આનંદનું ખળખળ વ્હેતું ઝરણું
( Journey of Joy )
આજે શિક્ષણ વધ્યું છે તો પ્રશ્નો પણ વધ્યાં છે .
પ્રશ્નો એટલે પરીક્ષામાં પૂછવામાં આવે છે તે નહિ પણ જીવન વિષયક કોયડા .
પારિવારિક , આર્થિક , સામાજિક , આરોગ્ય વિષયક , બાળકોના શિક્ષણ વિષયક , મિલ્કત અંગેના આવા અનેક પ્રશ્નો માણસને જીવન દરમ્યાન મુંઝવતા રહે છે . સમયાંતરે માણસ આ બધામાં અટવાતો જોવા મળે છે . આ બધાને ઉકેલવામાં જ તેનું જીવન પુરું થઈ જતું હોય છે .
ઘણીવાર તો એવો પણ વિચાર આવે કે જો આ બધા પ્રશ્નો ન હોત તો માણસ આટલું લાબું જીવન પસાર કેવી રીતે કરત . આતો થઈ મજાકની વાત . પણ હકીકત એ છે કે માણસ નાના મોટા પ્રશ્નોમાં સતત ઘેરાયેલો જ રહેતો હોય છે . પ્રશ્નોનું સ્વરૂપ બદલાતું રહે એ વાત અલગ છે .
એવું પણ કહેવાય છે કે માણસ ખતમ થઈ જાય પણ માણસના પ્રશ્નો ક્યારેય ખતમ થતાં હોતા નથી . હવે આવી સ્થિતિમાં અટવાતો રહેતો માણસ સુખ કે આનંદની અનુભૂતિ કેવી રીતે કરી શકે .
સુખ એ માણસ માટે કલ્પવૃક્ષ સમાન છે . એટલે ઘણીવાર માણસ દિવસ્વપ્ન જોઈને સુખ માણવા પ્રયત્ન કરતો હોય છે . સુખની કલ્પના પણ આનંદ આપનારી બની રહેતી હોય છે . આ માટે શેખચલ્લીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે . મને તો શેખચલ્લી પણ ઘણીવાર ગમે છે. સુખની અનુભૂતિ થાતી હોય તો થોડી વાર માટે શેખચલ્લી બનાવામાં પણ ખોટું નથી .
આજે આટલું બસ રાખીએ . વધુ આવતીકાલે જોઈશું .
સંદર્ભ ગ્રંથ : --- " True Blessings "
લેખક : --- મહેશ ત્રિવેદી
ભાવાનુવાદ : --- જશુ પટેલ
15-03-2021