઘદૂતનો બદલો લેવા માટેનો હોઈ શકે જેમાં ભારતે સિઆચેન ગ્લેશિયરનો લગભગ તમામ ભાગ કબજે કર્યો હતો.

ભારતના તત્કાલીન સૈન્ય પ્રમુખ વેદપ્રકાશ મલિક અને ઘણા વિદ્વાનોના જણાવ્યા મુજબ, લોજિસ્ટિક, સપ્લાય માર્ગોના નિર્માણ સહિતનું પૂર્વ આયોજન યોજના ઘણા સમય અગાઉ હાથ ધરવામાં આવ્યું હતું. 1980 અને 1990 ના દાયકામાં ઘણા પ્રસંગોએ, પાકિસ્તાની સેનાએ નેતાઓને (ઝિયા ઉલ હક અને બેનઝિર ભુટ્ટો) કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી માટેના આવાજ સમાન પ્રસ્તાવો આપ્યા હતા, પરંતુ આ યોજનાઓ બે દેશો વચ્ચે એક ભીષણ યુદ્ધ નોતરી લાવશે એવી બીકે પડતી મુકવામાં આવી હતી.

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે, ઓક્ટોબર 1998 માં પરવેઝ મુશર્રફને સેનાના ચીફ તરીકે નિયુક્ત થયા પછી તરત જ હુમલાની બ્લુપ્રિન્ટ ફરીથી સક્રિય થઈ હતી. યુદ્ધની સમાપ્તિ પછી, કારગિલ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન રહેલા નવાઝ શરીફે દાવો કર્યો હતો કે તેઓ આ યોજનાઓથી અજાણ હતા, અને તેમને પહેલી વાર આ પરિસ્થિતિ અંગેની જાણ ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અનપેક્ષિત ફોન કોલ દ્વારા મળી. શરીફે મુશર્રફને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા અને "તેમનાં બે અથવા ત્રણ જાણી દોસ્તો", કેટલાક પાકિસ્તાની લેખકોના મત અનુસાર મુશર્રફ સહિત ફક્ત ચાર જનરલોને આ યોજના અંગેની જાણકારી હતી. જોકે મુશર્રફે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે શરીફને 20 ફેબ્રુઆરીએ વાજપેયીની લાહોરની યાત્રાના 15 દિવસ અગાઉ કારગિલ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

3 મે સ્થાનિક ભરવાડ દ્વારા કારગિલમાં પાકિસ્તાની ઘુસણખોરીની જાણ.

5 મે ભારતીય સૈન્યની પેટ્રોલીંગ ટીમ રવાના કરાઈ; પાંચ ભારતીય સૈનિકને બંદી બનાવવામાં આવ્યા, ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવાયા,

9 મે પાકિસ્તાની સૈન્ય દ્વારા કરાયેલ ભારે તોપમારામાં કારગિલ ખાતેનો દારૂગોળાનો ભંડાર નુકસાન પામ્યો.

10 મે સૌપ્રથમ દ્રાસ, કાકસર અને મુશકોહ સેક્ટરમાં ઘુસણખોરી ધ્યાનમાં આવી.
મધ્ય મે ભારતીય સેનાએ વધુ સૈનિકો કાશ્મીર ખીણથી કારગિલ રવાના કર્યા.

26 મે ઘૂસણખોરો પર ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલા કર્યા.

27 મે ભારતીય વાયુસેનાના બે મિગ-21 અને એક મિગ-27 વિમાનોને પાકિસ્તાની સૈન્યની એર ડિફેન્સ કોર્પે એન્ઝા એમકે-2(ખભે રાખીને દાગી શકાતી મિસાઈલ) વડે તોડી પાડ્યા;[૬૪] ફ્લાઇટ લેફટનન્ટ કંબામ્પતી નચિકેતાને યુદ્ધકેદી તરીકે બંદી બનાવ્યા

28 મે ભારતીય વાયુસેનાનું મી-17 હેલીકૉપટર પાડવામાં આવ્યું; ચાર યાત્રિકો મૃત્યુ પામ્યા.

1 જૂન પાકિસ્તાને હુમલાઓ વધાર્યા; એનએચ-1 પાર તોપગોળા દાગ્યા.

5 જૂન ભારતીય સેનાએ પાકિસ્તાનની સંડોવણી સૂચવતા ત્રણ પાકિસ્તાની સૈનિકો પાસેથી હસ્તગત કરેલા દસ્તાવેજો પ્રકાશિત કર્યા.

6 જૂન ભારતીય સેનાએ કારગિલમાં મોટા આક્રમણની શરૂઆત કરી.

9 જૂન ભારતીય સેનાએ બટાલિક ક્ષેત્રે બે મુખ્ય શિખરો ફરીથી કબજે કર્યા.

11 જૂન ભારતે પાકિસ્તાનની સેનાની સંડોવણી સૂચવતી વાતચીત જાહેર કરી, જે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ (ત્યારે ચીનની મુલાકાતે હતા) અને ચીફ ઓફ જનરલ સ્ટાફ લેફટન્ટ જનરલ અઝીઝ ખાન(રાવલપિંડી ખાતે) વચ્ચે થઇ હતી અને ભારતે આંતરી હતી.

13 જૂન ભારતીય સેનાએ દ્રાસ ખાતેનું તોલોલીંગ કબ્જે કયું

15 જૂન યુ.એસ.ના રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ટેલિફોનિક વાતચીતમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને કારગિલ છોડવા ફરજ પાડી.

29 જૂન પાકિસ્તાની સેનાની ખાદ્યસામગ્રી અને શસ્ત્રોની સપ્લાય લાઇન તેમના જ વડાપ્રધાને કાપી નંખાવી, જેથી તેઓએ પીછેહઠ કરી અને ભારતીય સેના ટાઇગર હિલ તરફ આગળ વધી.

2 જુલાઈ ભારતીય સેનાએ કારગિલમાં ત્રિપક્ષી હુમલો કર્યો.

4 જુલાઈ ભારતીય સેનાએ 11 કલાકની લડત બાદ ટાઇગર હિલ પર કબજો કર્યો.

( વધુ વાંચો ભાગ - ૪ માં )

Gujarati Motivational by મહેશ ઠાકર : 111890523
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now