*હું છું ને..!*
હું છું ને....!
કેટલું સરસ વાક્ય છે..!
ઉર્જાસભર અને ઉર્મિસભર..!
ગમે તેટલા થાકેલાં,હારેલા કે નાસીપાસ હોવ પણ જો આ એક જ વાક્ય તમે સાંભળો ને તો ગજબની ઉર્જાથી ભરાઈ જાવ.
આ ભાગાદોડીવાળી જિંદગીમાં આમ તો પોતાના ભાગનાં બધા જ અવરોધ,અંતરાય કે વિઘ્ન વ્યક્તિએ પોતાની જાતે જ આગવી સૂઝબૂઝથી પાર કરવાના હોય છે પણ જો એમાં જો તમારાં કોઈપણ કામમાં તમારી પડખે ખાલી ખભે હાથ મૂકી ફક્ત એક વાત બોલે,"હું છું ને તારી સાથે..! " ચાલ,આપણે સાથે મળીને કરી લઈશું...!
ઓહોહો....,
આટલું જ સાંભળીને વ્યક્તિને પોતે એક વિશેષ વ્યક્તિત્વ હોવાનો જે ગર્વભાવ જાગે છે એનાંથી એનાં મનનો ભાર અડધો થઈ જાય છે અને તેને બેવડાં જોરથી કાર્ય કરવાની ઉર્જા સાંપડે છે.
*હું છું ને...!*
આ વાક્યનો જાદુ ભલભલા નાસીપાસ લોકોના જીવનમાં એક લાગણીનું ઝરણું બની વહેવા લાગે છે,વ્યક્તિ નવેસરથી બેઠો થાય છે.
રાખમાંથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠા કરી શકે એટલી શક્તિ આ વાક્યમાં છે..!
એ વાત સર્વવિદિત છે ,આપણે સહુએ એનો અનુભવ વત્તેઓછે અંશે કરેલો જ છે.
હું છું ને..!આજનાં આ કાળમાં એ ફક્ત બોલના રૂપે પણ જો સંભળાય તો ય ઘણું અસરકારક છે. આ વાકય ઘણાય લોકોને નિરાશાની ગર્તામાંથી બહાર કાઢીને,
આત્મવિલોપન કરતાં અટકાવવામાં સહાયક બનશે.
લાગણીશીલ અને એકલા રહેતા કે એકલતા અનુભવતા વ્યક્તિઓ માટે એકસોને આઠ પુરવાર થાય એવું વાક્ય છે....એ છે...
*હું છું ને તારી સાથે..!*
સૌ સારા વાનાં થશે..!
©️ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*