*આંખ ખોલી નાખે તેવી એક હકીકતલક્ષી સ્ટોરી :-*
==================
અને અંતે.....
તેના ઘરને તાળું મારવામાં આવ્યું હતું.
કારણ કે.....,
તે *રૂ.15,000/-* ભાડું ચુકવવા સક્ષમ ન હતો.
તેણે મદદ માટે *ફેસબુક* પર પોસ્ટ કર્યું,
પરંતુ.....
*ફક્ત 2 Likes અને શુન્ય Comment મળી.....!*
તેથી તેણે તેના કોન્ટેક્ટ લીસ્ટમાં *રૂ.15,000/-* ની લોન માટે વિનંતી કરતા *250* મેસેજ મોકલ્યા.
દુર્ભાગ્યે માત્ર 10 લોકોએ જવાબ આપ્યો.
*10 માંથી 6* એ દાવો કર્યો કે તેઓ મદદ કરી શકે તેમ નથી.
*4 માંથી માત્ર 2* કે જેમણે કહ્યું કે તેઓ મદદ કરી શકે છે તેમણે ખરેખર તેને કેટલાક પૈસા આપ્યા.
પરંતુ.....
બાકીના લોકોએ માત્ર બહાનું આપ્યું અને ક્યારેય *કૉલ્સ* પણ ઉઠાવ્યા નહીં.....!
અંતે.....
તેના દરવાજાને તાળું મારવામાં આવ્યું હતું.
તેની પાસે સુવાની જગ્યા નહોતી.
તે અંધારામાં ચાલીને આશરો શોધતો હતો, અને ત્યારે દુર્ભાગ્યે એક ચોરે તેનું *ખાલી પર્સ* ચોરી લીધું હતું. જેમાં તેનું *ઓળખપત્ર* હતું
ચોર ભાગી રહ્યો હતો ત્યારે એક ઝડપી ચાલતી કારે ચોરને ખરાબ રીતે ટક્કર મારી હતી, જેથી ચોરનું મોત થયુંહતું.....!
પરંતુ.....
બીજા દિવસે પર્સ માંના ઓળખપત્ર ને કારણે સમાચાર ઝડપથી આસપાસ ફેલાઈ ગયા કે,
*એ મૃત્યુ પામ્યો છે.....!*
લગભગ *2,500* લોકોએ તેની વોલ પર પોસ્ટ કર્યું કે,
તેઓ તેને કેવી રીતે ઓળખે છે.....?
તે કેટલો મહાન હતો.....!
તેના *વફાદાર મિત્રો (?)* જેમણે તેના અંતિમ સંસ્કારમાં મહેમાનોને ખવડાવવા રૂ.*1,80,000/-* નું યોગદાન આપ્યું.....!
કામ પરના તેનાસહકર્મીઓ સાથે મળીને, તંબુ અને ખુરશીઓ માટે બીજા *રૂ.45,000/-* લાવ્યા.....!
તેને *રૂ.15,000/-* ની કિંમતના ચંદન ના સુગંધીત લાકડા લાવ્યા - *જેટલી રકમની જીવતો હતો ત્યારે ભાડા માટે જરૂર હતી.....!*
સંબંધીઓ પણ મળ્યા.
તેમના માટે મળવાનો તે એક દુર્લભ પ્રસંગ હતો, તેથી તેઓ મળ્યા અને વધારાના *રૂ.30,000/-* નું યોગદાન આપ્યું.....!
દરેક વ્યક્તિ પોતે કઈક ને કઈંક આપતા હતા, જેથી તેઓ મદદ કરી રહ્યા હોય તેવું દેખાય.....!
તેઓએ તેના *ફોટો સાથે ટી-શર્ટ* પણ છાપ્યા.....!
દરેક ટી-શર્ટની કિંમત *રૂ.250/-* થઈ.
તેથી ટી-શર્ટવાળાએ તેના અનુમાનિત મૃત્યુથી લગભગ *રૂ.25,000/*- બનાવ્યા.....!
દરેક જણ તેના અંતિમ સંસ્કારમાં બોલવા માંગતા હતા.....
તે કેવી રીતે બચી ગયો તે ક્યારેય જાણતા ન હતા તેવા લોકો તરફથી આખું નાટક હતું.....!
તે કેટલો પ્રતિભાશાળી હતો, તેના પર તે લોકો દ્વારા પણ ભાષણો કરવામાં આવ્યા હતા, જેઓ તેના કાર્યક્રમોમાં ક્યારેય હાજરી પણ આપતા ન હતા.....!
જે થોડા મિત્રોએ તેને ટેકો આપ્યો હતો તેઓને તેના અંતિમ સંસ્કાર દરમિયાન બોલવાની તક પણ મળી ન હતી - જોકે તેઓ સત્ય જાણતા હતા.....!
તમે કલ્પના કરી શકો છો કે,...
તે જીવતો દેખાયો પછી દ્રશ્ય કેવું પલટાયું હશે .....?
કેટલાકને લાગ્યું કે તે ભુત છે.....!
આપણા જીવનની આ એક વક્રોક્તિ છે
આપણે જીવતા કરતાં મરેલાને વધુ પ્રેમ કરીએ છીએ.....!..??
~ લેખક અજ્ઞાત ✍🏼