જે ધર્મો નો જન્મ ભારત માં થયો - હિંદુ , બૌદ્ધ અને જૈન. બધા ઈશ્વર ને આખરી પડાવ માને છે જ્યારે ભારત ની બહાર જન્મેલ ધર્મો - મુસ્લિમ, ઈસાઈ અને તાઓ , જે બધા ઈશ્વર ને જનક માને છે.
આપણા બધા ધર્મો માં મુર્તિ પુજા નું મહાત્મ્ય છે , પણ હિંદુ માં સૌથી વધારે છે તેમની પાછળનું એક કારણ એ હતું કે સામાન્ય સ્તરના લોકો માટે ઈશ્વર ને નિરાકાર સમજી ને સંસાર પસાર કરવો અઘરો પડતો હતો માટે જે રુષિઓ એ ભગવત્તા આત્મસાત કરી હતી તેઓએ આ લોકો માટે પુરાણો તથા વેદ મુજબ મુર્તિ ની રચના કરી અને બિજુ કારણ એ પણ છે કે તંત્ર મુજબ ઈશ્વર મુર્તિ ની રચના કરવી પણ જરૂરી હતી જેના દ્વારા ઉર્જા નું સંકલિત સ્વરૂપ બનાવી ધ્યાન કરવાનું સરળ પણ રહે છે.