🙏કોરોના જીવ ની ક્ષમાપના 🙏
અનંત કાળના ભવ ચક્ર માં મારા આત્માએ કોરોના વાયરસ જીવ ની સાથે તન મન વચન અને કાયાથી અવિનય આશાતના કે ગુનો કર્યો હોય તો આજ અને પૂરી દુનિયા અને અરિહંત પ્રભૂ ને સાક્ષી માનીને મારા દ્વારા કરવામાં આવેલા પૂર્વ કર્મોના પાપોના પ્રાયશ્ચિત કરી કોરોના વાયરસ ના જીવ ને મારા અપરાધ ની ખરા હ્રદય થી ક્ષમા માંગુ છું અને એને મારવામાં હું નિમિત્ત ના બનું એ હેતુ એને અભયદાન દઈને એ જીવો માટે કરુણા નિધાન ભગવાન ને પ્રાર્થના કરી એ છીએ કે એ એવી જગ્યાએ જાય કે એને કોઈ પરેશાન ના કરે કે એ આપણને પરેશાન ના કરે. જગત પર આવેલ આ વિપદા ને દુર કરવા માટે આપણે ભગવાન મહાવીર ના સિદ્ધાંતો પર ચાલીને - જીવો અને જીવવા દો અને અહિંસા પરમો ધર્મ ના નારા ને સાર્થક કરવાનો છે
હે કોરોના ના જીવો આપ શાંત થઈ જાવ અને ઠંડક ના સ્થાન પર ચાલ્યા જાવ આપને આવતા જન્મ માં ગુરુ અને ધર્મનું શરણું મળે અને સદગતિ પ્રાપ્ત થાય એજ અભ્યર્થના
🙏જય જિનેન્દ્ર 🙏
🙏🙏🙏🙏🙏