ઉનાળો....
કેવો અજીબ શબ્દ છે. મનમાં એકસાથે બે પ્રતિભાવ જન્માવે. બીજા લોકો ની તો ખબર નહિ પરંતુ મારી સાથે તો આવું જ થાય. એક ભાવ ખુશી નો હોય તો એક ભાવ નિરાશા ના હોય.
એક બાજુ મસ્ત મીઠી હાફૂસ, લંગડો, કેસર, તોતાપુરી જેવી કેરીઓ ખાવા મળે. તો સાથે સાથે ચૈત્ર અને જેઠ મહિના નો તડકો પણ ભોગવવો પડે.
બાળપણમાં ઉનાળો એટલે બસ તડકા માં રમવાની ઋતુ, પરંતુ યુવાની માં એ જ તડકામાં કામ કરવાનો કંટાળો આવે.
ઘણી વખત મને મન થાય કે ભગવાન ને ફરિયાદ કરું કે હે ભગવાન ઉનાળા માં આટલો બધો તડકો શું કામ? પણ પછી ભાન થાય કે આપડે જે અન્ન ખાઈએ છીએ તેના માટે પાણી જોઈએ, અને તે પાણી માટે વરસાદ જોઈએ. જો તડકો ના પડે તો વરસાદ ન થવાના કારણે ભૂખ્યા મરવું પડે અને મુદ્દા ની વાત કે કેરી ખાવા ના મળે.😂
એટલે પછી એમ થાય કે ચલ ને કઈ વાંધો નહિ, કેરી ખાવા માટે આટલો તડકો સહન થઈ જાય.
પણ સાચે જો ઉનાળા માં કેરી ખાવા ના મળતી હોય તો મને ઉનાળો જરાક પણ ના ગમે.😁