જેને જાણ્યા વિના સમજશો મારા,
તે જ બને છે અંતે પારકા;
એટલે બધું વિચારીને જોડો સંબંધોના તાંતણા,
નહિ જીવનના ખેતરમાં રહેશે દુખની સાથે આંસુઓના વાવણા;
સમયે સમયે તપાસના માંડજો ઢાંચા,
નહિતરે અંધારે ખાડે ઉતારશે આખે આખા;
પછી ફક્ત અફસોસના વધે સહારા,
આખીય જીંદગી ન તો કોઈના થશો કે ન કોઈના થવાના;
વ્હાલા નથી આજકાલ લાગણી અને સંબંધોના,
પૈસા અને નામના સૌ નહિ હજારો બને છે સગાં;
જેને જાણ્યા વિના સમજશો મારા,
તે જ બને છે અંતે પારકા;
શબ્દો થકી વિતેલા છે અનુભવોના દહાડા,
પારકા ઈ પારકા બાકી અંત સુધી સાથે હશે ફક્ત આપણા!
-જયરાજસિંહ ચાવડા
-Jayrajsinh Chavda