જિંદગી એવી જીવજો કે કયારેય પણ અફસોસ ના થાય,
થોડું જતું કરવાનો ભાવ રાખશો તો કયારેય પણ દુઃખી ના થવાય...
જીવનમાં વિચારીને બોલશો તો જ પસ્તાવો ના થશે,
પ્રયત્નો એવા કરજો કે પથ્થર ઉપર પાણી ના થાય....
લોકો ગમે એ કહે પણ આપણને ખબર જ છે કે શું સાચું છે એ,
થોડું પોતાનું ધાર્યું કરશો તો જ આપણને અસંતોષ ના થાય....
થોડો અહંકાર રાખશો તો જ આ દુનિયામાં જીવાશે,
બહુ સંવેદનશીલ રહેશું તો આપણી કદર ના થાય...
જે જતું રહ્યું છે એ કયારેય પણ પાછું આવવાનું નથી,
બધું વિચાર્યા કરશું તો કયારેય પણ આગળ ના વધાય....
જે થઈ ગયું એ સાચું ને જે થવાનું છે એની ખબર નથી,
બધું માથે લઈને ફરશુ તો આ અણમોલ ક્ષણો ના જીવાય...
-Bhargav Jagad