*- કૃષ્ણકાંત ઉનડકટ નો સુંદર લેખ*
🌹
*ગંભીર બીમારીઓની સારવાર કરનાર એક ડૉક્ટર હતા.*
💎
*બહુ જ હોશિયાર.*
🌹
*ડૉક્ટર વિશે એવું કહેવાતું કે, એ તો મૃત્યુની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે!*
🌹
*ડૉક્ટર પાસે જે દર્દી આવે, તેની પાસે એક ફોર્મ ભરાવે. રુગ્ણને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો?*
💎
*જિવનમાં જે બાકી રહી ગયું છે, એ શું છે?*
🌹
*દરેક દર્દી પોતાના દિલની વાત લખતો!*
💎
*હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ!*
🌹
*મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ!*
💎
*કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી, તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને ગ્લાનિ કૈ દુઃખ થયું છે, એની પાસે જઈને માફી માગી લઈશ!*
🌹
*એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ!*
💎
*જાતજાતની વાતો જાણવા મળી!*
🌹
*જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું. પોતાને દોષ આપી ન શકાય (ગિલ્ટી ન થાય) એવું કામ કરીશ!*
💎
*ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે!*
🌹
*દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો, અને કહેજો કે તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા ?*
💎
*ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે, જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે એ વેર વાળી લઈશ!*
🌹
*મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.*
💎
*હું રૂપિયા વધારે કમાઈશ.*
*મારી જાતને વધુ બિઝી રાખીશ.*
🌹
*દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.*
💎
*ડૉક્ટરે સવાલ કર્યો કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ?*
🌹
*હજુ ક્યાં મોડું થયું છે?*
💎
*બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો?*
🌹
*બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.*
💎
*સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!*
🌹
*એવું ન લાગે કે, હું મારી જિંદગી મને ગમે એમ જીવ્યો નથી !*🌸